આગામી 24 કલાક રાજ્યમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હોળી દહન દરમિયાન પણ વરસ્યો હતો વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-07 10:21:12

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હોળી સમયે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માર્ચમાં માવઠું પડી રહ્યું છે. સોમવારે રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ભરૂચ, નર્મદા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, પાટણ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હોળી પર્વની ઉજવણી વરસાદ વચ્ચે કરવામાં આવી હતી.



રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો 

છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં, સુરતમાં, અમદાવાદ,ડાંગ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. અનેક સ્થળો પર કરા પણ વરસ્યા હતા. વરસાદને કારણે હોળી દહનમાં પણ વિધ્ન આવ્યું હતું. છાણા તેમજ લાકડાઓ પલળી ગયા હતા. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક સ્થળો પર વીજળી પડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. રાજ્યના 56 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આગાહી પ્રમાણે બનાસકાંઠા, અમરેલી, વલસાડ. દમણ, સોમનાથ, જૂનાગઢ સહિત સુરત, તાપી,નર્મદા, દીવમાં વરસાદ વરસી શકે છે. 

કેટલાક સ્થળે કરા પડ્યા


કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા 

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરી છે. વાતાવરણમાં પલટો આવતા સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. મિશ્ર વાતાવરણને કારણે લોકોમાં શરદી-ખાંસીના લક્ષણો જોવા મળી રહ્યા છે. ઉપરાંત ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.