ગુજરાતના અનેક શહેરોમાં વરસ્યો કમોસમી વરસાદ, વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-01-28 08:36:54

એક તરફ કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા હતા. તે દરમિયાન હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક શહેરો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે સાચી પૂરવાર થઈ છે. ગત મોડી રાત્રે અનેક શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સુરત, ભાવનગર, ભરૂચ સહિતના શહેરોમાં ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

 સુરત ગ્રામ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોડીરાત્રે સુરત ગ્રામ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું થયું છે. ચોમાસામાં વરસાદ હોય એમ મોડીરાત્રે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે કમોસમી વરસાદ પડ્યો છે. સાવલી તાલુકાના ગામોમાં માવઠું થયું છે. ભરશિયાળે તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે.

અનેક શહેરોમાં વરસ્યો કમોસમી વરસાદ

રાજ્યમાં થોડા સમયથી હાડ થીજાવતી ઠંડીનો  અનુભવ લોકો કરી રહ્યા છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. ગુજરાતના અનેક શહેરોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે મુજબ સુરત, ભાવનગર જેવા શહેરોના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. 

 ભરૂચ જીલ્લામાં માવઠાની અસર જોવા મળી રહી છે. દહેજ પંથકના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અહીં વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોના શિયાળુ પાકને નુકશાન થવાની ભીતી છે.

અચાનક વાતાવરણમાં આવ્યો પલટો 

સુરત,ભાવનગર, ભરૂચ સિવાય આણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત વડોદરામાં પણ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ વરસવાને કારણે અનેક શહેરોમાં ઠંડીનું જોર ઘટી ગયું છે. આગામી 48 કલાક સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી કલાકો દરમિયાન વાતાવરણ વાદળછાયું તેમજ ભેજવાળું રહેશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.