ગુજરાત માટે ફરી કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી! આ તારીખે માવઠાને કારણે વધી શકે છે ધરતીપુત્રોની ચિંતા!


  • Published By :
  • Published Date : 2023-05-26 11:06:26

રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. તાપમાનનો પારો ઘટી રહ્યો છે. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનમાં પલટો આવતા મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. 28મે અને 29મે ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, બનાસકાંઠા વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય આણંદ, વડોદરા, ભરૂચ, મહીસાગરમાં પણ વરસાદી માહોલ જામશે. 

આ વિસ્તારોમાં વરસી શકે છે માવઠું!

વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમયમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ગરમીથી આંશિક રાહત તો મળી પરંતુ આ વરસેલા વરસાદે જગતના તાતની ચિંતા વધારી. અનેક પાક નિષ્ફળ ગયા હતા. કેરીના પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટરબન્સ અને સાયક્લોનિસ સર્ક્યુલેશન સક્રિય થયું છે જેને કારણે 28મે અને 29મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં માવઠાને કારણે ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે. 



કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની કરાઈ આગાહી!

ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર તારીખ 28 મે  અને 29 મેના રોજ લોકસ કન્વેક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અમરેલી, બોટાદ, વડોદરા. ભરૂચના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તે સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. 


અંબાલાલ પટેલે પણ કરી હતી વરસાદની આગાહી! 

વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી હતી. અંબાલાલ પટેલે 25મે થી 29મે સુધીમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી હતી. તે સિવાય ભારે પવન ફૂંકાવાની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યત્વે ભાગોમાં વરસાદી માહોલ જામશે.



          




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.