ગુજરાત માટે ફરી કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી! આ તારીખે માવઠાને કારણે વધી શકે છે ધરતીપુત્રોની ચિંતા!


  • Published By :
  • Published Date : 2023-05-26 11:06:26

રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. તાપમાનનો પારો ઘટી રહ્યો છે. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનમાં પલટો આવતા મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. 28મે અને 29મે ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, બનાસકાંઠા વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય આણંદ, વડોદરા, ભરૂચ, મહીસાગરમાં પણ વરસાદી માહોલ જામશે. 

આ વિસ્તારોમાં વરસી શકે છે માવઠું!

વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમયમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ગરમીથી આંશિક રાહત તો મળી પરંતુ આ વરસેલા વરસાદે જગતના તાતની ચિંતા વધારી. અનેક પાક નિષ્ફળ ગયા હતા. કેરીના પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટરબન્સ અને સાયક્લોનિસ સર્ક્યુલેશન સક્રિય થયું છે જેને કારણે 28મે અને 29મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં માવઠાને કારણે ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે. 



કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની કરાઈ આગાહી!

ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર તારીખ 28 મે  અને 29 મેના રોજ લોકસ કન્વેક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અમરેલી, બોટાદ, વડોદરા. ભરૂચના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તે સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. 


અંબાલાલ પટેલે પણ કરી હતી વરસાદની આગાહી! 

વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી હતી. અંબાલાલ પટેલે 25મે થી 29મે સુધીમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી હતી. તે સિવાય ભારે પવન ફૂંકાવાની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યત્વે ભાગોમાં વરસાદી માહોલ જામશે.



          




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.