રાજ્યમાં આવશે કમોસમી વરસાદ! જાણો આવનારા દિવસો દરમિયાન કેવું રહેશે રાજ્યનું હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી આ આગાહી...


  • Published By :
  • Published Date : 2024-02-19 15:58:34

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પ્રતિદિન ઘટી રહ્યું છે. બપોરના સમયે તો ગરમી લાગતી હતી પરંતુ હવે રાતના સમયે પંખો ચાલું રાખીને સૂઈ જઈએ તો ઠંડી નથી લાગતી તેવી પરિસ્થિતિ છે. ધીમે ધીમે ઠંડી વિદાય લઈ રહી છે. આવનાર સમયમાં ગુજરાત સહિત અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે અનુસાર આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ આવી શકે છે. હવામાન વિભાગની આગાહીને કારણે જગતના તાતની ચિંતા વધી છે.



આગામી દિવસોમાં આવી શકે છે કમોસમી વરસાદ!

ગરમીની શરૂઆત ધીરે ધીરે થઈ રહી હતી. સવારે અને રાત્રે ઠંડી લાગે જ્યારે બપોરના સમયે ગરમી લાગતી હતી. તાપમાનનો પારો એટલો વધી જતો હતો કે પંખો કરવો પડતો હતો. ગરમીને જોઈ લોકો કહેતા હતા કે હમણાં આવી પરિસ્થિતિ છે તો વિચારો ઉનાળામાં કેવી પરિસ્થિતિ થશે? ઉનાળામાં કેટલી ગરમી પડશે વગેરે વગેરે... આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



જાણો હવામાન વિભાગની તેમજ હવામાન નિષ્ણાતની આગાહી શું કહે છે?  

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આગામી બે દિવસો દરમિયાન છુટો છવાયો વરસાદ આવી શકે છે. 19-20 ફેબ્રુઆરી દરમિયાન છૂટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઠંડી તેમજ માવઠાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ગુજરાતના અનેક ભાગો પર જોવા મળી શકે છે. આગાહી કરતા તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. ઠંડીને લઈ આગાહી કરતા તેમણે કહ્યું કે માર્ચમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. રાત્રીના સમયે ઠંડા પવનો ફૂંકાશે જ્યારે બપોરના સમયે ગરમી લાગશે. 



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.