ગુજરાતના અનેક શહેરોમાં વરસ્યો કમોસમી વરસાદ, વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-01-28 08:36:54

એક તરફ કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા હતા. તે દરમિયાન હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક શહેરો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે સાચી પૂરવાર થઈ છે. ગત મોડી રાત્રે અનેક શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સુરત, ભાવનગર, ભરૂચ સહિતના શહેરોમાં ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

 સુરત ગ્રામ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોડીરાત્રે સુરત ગ્રામ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું થયું છે. ચોમાસામાં વરસાદ હોય એમ મોડીરાત્રે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે કમોસમી વરસાદ પડ્યો છે. સાવલી તાલુકાના ગામોમાં માવઠું થયું છે. ભરશિયાળે તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે.

અનેક શહેરોમાં વરસ્યો કમોસમી વરસાદ

રાજ્યમાં થોડા સમયથી હાડ થીજાવતી ઠંડીનો  અનુભવ લોકો કરી રહ્યા છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. ગુજરાતના અનેક શહેરોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે મુજબ સુરત, ભાવનગર જેવા શહેરોના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. 

 ભરૂચ જીલ્લામાં માવઠાની અસર જોવા મળી રહી છે. દહેજ પંથકના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અહીં વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોના શિયાળુ પાકને નુકશાન થવાની ભીતી છે.

અચાનક વાતાવરણમાં આવ્યો પલટો 

સુરત,ભાવનગર, ભરૂચ સિવાય આણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત વડોદરામાં પણ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ વરસવાને કારણે અનેક શહેરોમાં ઠંડીનું જોર ઘટી ગયું છે. આગામી 48 કલાક સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી કલાકો દરમિયાન વાતાવરણ વાદળછાયું તેમજ ભેજવાળું રહેશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.