રાજ્યના અનેક જિલ્લાઓ માટે કરાઈ છે કમોસમી વરસાદની આગાહી, માવઠાને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-06 09:37:16

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શનિવારે પણ અનેક જિલ્લાઓમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે આગામી ચાર-પાંચ દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક જિલ્લામાં વરસી શકે છે કમોસમી વરસાદ   

શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો તેવી જ રીતે આ વર્ષે ઉનાળામાં આકરો તાપ રહેશે તેવું લાગી રહ્યું છે. ઉનાળાની વચ્ચે જ કમોસમી વરસાદનું આગમન થઈ ગયું છે. ડાંગ, અમદાવાદ તેમજ બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે  રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર તેમજ અમરેલીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ખેડૂતોને આવ્યો રડવાનો વારો 

ઉનાળાની શરૂઆતમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ માવઠાને કારણે પાક નિષ્ફળ જવાની ભીતી સેવી રહ્યા છે. ઉપરાંત અનેક એપીએમસીથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વરસાદને કારણે પાક પલળી ગયો છે. ખુલ્લા પડેલા પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. ઉપરાંત ખેતરમાં થયેલા પાકને પણ માવઠાને કારણે નુકસાન થતું હોય છે. લસણ, જીરું, ઘઉં તેમજ મરચાના પાકને કમોસમી વસસાદને કારણે નુકસાન થયું છે. જગતના તાતની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.