યુપીની સિંગર નેહા સિંહ રાઠોડનું નવું ગીત 'ગુજરાત મેં કા બા?' રિલીઝ, મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સરકાર પર નિશાન સાધ્યું


  • Published By :
  • Published Date : 2022-11-05 12:44:38

નેહા સિંહ રાઠોડ બિહારની પ્રખ્યાત લોક ગાયિકા છે. હવે તેનું નવું ભોજપુરી ગીત ગુજરાત મેં કા બા? બહાર પાડવામાં આવ્યું છે. આ ગીત પર મોરબી બ્રિજ અકસ્માતનો ઉલ્લેખ કરીને તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

આ ગીત પર મોરબી બ્રિજ અકસ્માતનો ઉલ્લેખ કરીને તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ગુરુવારે સાંજે, ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો લટકતો પુલ તૂટી પડ્યો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા. જોકે, બચાવ કાર્યમાં સેનાના જવાનો અને NDRFની ટીમના સંયુક્ત ઓપરેશનમાં 170 લોકોને બચાવી લેવાયા હતા. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક સાથે 400 થી વધુ લોકો પુલ પર સવાર હતા. જાણવા મળી રહ્યું છે કે મોરબીનો લટકતો પુલ 7 મહિના બાદ ફરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો હતો. જે બાદ આ અકસ્માત થયો હતો. આ કેસમાં ઓરેવા ગ્રુપના ચાર કર્મચારીઓ સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


આ ગીત કોંગ્રેશના મહિલા નેતા સુપ્રિયા શ્રીનાતેએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી લખ્યું "गुजरात मॉडल तो रंगा सियार बा गुजरात में का बा?



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.