રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ થઈ શકે છે કમોસમી વરસાદ, માવઠાને કારણે જગતના તાતની વધી ચિંતા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-08 11:11:40

થોડા દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં માવઠાને કારણે જગતનો તાત ચિંતિત થયો છે. ત્યારે આજે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.


કરા સાથે અનેક સ્થળો પર પડ્યો કમોસમી વરસાદ 

ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા સહિત ગાંધીનગર માટે કમોસમી વરસાદ વરસવાનું અનુમાન કરવામાં આવ્યું છે. વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. 


માવઠાને કારણે કેરીના પાકને થયું નુકસાન 

એકાએક વરસાદ વરસવાને કારણે ખેડૂતો ચિંતિત થયા છે. પાક બગડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે કેરી, તરબુચ જેવા પાકોને મોટા પાયે નુકસાન થયું છે. ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે કેરીને પણ નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. જેને કારણે આવનાર દિવસોમાં મોંઘા ભાવે કેરી ખરીદવી પડી શકે છે. કેરીના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે તેવું લાગી રહ્યું છે.      




બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.