પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય છે અને રહેશે: પરષોત્તમ રૂપાલા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 12:50:24

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ રાજ્યના ખુણે-ખુણે પ્રયાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વખતની ચૂંટણી ઘણી રસપ્રદ બની રહે તેવી સ્થીતી સર્જાઈ છે. રાજ્યમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતો હતો જો કે આ વખતે પરિસ્થિતી તદ્દન વિપરીત છે.  આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. AAP કેટલી બેઠક જીતે છે તેના કરતા ભાજપ કે  કોંગ્રેસમાંથી કઈ પાર્ટીના વોટ તોડે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ તથા કોંગ્રેસના નેતાઓ પણ ત્રિપાંખિયા જંગથી ચિંતિત બન્યા છે. ભાજપે તો તેના અગ્રણી નેતાઓની રીતસર ફોજ જ ઉતારી દીધી છે.


સીઝનલ સ્કીમો તો ચાલુ રહેવાની: રૂપાલા


આજે અરલલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. પ્રચાર બાદ  મોડાસામાં ભાજપ દ્વારા પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. જેમાં પરષોત્તમ રૂપાલા, શંકર ચૌધરી સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.  આ પ્રેસ કોંફરન્સ તેમણે નિવેદન આપ્યું હતું કે, પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય છે.. ભૂતકાળમાં ભાજપ અને પાટીદારો એકબીજાના પર્યાય હતા છે અને ભવિષ્યમાં પણ રહેશે. આમ આદમી પાર્ટીને નિશાન બનાવતા તેમણે કહ્યું કે ચૂંટણી આવે એટલે સીઝનલ સ્કીમો તો ચાલુ રહેવાની પણ તેનાથી કોઈ ફરક પડશે નહીં. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.