રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ થઈ શકે છે કમોસમી વરસાદ, માવઠાને કારણે જગતના તાતની વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-08 11:11:40

થોડા દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં માવઠાને કારણે જગતનો તાત ચિંતિત થયો છે. ત્યારે આજે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.


કરા સાથે અનેક સ્થળો પર પડ્યો કમોસમી વરસાદ 

ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા સહિત ગાંધીનગર માટે કમોસમી વરસાદ વરસવાનું અનુમાન કરવામાં આવ્યું છે. વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. 


માવઠાને કારણે કેરીના પાકને થયું નુકસાન 

એકાએક વરસાદ વરસવાને કારણે ખેડૂતો ચિંતિત થયા છે. પાક બગડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે કેરી, તરબુચ જેવા પાકોને મોટા પાયે નુકસાન થયું છે. ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે કેરીને પણ નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. જેને કારણે આવનાર દિવસોમાં મોંઘા ભાવે કેરી ખરીદવી પડી શકે છે. કેરીના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે તેવું લાગી રહ્યું છે.      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.