નારાજ નેતાઓએ હર્ષ સંઘવીને મળવાનું ટાળ્યું !!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-13 12:15:19


ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખો જાહેર થઈ ચૂકી છે તેવામાં 2 તબક્કામાં આયોજિત મતદાન પહેલા ભાજપે મોટાભાગના ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. તેવામાં જેમને ટિકિટ નથી મળી એમાંથી ઘણા નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નારાજ ચાલી રહેલા નેતાઓને મનાવવા માટે ભાજપે દિગ્ગજોની ટીમ બનાવી છે. આ દરમિયાન હર્ષ સંઘવી પણ વડોદરાની બેઠક પર ચાલી રહેલા આંતરિક વિવાદને ડામવા માટે પહોંચ્યા હતા. પરંતુ નેતાઓએ તેમને મળવાનું ટાળતા તેઓ રોષે ભરાયા હતા.


હર્ષ સંઘવીએ કહ્યું વિરોધીઓને સમજવું પડશે

નારાજ નેતાઓએ વિવિધ કારણોસર મુલાકાત શક્ય ન હોવાનું કહી દેતા હર્ષ સંઘવી પણ નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું કે જેવા આ લોકો ફોર્મ ભરે અની સાથે જ વિરોધીઓ અંજાઈ જાય એવી ભાજપે રેલી કાઢવાની જરૂર છે.


"ભાજપ માતા સમાન છે"

હર્ષ સંઘવીએ કહ્યું કે  ભાજપ આપણી માતા સમાન છે. પાર્ટીએ જ નામ બનાવ્યું છે અને લોકોની સેવા કરવાની તક આપી છે. આપણી ઓળખ ભાજપના કારણે જ છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે