આગામી 24 કલાક રાજ્યમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હોળી દહન દરમિયાન પણ વરસ્યો હતો વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-07 10:21:12

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હોળી સમયે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માર્ચમાં માવઠું પડી રહ્યું છે. સોમવારે રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ભરૂચ, નર્મદા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, પાટણ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હોળી પર્વની ઉજવણી વરસાદ વચ્ચે કરવામાં આવી હતી.



રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો 

છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં, સુરતમાં, અમદાવાદ,ડાંગ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. અનેક સ્થળો પર કરા પણ વરસ્યા હતા. વરસાદને કારણે હોળી દહનમાં પણ વિધ્ન આવ્યું હતું. છાણા તેમજ લાકડાઓ પલળી ગયા હતા. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક સ્થળો પર વીજળી પડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. રાજ્યના 56 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આગાહી પ્રમાણે બનાસકાંઠા, અમરેલી, વલસાડ. દમણ, સોમનાથ, જૂનાગઢ સહિત સુરત, તાપી,નર્મદા, દીવમાં વરસાદ વરસી શકે છે. 

કેટલાક સ્થળે કરા પડ્યા


કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા 

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરી છે. વાતાવરણમાં પલટો આવતા સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. મિશ્ર વાતાવરણને કારણે લોકોમાં શરદી-ખાંસીના લક્ષણો જોવા મળી રહ્યા છે. ઉપરાંત ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.