ફરી કરાઈ કમોસમી વરસાદની આગાહી! ક્યા વિસ્તારોમાં વરસશે માવઠું, માવઠાને કારણે ખેડૂતો થયા બેહાલ!


  • Published By :
  • Published Date : 2023-04-08 16:42:28

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ઉનાળામાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ફરી એક વખત માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 11 અને 12 એપ્રિલે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વરસાદ વચ્ચે અનેક શહેરોના તાપમાન 38થી 40 ડિગ્રીની આસપાસ નોંધાશે. 


આ વિસ્તારો માટે કરાઈ છે વરસાદની આગાહી  

ઉનાળાની સિઝનમાં આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આવી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. થોડા દિવસોથી માવઠાને લઈ આગાહી કરવામાં  આવી ન હતી ત્યારે ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં 11 અને 12 એપ્રિલના રોજ કમોસમી વરસાદ વરસી શકે છે. 11 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 12 એપ્રિલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ વરસી શકે છે. 


સરકાર ખેડૂતોને જલ્દી સહાય ચૂકવે તેવી ખેડૂતોને આશા

એક તરફ જ્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે. જેમ શિયાળાની ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા તેમ આ વખતની ગરમી પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડી શકે છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કુદરત આગળ ખેડૂત લાચાર બન્યો છે. ત્યારે સરકાર માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે જલદી કરાવે અને ખેડૂતોને સહાય જલદી ચૂકવાય તેવી ખેડૂતો સરકાર પાસેથી આશા રાખી રહ્યા છે.        



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે