આગામી 24 કલાક રાજ્યમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હોળી દહન દરમિયાન પણ વરસ્યો હતો વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-07 10:21:12

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હોળી સમયે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માર્ચમાં માવઠું પડી રહ્યું છે. સોમવારે રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ભરૂચ, નર્મદા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, પાટણ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હોળી પર્વની ઉજવણી વરસાદ વચ્ચે કરવામાં આવી હતી.



રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો 

છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં, સુરતમાં, અમદાવાદ,ડાંગ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. અનેક સ્થળો પર કરા પણ વરસ્યા હતા. વરસાદને કારણે હોળી દહનમાં પણ વિધ્ન આવ્યું હતું. છાણા તેમજ લાકડાઓ પલળી ગયા હતા. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક સ્થળો પર વીજળી પડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. રાજ્યના 56 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આગાહી પ્રમાણે બનાસકાંઠા, અમરેલી, વલસાડ. દમણ, સોમનાથ, જૂનાગઢ સહિત સુરત, તાપી,નર્મદા, દીવમાં વરસાદ વરસી શકે છે. 

કેટલાક સ્થળે કરા પડ્યા


કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા 

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરી છે. વાતાવરણમાં પલટો આવતા સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. મિશ્ર વાતાવરણને કારણે લોકોમાં શરદી-ખાંસીના લક્ષણો જોવા મળી રહ્યા છે. ઉપરાંત ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.