કમોસમી વરસાદે ખેડૂતોને ભર ઉનાળે રડાવ્યા! પાકને થયેલા નુકસાન માટે સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-03-21 17:37:05

ઉનાળામાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. અનેક જગ્યાઓ પર વરસેલા કમોસમી વરસાદે પાકોને મોટા પાયે નુકસાન કરાવ્યું છે. જેને કારણે ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. માવઠાને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારના ખેડૂતોને ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે. કમોસમી વરસાદને કારણે કોઈના જીરાનો પાકને નુકસાન થયું છે તો કોઈનો કપાસના પાકને નુકસાન થયું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વરસાદ પડતા તલ, જીરૂ, રાયડો, વરિયાળી સહિતના પાકોને નુકસાન થયું હતું. ત્યારે પોતાની વાત સરકાર સુધી પહોંચે તે માટે ખેડૂતો અલગ અલગ રસ્તા અપનાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતોઓ મડદાના કપડા એટલે કે ખાપણ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

   

ખરખરો કરી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ 

રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ માવઠું આવવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર સુધી માવઠાને કારણે થયેલા નુકસાન અંગેની વાત પહોંચે તે માટે ખેડૂતો અલગ અલગ રસ્તો અપનાવી વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર પંચાયત ખેતીવાડી અધિકારીને ખરોખરો કરી રજૂઆત કરી હતી કે તાત્કાલિક સર્વે કરીને પાક વિમો આપવામાં આવે છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.