યુપીની સિંગર નેહા સિંહ રાઠોડનું નવું ગીત 'ગુજરાત મેં કા બા?' રિલીઝ, મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સરકાર પર નિશાન સાધ્યું


  • Published By :
  • Published Date : 2022-11-05 12:44:38

નેહા સિંહ રાઠોડ બિહારની પ્રખ્યાત લોક ગાયિકા છે. હવે તેનું નવું ભોજપુરી ગીત ગુજરાત મેં કા બા? બહાર પાડવામાં આવ્યું છે. આ ગીત પર મોરબી બ્રિજ અકસ્માતનો ઉલ્લેખ કરીને તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

આ ગીત પર મોરબી બ્રિજ અકસ્માતનો ઉલ્લેખ કરીને તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ગુરુવારે સાંજે, ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો લટકતો પુલ તૂટી પડ્યો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા. જોકે, બચાવ કાર્યમાં સેનાના જવાનો અને NDRFની ટીમના સંયુક્ત ઓપરેશનમાં 170 લોકોને બચાવી લેવાયા હતા. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક સાથે 400 થી વધુ લોકો પુલ પર સવાર હતા. જાણવા મળી રહ્યું છે કે મોરબીનો લટકતો પુલ 7 મહિના બાદ ફરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો હતો. જે બાદ આ અકસ્માત થયો હતો. આ કેસમાં ઓરેવા ગ્રુપના ચાર કર્મચારીઓ સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


આ ગીત કોંગ્રેશના મહિલા નેતા સુપ્રિયા શ્રીનાતેએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી લખ્યું "गुजरात मॉडल तो रंगा सियार बा गुजरात में का बा?



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.