કમોસમી વરસાદ માટે આજે પણ કરવામાં આવી છે આગાહી! જાણો આજે ક્યાં વરસશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-05-30 14:28:03

હવામાન વિભાગે રાજ્ય માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. અનેક શહેરોમાં વરસાદની એન્ટ્રી થશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં માવઠું આવી રહ્યું છે. ત્યારે આજે પણ અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર અને નડિયાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાવવાને કારણે વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. માવઠાએ અનેક જગ્યાઓ પર વિનાશ પણ સર્જ્યો હતો. ગુજરાતમાં હજી પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  


રવિવારે વરસાદે કરી હતી ધમાકેદાર બેટિંગ! 

આ વખતે ઠંડીએ પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. જેને લઈ લાગતું હતું કે ગરમી પણ આ વખતે પોતાના રેકોર્ડ તોડ્શે. પરંતુ ઉનાળામાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘણા સમયથી દેશના અનેક રાજ્યો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક શહેરોમાં રવિવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રવિવારે અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસ્યો હતો. 


કમોસમી વરસાદે મચાવી તબાહી! 

સોમવારે પણ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે આજ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી પાટણ, પાલનપુર, મહેસાણા,નડિયાદ સહિતની જગ્યાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન એટલો ભયંકર વહેતો હતો કે વાવાઝોડા જેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. અનેક જગ્યાઓ પર ધૂળની ડમરીઓ પણ ઉડતી નજરે પડી હતી. પાટણથી એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પતરા ઉડતા દેખાતા હતા. સુરતથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા. 


આ જગ્યાઓ પર આવશે કમોસમી વરસાદ!

વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે. અમદાવાદ સહિત અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા. પંચમહાલ,ભરૂચ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે. વરસાદને કારણે નુકસાનીના પણ દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ઝાડો પણ ધરાશાયી થયા હતા.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.