કમોસમી વરસાદે ખેડૂતોને ભર ઉનાળે રડાવ્યા! પાકને થયેલા નુકસાન માટે સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-03-21 17:37:05

ઉનાળામાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. અનેક જગ્યાઓ પર વરસેલા કમોસમી વરસાદે પાકોને મોટા પાયે નુકસાન કરાવ્યું છે. જેને કારણે ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. માવઠાને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારના ખેડૂતોને ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે. કમોસમી વરસાદને કારણે કોઈના જીરાનો પાકને નુકસાન થયું છે તો કોઈનો કપાસના પાકને નુકસાન થયું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વરસાદ પડતા તલ, જીરૂ, રાયડો, વરિયાળી સહિતના પાકોને નુકસાન થયું હતું. ત્યારે પોતાની વાત સરકાર સુધી પહોંચે તે માટે ખેડૂતો અલગ અલગ રસ્તા અપનાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતોઓ મડદાના કપડા એટલે કે ખાપણ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

   

ખરખરો કરી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ 

રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ માવઠું આવવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર સુધી માવઠાને કારણે થયેલા નુકસાન અંગેની વાત પહોંચે તે માટે ખેડૂતો અલગ અલગ રસ્તો અપનાવી વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર પંચાયત ખેતીવાડી અધિકારીને ખરોખરો કરી રજૂઆત કરી હતી કે તાત્કાલિક સર્વે કરીને પાક વિમો આપવામાં આવે છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે