રાજ્યમાં હજુ નથી ટળ્યું માવઠાનું સંકટ, આ તારીખે ફરી તૂટી પડશે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-04-02 18:47:20

ગુજરાત પર હજુ પણ માવઠાનો ખતરો તોળાઈ રહ્યો છે, રાજ્યમાં ફરી એક વખત ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ફરી એક વખત માવઠાની આગાહી કરતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે.


આ જિલ્લામાં થશે કમોસમી વરસાદ


રાજ્યમાં 5 અને 6 એપ્રીલે ફરી એક વખત આસમાની આફતરૂપી કમોસમી વરસાદ થાય તેની હવામાન વિભાગે  આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થઈ શકે છે. હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદ પહેલા ગરમીનો પારો ઉંચો જશે. ઉતર પશ્ચિમના પવન ફૂંકાતા જ મહત્તમ તામપાનમાં 2 થી 4 ડિગ્રી વધી જશે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારે 35 ડિગ્રીને પાર જવાની આશંકા છે. 


જગતનો તાત ચિંતામાં 


હવામાન વિભાગનું અનુમાન છે કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. જેના કારણે 5 અને 6 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.  5 અને 6 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. બે દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક બગડશે અને મહેનત પર પાણી ફરી વળશે. અત્યારે પાક લણવાની અણી પર છે ત્યારે કેટલોક પાક ઉભો છે ત્યારે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા થી ખેડૂતોમાં ચિંતા વધી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.