રાજ્યમાં આવશે કમોસમી વરસાદ! જાણો આવનારા દિવસો દરમિયાન કેવું રહેશે રાજ્યનું હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી આ આગાહી...


  • Published By :
  • Published Date : 2024-02-19 15:58:34

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પ્રતિદિન ઘટી રહ્યું છે. બપોરના સમયે તો ગરમી લાગતી હતી પરંતુ હવે રાતના સમયે પંખો ચાલું રાખીને સૂઈ જઈએ તો ઠંડી નથી લાગતી તેવી પરિસ્થિતિ છે. ધીમે ધીમે ઠંડી વિદાય લઈ રહી છે. આવનાર સમયમાં ગુજરાત સહિત અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે અનુસાર આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ આવી શકે છે. હવામાન વિભાગની આગાહીને કારણે જગતના તાતની ચિંતા વધી છે.



આગામી દિવસોમાં આવી શકે છે કમોસમી વરસાદ!

ગરમીની શરૂઆત ધીરે ધીરે થઈ રહી હતી. સવારે અને રાત્રે ઠંડી લાગે જ્યારે બપોરના સમયે ગરમી લાગતી હતી. તાપમાનનો પારો એટલો વધી જતો હતો કે પંખો કરવો પડતો હતો. ગરમીને જોઈ લોકો કહેતા હતા કે હમણાં આવી પરિસ્થિતિ છે તો વિચારો ઉનાળામાં કેવી પરિસ્થિતિ થશે? ઉનાળામાં કેટલી ગરમી પડશે વગેરે વગેરે... આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



જાણો હવામાન વિભાગની તેમજ હવામાન નિષ્ણાતની આગાહી શું કહે છે?  

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આગામી બે દિવસો દરમિયાન છુટો છવાયો વરસાદ આવી શકે છે. 19-20 ફેબ્રુઆરી દરમિયાન છૂટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઠંડી તેમજ માવઠાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ગુજરાતના અનેક ભાગો પર જોવા મળી શકે છે. આગાહી કરતા તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. ઠંડીને લઈ આગાહી કરતા તેમણે કહ્યું કે માર્ચમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. રાત્રીના સમયે ઠંડા પવનો ફૂંકાશે જ્યારે બપોરના સમયે ગરમી લાગશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.