પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય છે અને રહેશે: પરષોત્તમ રૂપાલા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 12:50:24

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ રાજ્યના ખુણે-ખુણે પ્રયાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વખતની ચૂંટણી ઘણી રસપ્રદ બની રહે તેવી સ્થીતી સર્જાઈ છે. રાજ્યમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતો હતો જો કે આ વખતે પરિસ્થિતી તદ્દન વિપરીત છે.  આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. AAP કેટલી બેઠક જીતે છે તેના કરતા ભાજપ કે  કોંગ્રેસમાંથી કઈ પાર્ટીના વોટ તોડે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ તથા કોંગ્રેસના નેતાઓ પણ ત્રિપાંખિયા જંગથી ચિંતિત બન્યા છે. ભાજપે તો તેના અગ્રણી નેતાઓની રીતસર ફોજ જ ઉતારી દીધી છે.


સીઝનલ સ્કીમો તો ચાલુ રહેવાની: રૂપાલા


આજે અરલલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. પ્રચાર બાદ  મોડાસામાં ભાજપ દ્વારા પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. જેમાં પરષોત્તમ રૂપાલા, શંકર ચૌધરી સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.  આ પ્રેસ કોંફરન્સ તેમણે નિવેદન આપ્યું હતું કે, પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય છે.. ભૂતકાળમાં ભાજપ અને પાટીદારો એકબીજાના પર્યાય હતા છે અને ભવિષ્યમાં પણ રહેશે. આમ આદમી પાર્ટીને નિશાન બનાવતા તેમણે કહ્યું કે ચૂંટણી આવે એટલે સીઝનલ સ્કીમો તો ચાલુ રહેવાની પણ તેનાથી કોઈ ફરક પડશે નહીં. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"