ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને આપ પર કર્યા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 09:49:46

વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપે પોતાના પ્રચાર માટે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રોમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. વિધાનસભા ક્ષેત્રમાં ફરી આ યાત્રામાં ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ આ યાત્રામાં હાજરી આપી રહ્યા છે. દ્વારકાથી નીકળેલી આ યાત્રા ધાંગધ્રાના ચરમિયા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. જ્યાં અનુરાગ ઠાકુરે અને પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.  

કોંગ્રેસ પર આડકતરી રીતે કર્યા પ્રહાર

આમ આદમી પાર્ટી પર હુમલા કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે ઈટાલિયનોને જવાબ આપી દીધો છે, હવે ઈટાલિયાને પણ જવાબ આપીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સો વર્ષીય માતાને રાજકારણમાં ખેંચવાનું કામ પણ આમ આદમી પાર્ટીના નેતાએ કર્યું છે. આવા લોકોને ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે.  

Image

દિલ્હીના મુખ્યમંત્રી ગેરંટી વહેંચી રહ્યા છે - અનુરાગ ઠાકુર 

અરવિંદ કેજરીવાલ પર પણ તેમણે ટિપ્પણી કરી હતી. કેજરીવાલ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં ગેરંટી વહેંચી રહ્યા છે, પરંતુ તેમની પાસે પોતાની કોઈ ગેરંટી નથી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવાએ તેમને નકારી કાઠ્યા છે, જેને ગુજરાતની જનતા પણ સ્વીકારશે નહીં.

 

આ ચૂંટણીમાં પણ જનતા ભાજપને જીત અપાવશે - અનુરાગ 

પોતાની પાર્ટીના વખાણ કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતીઓના દિલમાં નિવાસ કરી રહ્યા છે. તેમણે વિકાસ જોયો છે. ડબલ એન્જિનની સરકાર જોઈ છે એટલે આ ચૂંટણીમાં પણ જનતા ભાજપને જીત અપાવશે.

   


ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે