રાજ્યના અનેક જિલ્લાઓ માટે કરાઈ છે કમોસમી વરસાદની આગાહી, માવઠાને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-06 09:37:16

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શનિવારે પણ અનેક જિલ્લાઓમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે આગામી ચાર-પાંચ દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક જિલ્લામાં વરસી શકે છે કમોસમી વરસાદ   

શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો તેવી જ રીતે આ વર્ષે ઉનાળામાં આકરો તાપ રહેશે તેવું લાગી રહ્યું છે. ઉનાળાની વચ્ચે જ કમોસમી વરસાદનું આગમન થઈ ગયું છે. ડાંગ, અમદાવાદ તેમજ બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે  રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર તેમજ અમરેલીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ખેડૂતોને આવ્યો રડવાનો વારો 

ઉનાળાની શરૂઆતમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ માવઠાને કારણે પાક નિષ્ફળ જવાની ભીતી સેવી રહ્યા છે. ઉપરાંત અનેક એપીએમસીથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વરસાદને કારણે પાક પલળી ગયો છે. ખુલ્લા પડેલા પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. ઉપરાંત ખેતરમાં થયેલા પાકને પણ માવઠાને કારણે નુકસાન થતું હોય છે. લસણ, જીરું, ઘઉં તેમજ મરચાના પાકને કમોસમી વસસાદને કારણે નુકસાન થયું છે. જગતના તાતની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.