રાજ્યમાં હજુ નથી ટળ્યું માવઠાનું સંકટ, આ તારીખે ફરી તૂટી પડશે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-04-02 18:47:20

ગુજરાત પર હજુ પણ માવઠાનો ખતરો તોળાઈ રહ્યો છે, રાજ્યમાં ફરી એક વખત ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ફરી એક વખત માવઠાની આગાહી કરતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે.


આ જિલ્લામાં થશે કમોસમી વરસાદ


રાજ્યમાં 5 અને 6 એપ્રીલે ફરી એક વખત આસમાની આફતરૂપી કમોસમી વરસાદ થાય તેની હવામાન વિભાગે  આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થઈ શકે છે. હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદ પહેલા ગરમીનો પારો ઉંચો જશે. ઉતર પશ્ચિમના પવન ફૂંકાતા જ મહત્તમ તામપાનમાં 2 થી 4 ડિગ્રી વધી જશે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારે 35 ડિગ્રીને પાર જવાની આશંકા છે. 


જગતનો તાત ચિંતામાં 


હવામાન વિભાગનું અનુમાન છે કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. જેના કારણે 5 અને 6 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.  5 અને 6 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. બે દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક બગડશે અને મહેનત પર પાણી ફરી વળશે. અત્યારે પાક લણવાની અણી પર છે ત્યારે કેટલોક પાક ઉભો છે ત્યારે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા થી ખેડૂતોમાં ચિંતા વધી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.