ગુજરાતના અનેક શહેરોમાં વરસ્યો કમોસમી વરસાદ, વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-01-28 08:36:54

એક તરફ કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા હતા. તે દરમિયાન હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક શહેરો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે સાચી પૂરવાર થઈ છે. ગત મોડી રાત્રે અનેક શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સુરત, ભાવનગર, ભરૂચ સહિતના શહેરોમાં ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

 સુરત ગ્રામ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોડીરાત્રે સુરત ગ્રામ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું થયું છે. ચોમાસામાં વરસાદ હોય એમ મોડીરાત્રે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે કમોસમી વરસાદ પડ્યો છે. સાવલી તાલુકાના ગામોમાં માવઠું થયું છે. ભરશિયાળે તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે.

અનેક શહેરોમાં વરસ્યો કમોસમી વરસાદ

રાજ્યમાં થોડા સમયથી હાડ થીજાવતી ઠંડીનો  અનુભવ લોકો કરી રહ્યા છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. ગુજરાતના અનેક શહેરોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે મુજબ સુરત, ભાવનગર જેવા શહેરોના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. 

 ભરૂચ જીલ્લામાં માવઠાની અસર જોવા મળી રહી છે. દહેજ પંથકના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અહીં વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોના શિયાળુ પાકને નુકશાન થવાની ભીતી છે.

અચાનક વાતાવરણમાં આવ્યો પલટો 

સુરત,ભાવનગર, ભરૂચ સિવાય આણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત વડોદરામાં પણ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ વરસવાને કારણે અનેક શહેરોમાં ઠંડીનું જોર ઘટી ગયું છે. આગામી 48 કલાક સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી કલાકો દરમિયાન વાતાવરણ વાદળછાયું તેમજ ભેજવાળું રહેશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.