કમોસમી વરસાદે ખેડૂતોને ભર ઉનાળે રડાવ્યા! પાકને થયેલા નુકસાન માટે સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-03-21 17:37:05

ઉનાળામાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. અનેક જગ્યાઓ પર વરસેલા કમોસમી વરસાદે પાકોને મોટા પાયે નુકસાન કરાવ્યું છે. જેને કારણે ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. માવઠાને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારના ખેડૂતોને ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે. કમોસમી વરસાદને કારણે કોઈના જીરાનો પાકને નુકસાન થયું છે તો કોઈનો કપાસના પાકને નુકસાન થયું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વરસાદ પડતા તલ, જીરૂ, રાયડો, વરિયાળી સહિતના પાકોને નુકસાન થયું હતું. ત્યારે પોતાની વાત સરકાર સુધી પહોંચે તે માટે ખેડૂતો અલગ અલગ રસ્તા અપનાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતોઓ મડદાના કપડા એટલે કે ખાપણ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

   

ખરખરો કરી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ 

રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ માવઠું આવવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર સુધી માવઠાને કારણે થયેલા નુકસાન અંગેની વાત પહોંચે તે માટે ખેડૂતો અલગ અલગ રસ્તો અપનાવી વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર પંચાયત ખેતીવાડી અધિકારીને ખરોખરો કરી રજૂઆત કરી હતી કે તાત્કાલિક સર્વે કરીને પાક વિમો આપવામાં આવે છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.