રાજ્યના અનેક જિલ્લાઓ માટે કરાઈ છે કમોસમી વરસાદની આગાહી, માવઠાને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-06 09:37:16

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શનિવારે પણ અનેક જિલ્લાઓમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે આગામી ચાર-પાંચ દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક જિલ્લામાં વરસી શકે છે કમોસમી વરસાદ   

શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો તેવી જ રીતે આ વર્ષે ઉનાળામાં આકરો તાપ રહેશે તેવું લાગી રહ્યું છે. ઉનાળાની વચ્ચે જ કમોસમી વરસાદનું આગમન થઈ ગયું છે. ડાંગ, અમદાવાદ તેમજ બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે  રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર તેમજ અમરેલીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ખેડૂતોને આવ્યો રડવાનો વારો 

ઉનાળાની શરૂઆતમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ માવઠાને કારણે પાક નિષ્ફળ જવાની ભીતી સેવી રહ્યા છે. ઉપરાંત અનેક એપીએમસીથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વરસાદને કારણે પાક પલળી ગયો છે. ખુલ્લા પડેલા પાકને મોટા પાયે નુકસાન થતું હોય છે. ઉપરાંત ખેતરમાં થયેલા પાકને પણ માવઠાને કારણે નુકસાન થતું હોય છે. લસણ, જીરું, ઘઉં તેમજ મરચાના પાકને કમોસમી વસસાદને કારણે નુકસાન થયું છે. જગતના તાતની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.