રાજ્યમાં આવશે કમોસમી વરસાદ! જાણો આવનારા દિવસો દરમિયાન કેવું રહેશે રાજ્યનું હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી આ આગાહી...


  • Published By :
  • Published Date : 2024-02-19 15:58:34

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પ્રતિદિન ઘટી રહ્યું છે. બપોરના સમયે તો ગરમી લાગતી હતી પરંતુ હવે રાતના સમયે પંખો ચાલું રાખીને સૂઈ જઈએ તો ઠંડી નથી લાગતી તેવી પરિસ્થિતિ છે. ધીમે ધીમે ઠંડી વિદાય લઈ રહી છે. આવનાર સમયમાં ગુજરાત સહિત અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે અનુસાર આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ આવી શકે છે. હવામાન વિભાગની આગાહીને કારણે જગતના તાતની ચિંતા વધી છે.



આગામી દિવસોમાં આવી શકે છે કમોસમી વરસાદ!

ગરમીની શરૂઆત ધીરે ધીરે થઈ રહી હતી. સવારે અને રાત્રે ઠંડી લાગે જ્યારે બપોરના સમયે ગરમી લાગતી હતી. તાપમાનનો પારો એટલો વધી જતો હતો કે પંખો કરવો પડતો હતો. ગરમીને જોઈ લોકો કહેતા હતા કે હમણાં આવી પરિસ્થિતિ છે તો વિચારો ઉનાળામાં કેવી પરિસ્થિતિ થશે? ઉનાળામાં કેટલી ગરમી પડશે વગેરે વગેરે... આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



જાણો હવામાન વિભાગની તેમજ હવામાન નિષ્ણાતની આગાહી શું કહે છે?  

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આગામી બે દિવસો દરમિયાન છુટો છવાયો વરસાદ આવી શકે છે. 19-20 ફેબ્રુઆરી દરમિયાન છૂટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઠંડી તેમજ માવઠાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ગુજરાતના અનેક ભાગો પર જોવા મળી શકે છે. આગાહી કરતા તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. ઠંડીને લઈ આગાહી કરતા તેમણે કહ્યું કે માર્ચમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. રાત્રીના સમયે ઠંડા પવનો ફૂંકાશે જ્યારે બપોરના સમયે ગરમી લાગશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.