રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ થઈ શકે છે કમોસમી વરસાદ, માવઠાને કારણે જગતના તાતની વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-08 11:11:40

થોડા દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં માવઠાને કારણે જગતનો તાત ચિંતિત થયો છે. ત્યારે આજે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.


કરા સાથે અનેક સ્થળો પર પડ્યો કમોસમી વરસાદ 

ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા સહિત ગાંધીનગર માટે કમોસમી વરસાદ વરસવાનું અનુમાન કરવામાં આવ્યું છે. વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. 


માવઠાને કારણે કેરીના પાકને થયું નુકસાન 

એકાએક વરસાદ વરસવાને કારણે ખેડૂતો ચિંતિત થયા છે. પાક બગડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે કેરી, તરબુચ જેવા પાકોને મોટા પાયે નુકસાન થયું છે. ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે કેરીને પણ નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. જેને કારણે આવનાર દિવસોમાં મોંઘા ભાવે કેરી ખરીદવી પડી શકે છે. કેરીના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે તેવું લાગી રહ્યું છે.      




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.