રાજ્યના અનેક જિલ્લાઓ માટે કરાઈ છે કમોસમી વરસાદની આગાહી, માવઠાને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-06 09:37:16

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શનિવારે પણ અનેક જિલ્લાઓમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે આગામી ચાર-પાંચ દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક જિલ્લામાં વરસી શકે છે કમોસમી વરસાદ   

શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો તેવી જ રીતે આ વર્ષે ઉનાળામાં આકરો તાપ રહેશે તેવું લાગી રહ્યું છે. ઉનાળાની વચ્ચે જ કમોસમી વરસાદનું આગમન થઈ ગયું છે. ડાંગ, અમદાવાદ તેમજ બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે  રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર તેમજ અમરેલીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ખેડૂતોને આવ્યો રડવાનો વારો 

ઉનાળાની શરૂઆતમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ માવઠાને કારણે પાક નિષ્ફળ જવાની ભીતી સેવી રહ્યા છે. ઉપરાંત અનેક એપીએમસીથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વરસાદને કારણે પાક પલળી ગયો છે. ખુલ્લા પડેલા પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. ઉપરાંત ખેતરમાં થયેલા પાકને પણ માવઠાને કારણે નુકસાન થતું હોય છે. લસણ, જીરું, ઘઉં તેમજ મરચાના પાકને કમોસમી વસસાદને કારણે નુકસાન થયું છે. જગતના તાતની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.