અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-23 21:29:59

રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આજે ઢળતી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના ઘણા વિસ્તારમાં સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. શહેરના આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા, ત્યાર બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદના સેટેલાઇટ, પ્રહલાદનગર, સરખેજ, એસજી હાઇવે, ગોતા, શિવરંજની, થલતેજ, બોપલ, ઘુમા,નિધરાડ, સાણંદ, એસ.જી હાઈવે, જીવરાજ પાર્ક વગેરે વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તે જ પ્રમાણે રાજ્યના વિવિધ ભાગોમાં પણ ધોધમાર કમોસમી વરસાદ થતા ખેડુતોની સ્થિતી ચિંતાજનક બની છે.


સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર


રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલીના ધારી, સાવરકુંડલા, રાજુલા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તે સિવાય રાજુલાના અમૂલી, બાબરીયાધાર, બાલાપર ડુંગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધારીના લાખાપાદર, હીરાવા, જીરા, ડાભાળી, વીરપુર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આંબરડી, વીજપડી, ભમર, ખડસલી, છાપરી, મેરિયાણામાં વરસાદ વરસ્યો હતો.આંબરડી ગામની વચ્ચેથી પસાર થતી નેવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. તે જ પ્રકારે ભાવનગર શહેરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળિયાબીડ, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ભાવનગર શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. મહુવાના કળમોદર, વાવડી, કોટિયા ગામમાં વરસાદ વરસ્યો હતો. મહુવાના નવાગામ, રતનપર સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો.


ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું


કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. શિયાળામાં આ વખતે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી અને ધાણાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.


હજુ બે દિવસ કમોસમી વરસાદ


હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આવું જ વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે. એટલે કે હજુ બે દિવસ માવઠુ થશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. 48 કલાક બાદ માવઠાથી છૂટકારો મળવાની શક્યતા છે.



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...