પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય છે અને રહેશે: પરષોત્તમ રૂપાલા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 12:50:24

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ રાજ્યના ખુણે-ખુણે પ્રયાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વખતની ચૂંટણી ઘણી રસપ્રદ બની રહે તેવી સ્થીતી સર્જાઈ છે. રાજ્યમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતો હતો જો કે આ વખતે પરિસ્થિતી તદ્દન વિપરીત છે.  આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. AAP કેટલી બેઠક જીતે છે તેના કરતા ભાજપ કે  કોંગ્રેસમાંથી કઈ પાર્ટીના વોટ તોડે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ તથા કોંગ્રેસના નેતાઓ પણ ત્રિપાંખિયા જંગથી ચિંતિત બન્યા છે. ભાજપે તો તેના અગ્રણી નેતાઓની રીતસર ફોજ જ ઉતારી દીધી છે.


સીઝનલ સ્કીમો તો ચાલુ રહેવાની: રૂપાલા


આજે અરલલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. પ્રચાર બાદ  મોડાસામાં ભાજપ દ્વારા પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. જેમાં પરષોત્તમ રૂપાલા, શંકર ચૌધરી સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.  આ પ્રેસ કોંફરન્સ તેમણે નિવેદન આપ્યું હતું કે, પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય છે.. ભૂતકાળમાં ભાજપ અને પાટીદારો એકબીજાના પર્યાય હતા છે અને ભવિષ્યમાં પણ રહેશે. આમ આદમી પાર્ટીને નિશાન બનાવતા તેમણે કહ્યું કે ચૂંટણી આવે એટલે સીઝનલ સ્કીમો તો ચાલુ રહેવાની પણ તેનાથી કોઈ ફરક પડશે નહીં. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .