રાજ્યમાં આવશે કમોસમી વરસાદ! જાણો આવનારા દિવસો દરમિયાન કેવું રહેશે રાજ્યનું હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી આ આગાહી...


  • Published By :
  • Published Date : 2024-02-19 15:58:34

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પ્રતિદિન ઘટી રહ્યું છે. બપોરના સમયે તો ગરમી લાગતી હતી પરંતુ હવે રાતના સમયે પંખો ચાલું રાખીને સૂઈ જઈએ તો ઠંડી નથી લાગતી તેવી પરિસ્થિતિ છે. ધીમે ધીમે ઠંડી વિદાય લઈ રહી છે. આવનાર સમયમાં ગુજરાત સહિત અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે અનુસાર આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ આવી શકે છે. હવામાન વિભાગની આગાહીને કારણે જગતના તાતની ચિંતા વધી છે.



આગામી દિવસોમાં આવી શકે છે કમોસમી વરસાદ!

ગરમીની શરૂઆત ધીરે ધીરે થઈ રહી હતી. સવારે અને રાત્રે ઠંડી લાગે જ્યારે બપોરના સમયે ગરમી લાગતી હતી. તાપમાનનો પારો એટલો વધી જતો હતો કે પંખો કરવો પડતો હતો. ગરમીને જોઈ લોકો કહેતા હતા કે હમણાં આવી પરિસ્થિતિ છે તો વિચારો ઉનાળામાં કેવી પરિસ્થિતિ થશે? ઉનાળામાં કેટલી ગરમી પડશે વગેરે વગેરે... આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



જાણો હવામાન વિભાગની તેમજ હવામાન નિષ્ણાતની આગાહી શું કહે છે?  

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આગામી બે દિવસો દરમિયાન છુટો છવાયો વરસાદ આવી શકે છે. 19-20 ફેબ્રુઆરી દરમિયાન છૂટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઠંડી તેમજ માવઠાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ગુજરાતના અનેક ભાગો પર જોવા મળી શકે છે. આગાહી કરતા તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. ઠંડીને લઈ આગાહી કરતા તેમણે કહ્યું કે માર્ચમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. રાત્રીના સમયે ઠંડા પવનો ફૂંકાશે જ્યારે બપોરના સમયે ગરમી લાગશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.