PM મોદીનું સુરતમાં અભૂતપૂર્વ સ્વાગત, રોડ શોમાં ઉમટ્યા હજારો લોકો, સુરત ડાયમંડ બુર્સનું કર્યું ઉદ્ઘાટન


  • Published By :
  • Published Date : 2023-12-17 14:35:53

PM નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યાર બાદ તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં હજારો લોકો ઉમટ્યા હતા. PM મોદીની એક ઝલક મેળવવા સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા, મોટી સંખ્યામાં લોકો 4 કિમી સુધી ચાલીને પહોંચ્યા હતા. પીએમ મોદી સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા તે સમયે સુરત એરપોર્ટથી ડાયમંડ બોર્સ સુધી 6 જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 


સુરત એરપોર્ટના વિકાસથી બિઝનેસ વધશે : PM મોદી


સુરતમાં એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુરત એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તે સુરત માટે એક મુખ્ય માળખાકીય સુવિધા છે, જે ‘જીવનની સરળતા’ને પ્રોત્સાહન આપે છે અને શહેર અને આસપાસના વિસ્તારો માટે વધુ વેપારની ખાતરી કરે છે.


PM મોદીએ સુરત ડાયમંડ બોર્સનું કર્યું ઉદ્ઘાટન 


PM નરેન્દ્ર મોદી આજે સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરશે. સુરત ડાયમંડ બોર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે જેમાં એક્સચેન્જ સાથે આયાત-નિકાસ માટે અત્યાધુનિક ‘કસ્ટમ ક્લિયરન્સ હાઉસ’, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વૉલ્ટ હશે. સુવિધાઓ. થશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.