યુપી પોલીસે 'UP મેં કા બા’ ફેમ સિંગર નેહા સિંહને ફટકારી નોટિસ, યુપીમેં કા બા સીઝન-2 ગીત પર છેડાયો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-22 13:17:20

આજકાલ ડિઝિટલ યુગનો જમાનો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો ફેમસ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક વખત એવી વાતો કહી દેતા હોય છે જેને કારણે તેમની મુશ્કેલી વધી ગઈ છે. ત્યારે યુપી મેં કા બા ફેમ નેહા સિંહ રાઠોડની મુશ્કેલીમાં વધારો થયો છે. મંગળવારે યુપી પોલીસે તેમને નોટિસ ફટકારી છે. કાનપુર આગની ઘટનાને લઈ નેહા દ્વારા બનાવામાં આવેલા ગીતને લઈ નોટિસ આપવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે નેહા વીડિયો દ્વારા સમાજમાં નફરત અને તણાવ ફેલાવાનું કામ કરે છે. નોટિસમાં પોલીસ દ્વારા 7 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેનો ખુલ્લાસો ત્રણ દિવસની અંદર કરવા કહેવાયું છે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

 

પોલીસે નેહાને ફટકારી નોટિસ 

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અનેક લોકો ફેમસ થઈ જતા હોય છે. મોટી સંખ્યામાં તેમના ફેન ફોલોઈંગ હોય છે. અનેક વખત તેમના પોસ્ટને કારણે વિવાદ સર્જાતો હોય છે. ત્યારે યુપીમેં કા બા ફેમ નેહા રાઠોડને પોલીસે નોટિસ ફટકારી છે. નેહાએ તાજેતરમાં કાનપુર દેહાત આગની ઘટના પર એક વીડિયો બનાવ્યો હતો. નેહાએ કા બા સિઝન 2  ગીત ગાયું જેમાં આ ઘટના પર વાત કરવામાં આવી છે. 


નોટિસમાં નેહાને પૂછાયા છે સાત પ્રશ્નો

મંગળવાર સાંજે નેહા રાઠોડે પોતાના ટ્વિટર અકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે નેહાને નોટિસ ફટકારી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે કા બા સીઝન 2 વીડિયો દ્વારા સમાજમાં નફરત ફેલાવાનું કામ કર્યું છે. કાનપુર પોલીસની એક ટીમે મંગળવાર રાતે  નેહા સિંહને નોટીસ ફટકારી છે. નોટિસમાં પોલીસે નેહાને અનેક પ્રશ્નો પૂછ્યા છે. નોટિસમાં તેમને પૂછવામાં આવ્યું છે કે તેમણે ગાયેલા ગીતો તેણે લખ્યા છે કે અન્ય કોઈએ. ગીત લખવા અને ગાવાનો આધાર શું છે. જવાબ આપવા પોલીસે ત્રણ દિવસનો સમય આપ્યો છે જો ત્રણ દિવસમાં યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.