કમોસમી વરસાદ માટે આજે પણ કરવામાં આવી છે આગાહી! જાણો આજે ક્યાં વરસશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-05-30 14:28:03

હવામાન વિભાગે રાજ્ય માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. અનેક શહેરોમાં વરસાદની એન્ટ્રી થશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં માવઠું આવી રહ્યું છે. ત્યારે આજે પણ અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર અને નડિયાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાવવાને કારણે વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. માવઠાએ અનેક જગ્યાઓ પર વિનાશ પણ સર્જ્યો હતો. ગુજરાતમાં હજી પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  


રવિવારે વરસાદે કરી હતી ધમાકેદાર બેટિંગ! 

આ વખતે ઠંડીએ પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. જેને લઈ લાગતું હતું કે ગરમી પણ આ વખતે પોતાના રેકોર્ડ તોડ્શે. પરંતુ ઉનાળામાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘણા સમયથી દેશના અનેક રાજ્યો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક શહેરોમાં રવિવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રવિવારે અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસ્યો હતો. 


કમોસમી વરસાદે મચાવી તબાહી! 

સોમવારે પણ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે આજ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી પાટણ, પાલનપુર, મહેસાણા,નડિયાદ સહિતની જગ્યાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન એટલો ભયંકર વહેતો હતો કે વાવાઝોડા જેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. અનેક જગ્યાઓ પર ધૂળની ડમરીઓ પણ ઉડતી નજરે પડી હતી. પાટણથી એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પતરા ઉડતા દેખાતા હતા. સુરતથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા. 


આ જગ્યાઓ પર આવશે કમોસમી વરસાદ!

વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે. અમદાવાદ સહિત અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા. પંચમહાલ,ભરૂચ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે. વરસાદને કારણે નુકસાનીના પણ દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ઝાડો પણ ધરાશાયી થયા હતા.       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.