ફરી કરાઈ કમોસમી વરસાદની આગાહી! ક્યા વિસ્તારોમાં વરસશે માવઠું, માવઠાને કારણે ખેડૂતો થયા બેહાલ!


  • Published By :
  • Published Date : 2023-04-08 16:42:28

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ઉનાળામાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ફરી એક વખત માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 11 અને 12 એપ્રિલે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વરસાદ વચ્ચે અનેક શહેરોના તાપમાન 38થી 40 ડિગ્રીની આસપાસ નોંધાશે. 


આ વિસ્તારો માટે કરાઈ છે વરસાદની આગાહી  

ઉનાળાની સિઝનમાં આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આવી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. થોડા દિવસોથી માવઠાને લઈ આગાહી કરવામાં  આવી ન હતી ત્યારે ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં 11 અને 12 એપ્રિલના રોજ કમોસમી વરસાદ વરસી શકે છે. 11 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 12 એપ્રિલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ વરસી શકે છે. 


સરકાર ખેડૂતોને જલ્દી સહાય ચૂકવે તેવી ખેડૂતોને આશા

એક તરફ જ્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે. જેમ શિયાળાની ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા તેમ આ વખતની ગરમી પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડી શકે છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કુદરત આગળ ખેડૂત લાચાર બન્યો છે. ત્યારે સરકાર માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે જલદી કરાવે અને ખેડૂતોને સહાય જલદી ચૂકવાય તેવી ખેડૂતો સરકાર પાસેથી આશા રાખી રહ્યા છે.        



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.