કમોસમી વરસાદ માટે આજે પણ કરવામાં આવી છે આગાહી! જાણો આજે ક્યાં વરસશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-05-30 14:28:03

હવામાન વિભાગે રાજ્ય માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. અનેક શહેરોમાં વરસાદની એન્ટ્રી થશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં માવઠું આવી રહ્યું છે. ત્યારે આજે પણ અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર અને નડિયાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાવવાને કારણે વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. માવઠાએ અનેક જગ્યાઓ પર વિનાશ પણ સર્જ્યો હતો. ગુજરાતમાં હજી પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  


રવિવારે વરસાદે કરી હતી ધમાકેદાર બેટિંગ! 

આ વખતે ઠંડીએ પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. જેને લઈ લાગતું હતું કે ગરમી પણ આ વખતે પોતાના રેકોર્ડ તોડ્શે. પરંતુ ઉનાળામાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘણા સમયથી દેશના અનેક રાજ્યો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક શહેરોમાં રવિવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રવિવારે અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસ્યો હતો. 


કમોસમી વરસાદે મચાવી તબાહી! 

સોમવારે પણ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે આજ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી પાટણ, પાલનપુર, મહેસાણા,નડિયાદ સહિતની જગ્યાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન એટલો ભયંકર વહેતો હતો કે વાવાઝોડા જેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. અનેક જગ્યાઓ પર ધૂળની ડમરીઓ પણ ઉડતી નજરે પડી હતી. પાટણથી એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પતરા ઉડતા દેખાતા હતા. સુરતથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા. 


આ જગ્યાઓ પર આવશે કમોસમી વરસાદ!

વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે. અમદાવાદ સહિત અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા. પંચમહાલ,ભરૂચ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે. વરસાદને કારણે નુકસાનીના પણ દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ઝાડો પણ ધરાશાયી થયા હતા.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.