યુપી પોલીસે 'UP મેં કા બા’ ફેમ સિંગર નેહા સિંહને ફટકારી નોટિસ, યુપીમેં કા બા સીઝન-2 ગીત પર છેડાયો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-22 13:17:20

આજકાલ ડિઝિટલ યુગનો જમાનો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો ફેમસ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક વખત એવી વાતો કહી દેતા હોય છે જેને કારણે તેમની મુશ્કેલી વધી ગઈ છે. ત્યારે યુપી મેં કા બા ફેમ નેહા સિંહ રાઠોડની મુશ્કેલીમાં વધારો થયો છે. મંગળવારે યુપી પોલીસે તેમને નોટિસ ફટકારી છે. કાનપુર આગની ઘટનાને લઈ નેહા દ્વારા બનાવામાં આવેલા ગીતને લઈ નોટિસ આપવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે નેહા વીડિયો દ્વારા સમાજમાં નફરત અને તણાવ ફેલાવાનું કામ કરે છે. નોટિસમાં પોલીસ દ્વારા 7 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેનો ખુલ્લાસો ત્રણ દિવસની અંદર કરવા કહેવાયું છે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

 

પોલીસે નેહાને ફટકારી નોટિસ 

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અનેક લોકો ફેમસ થઈ જતા હોય છે. મોટી સંખ્યામાં તેમના ફેન ફોલોઈંગ હોય છે. અનેક વખત તેમના પોસ્ટને કારણે વિવાદ સર્જાતો હોય છે. ત્યારે યુપીમેં કા બા ફેમ નેહા રાઠોડને પોલીસે નોટિસ ફટકારી છે. નેહાએ તાજેતરમાં કાનપુર દેહાત આગની ઘટના પર એક વીડિયો બનાવ્યો હતો. નેહાએ કા બા સિઝન 2  ગીત ગાયું જેમાં આ ઘટના પર વાત કરવામાં આવી છે. 


નોટિસમાં નેહાને પૂછાયા છે સાત પ્રશ્નો

મંગળવાર સાંજે નેહા રાઠોડે પોતાના ટ્વિટર અકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે નેહાને નોટિસ ફટકારી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે કા બા સીઝન 2 વીડિયો દ્વારા સમાજમાં નફરત ફેલાવાનું કામ કર્યું છે. કાનપુર પોલીસની એક ટીમે મંગળવાર રાતે  નેહા સિંહને નોટીસ ફટકારી છે. નોટિસમાં પોલીસે નેહાને અનેક પ્રશ્નો પૂછ્યા છે. નોટિસમાં તેમને પૂછવામાં આવ્યું છે કે તેમણે ગાયેલા ગીતો તેણે લખ્યા છે કે અન્ય કોઈએ. ગીત લખવા અને ગાવાનો આધાર શું છે. જવાબ આપવા પોલીસે ત્રણ દિવસનો સમય આપ્યો છે જો ત્રણ દિવસમાં યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.