રાજ્યમાં હજુ નથી ટળ્યું માવઠાનું સંકટ, આ તારીખે ફરી તૂટી પડશે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-04-02 18:47:20

ગુજરાત પર હજુ પણ માવઠાનો ખતરો તોળાઈ રહ્યો છે, રાજ્યમાં ફરી એક વખત ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ફરી એક વખત માવઠાની આગાહી કરતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે.


આ જિલ્લામાં થશે કમોસમી વરસાદ


રાજ્યમાં 5 અને 6 એપ્રીલે ફરી એક વખત આસમાની આફતરૂપી કમોસમી વરસાદ થાય તેની હવામાન વિભાગે  આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થઈ શકે છે. હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદ પહેલા ગરમીનો પારો ઉંચો જશે. ઉતર પશ્ચિમના પવન ફૂંકાતા જ મહત્તમ તામપાનમાં 2 થી 4 ડિગ્રી વધી જશે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારે 35 ડિગ્રીને પાર જવાની આશંકા છે. 


જગતનો તાત ચિંતામાં 


હવામાન વિભાગનું અનુમાન છે કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. જેના કારણે 5 અને 6 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.  5 અને 6 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. બે દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક બગડશે અને મહેનત પર પાણી ફરી વળશે. અત્યારે પાક લણવાની અણી પર છે ત્યારે કેટલોક પાક ઉભો છે ત્યારે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા થી ખેડૂતોમાં ચિંતા વધી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.