રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ થઈ શકે છે કમોસમી વરસાદ, માવઠાને કારણે જગતના તાતની વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-08 11:11:40

થોડા દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં માવઠાને કારણે જગતનો તાત ચિંતિત થયો છે. ત્યારે આજે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.


કરા સાથે અનેક સ્થળો પર પડ્યો કમોસમી વરસાદ 

ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા સહિત ગાંધીનગર માટે કમોસમી વરસાદ વરસવાનું અનુમાન કરવામાં આવ્યું છે. વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. 


માવઠાને કારણે કેરીના પાકને થયું નુકસાન 

એકાએક વરસાદ વરસવાને કારણે ખેડૂતો ચિંતિત થયા છે. પાક બગડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે કેરી, તરબુચ જેવા પાકોને મોટા પાયે નુકસાન થયું છે. ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે કેરીને પણ નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. જેને કારણે આવનાર દિવસોમાં મોંઘા ભાવે કેરી ખરીદવી પડી શકે છે. કેરીના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે તેવું લાગી રહ્યું છે.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.