નારાજ નેતાઓએ હર્ષ સંઘવીને મળવાનું ટાળ્યું !!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-13 12:15:19


ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખો જાહેર થઈ ચૂકી છે તેવામાં 2 તબક્કામાં આયોજિત મતદાન પહેલા ભાજપે મોટાભાગના ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. તેવામાં જેમને ટિકિટ નથી મળી એમાંથી ઘણા નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નારાજ ચાલી રહેલા નેતાઓને મનાવવા માટે ભાજપે દિગ્ગજોની ટીમ બનાવી છે. આ દરમિયાન હર્ષ સંઘવી પણ વડોદરાની બેઠક પર ચાલી રહેલા આંતરિક વિવાદને ડામવા માટે પહોંચ્યા હતા. પરંતુ નેતાઓએ તેમને મળવાનું ટાળતા તેઓ રોષે ભરાયા હતા.


હર્ષ સંઘવીએ કહ્યું વિરોધીઓને સમજવું પડશે

નારાજ નેતાઓએ વિવિધ કારણોસર મુલાકાત શક્ય ન હોવાનું કહી દેતા હર્ષ સંઘવી પણ નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું કે જેવા આ લોકો ફોર્મ ભરે અની સાથે જ વિરોધીઓ અંજાઈ જાય એવી ભાજપે રેલી કાઢવાની જરૂર છે.


"ભાજપ માતા સમાન છે"

હર્ષ સંઘવીએ કહ્યું કે  ભાજપ આપણી માતા સમાન છે. પાર્ટીએ જ નામ બનાવ્યું છે અને લોકોની સેવા કરવાની તક આપી છે. આપણી ઓળખ ભાજપના કારણે જ છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં.




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"