ફરી કરાઈ કમોસમી વરસાદની આગાહી! ક્યા વિસ્તારોમાં વરસશે માવઠું, માવઠાને કારણે ખેડૂતો થયા બેહાલ!


  • Published By :
  • Published Date : 2023-04-08 16:42:28

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ઉનાળામાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ફરી એક વખત માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 11 અને 12 એપ્રિલે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વરસાદ વચ્ચે અનેક શહેરોના તાપમાન 38થી 40 ડિગ્રીની આસપાસ નોંધાશે. 


આ વિસ્તારો માટે કરાઈ છે વરસાદની આગાહી  

ઉનાળાની સિઝનમાં આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આવી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. થોડા દિવસોથી માવઠાને લઈ આગાહી કરવામાં  આવી ન હતી ત્યારે ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં 11 અને 12 એપ્રિલના રોજ કમોસમી વરસાદ વરસી શકે છે. 11 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 12 એપ્રિલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ વરસી શકે છે. 


સરકાર ખેડૂતોને જલ્દી સહાય ચૂકવે તેવી ખેડૂતોને આશા

એક તરફ જ્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે. જેમ શિયાળાની ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા તેમ આ વખતની ગરમી પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડી શકે છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કુદરત આગળ ખેડૂત લાચાર બન્યો છે. ત્યારે સરકાર માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે જલદી કરાવે અને ખેડૂતોને સહાય જલદી ચૂકવાય તેવી ખેડૂતો સરકાર પાસેથી આશા રાખી રહ્યા છે.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.