ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને આપ પર કર્યા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 09:49:46

વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપે પોતાના પ્રચાર માટે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રોમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. વિધાનસભા ક્ષેત્રમાં ફરી આ યાત્રામાં ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ આ યાત્રામાં હાજરી આપી રહ્યા છે. દ્વારકાથી નીકળેલી આ યાત્રા ધાંગધ્રાના ચરમિયા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. જ્યાં અનુરાગ ઠાકુરે અને પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.  

કોંગ્રેસ પર આડકતરી રીતે કર્યા પ્રહાર

આમ આદમી પાર્ટી પર હુમલા કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે ઈટાલિયનોને જવાબ આપી દીધો છે, હવે ઈટાલિયાને પણ જવાબ આપીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સો વર્ષીય માતાને રાજકારણમાં ખેંચવાનું કામ પણ આમ આદમી પાર્ટીના નેતાએ કર્યું છે. આવા લોકોને ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે.  

Image

દિલ્હીના મુખ્યમંત્રી ગેરંટી વહેંચી રહ્યા છે - અનુરાગ ઠાકુર 

અરવિંદ કેજરીવાલ પર પણ તેમણે ટિપ્પણી કરી હતી. કેજરીવાલ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં ગેરંટી વહેંચી રહ્યા છે, પરંતુ તેમની પાસે પોતાની કોઈ ગેરંટી નથી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવાએ તેમને નકારી કાઠ્યા છે, જેને ગુજરાતની જનતા પણ સ્વીકારશે નહીં.

 

આ ચૂંટણીમાં પણ જનતા ભાજપને જીત અપાવશે - અનુરાગ 

પોતાની પાર્ટીના વખાણ કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતીઓના દિલમાં નિવાસ કરી રહ્યા છે. તેમણે વિકાસ જોયો છે. ડબલ એન્જિનની સરકાર જોઈ છે એટલે આ ચૂંટણીમાં પણ જનતા ભાજપને જીત અપાવશે.

   


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.