આગામી 24 કલાક રાજ્યમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હોળી દહન દરમિયાન પણ વરસ્યો હતો વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-07 10:21:12

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હોળી સમયે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માર્ચમાં માવઠું પડી રહ્યું છે. સોમવારે રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ભરૂચ, નર્મદા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, પાટણ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હોળી પર્વની ઉજવણી વરસાદ વચ્ચે કરવામાં આવી હતી.



રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો 

છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં, સુરતમાં, અમદાવાદ,ડાંગ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. અનેક સ્થળો પર કરા પણ વરસ્યા હતા. વરસાદને કારણે હોળી દહનમાં પણ વિધ્ન આવ્યું હતું. છાણા તેમજ લાકડાઓ પલળી ગયા હતા. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક સ્થળો પર વીજળી પડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. રાજ્યના 56 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આગાહી પ્રમાણે બનાસકાંઠા, અમરેલી, વલસાડ. દમણ, સોમનાથ, જૂનાગઢ સહિત સુરત, તાપી,નર્મદા, દીવમાં વરસાદ વરસી શકે છે. 

કેટલાક સ્થળે કરા પડ્યા


કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા 

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરી છે. વાતાવરણમાં પલટો આવતા સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. મિશ્ર વાતાવરણને કારણે લોકોમાં શરદી-ખાંસીના લક્ષણો જોવા મળી રહ્યા છે. ઉપરાંત ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.