કમોસમી વરસાદ માટે આજે પણ કરવામાં આવી છે આગાહી! જાણો આજે ક્યાં વરસશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-05-30 14:28:03

હવામાન વિભાગે રાજ્ય માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. અનેક શહેરોમાં વરસાદની એન્ટ્રી થશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં માવઠું આવી રહ્યું છે. ત્યારે આજે પણ અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર અને નડિયાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાવવાને કારણે વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. માવઠાએ અનેક જગ્યાઓ પર વિનાશ પણ સર્જ્યો હતો. ગુજરાતમાં હજી પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  


રવિવારે વરસાદે કરી હતી ધમાકેદાર બેટિંગ! 

આ વખતે ઠંડીએ પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. જેને લઈ લાગતું હતું કે ગરમી પણ આ વખતે પોતાના રેકોર્ડ તોડ્શે. પરંતુ ઉનાળામાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘણા સમયથી દેશના અનેક રાજ્યો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક શહેરોમાં રવિવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રવિવારે અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસ્યો હતો. 


કમોસમી વરસાદે મચાવી તબાહી! 

સોમવારે પણ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે આજ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી પાટણ, પાલનપુર, મહેસાણા,નડિયાદ સહિતની જગ્યાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન એટલો ભયંકર વહેતો હતો કે વાવાઝોડા જેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. અનેક જગ્યાઓ પર ધૂળની ડમરીઓ પણ ઉડતી નજરે પડી હતી. પાટણથી એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પતરા ઉડતા દેખાતા હતા. સુરતથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા. 


આ જગ્યાઓ પર આવશે કમોસમી વરસાદ!

વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે. અમદાવાદ સહિત અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા. પંચમહાલ,ભરૂચ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે. વરસાદને કારણે નુકસાનીના પણ દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ઝાડો પણ ધરાશાયી થયા હતા.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.