ઈરાનની યુવતીઓના સમર્થનમાં ઉર્વશી રૌતેલાએ કાપ્યા વાળ, લોકોએ કહ્યું- ભારત માટે પણ કંઈક કરો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 16:56:35

ઈરાનની મહિલાઓ અત્યારે સરકારના વિરોધમાં પ્રદર્શન કરી રહી છે અને દુનિયાભરની મહિલાઓ તેમને સમર્થન આપી રહી છે. તેવામાં બોલિવૂડ અભિનેત્રી અને મોડલ ઉર્વશી રૌતેલાએ પણ તેમના સમર્થનમાં પોતાના વાળ કપાવ્યા છે. ઉર્વશીએ એક લાંબા કેપ્શન સાથે બે તસવીરો પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ઉર્વશી રૌતેલા ઓસ્ટ્રેલિયામાં છે.

urvashi hair

ઈરાનની મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિરોધને દુનિયાભરમાં સમર્થન મળી રહ્યું છે. ભારતમાં પણ ઘણી મહિલાઓએ ખુલીને આ બાબતે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે અને તે યુવતીઓનું સમર્થન કર્યું છે. તેમાંથી એક બોલિવૂડ અભિનેત્રી અને મોડલ ઉર્વશી રૌતેલા પણ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં જોઈ શકાય છે કે તે વાળ કપાવી રહી છે. ઉર્વશીએ લાંબી પોસ્ટ લખીને જણાવ્યું કે તેણે ઈરાનની મહિલાઓ, મહિલાઓના અધિકારો તેમજ અંકિતા ભંડારીની હત્યાને કારણે આ નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા ઉત્તરાખંડમાં અંકિતા ભંડારીની હત્યા કરવામાં આવી હતી.

Women's rage mobilizes Iranians: 'This girl has united us all' -  CSMonitor.com

ઉલ્લેખીય છે કે ઉર્વશી અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે અને તે પોતાની ટ્રિપની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ દરમિયાન તેણે તસવીરો શેર કરી છે જેમાં જોઈ શકાય છે કે, તે બ્લ્યુ કૂર્તી પહરી છે અને જમીન પર બેસીને વાળ કપાવી રહી છે. બન્ને તસવીરોમાં ઉર્વશીની પીઠ જણાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં એક મહિના પહેલા 22 વર્ષીય યુવતીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયુ હતું. ત્યારપછી સરકાર વિરોધી પ્રદર્શન ચાલી રહ્યા છે. મહિલાઓ રસ્તા પર ઉતરીને વિરોધમાં પોતાના વાળ કાપી રહી છે.


ઉર્વશીએ પોતાના કેપ્શનમાં લખ્યું કે, મેં મારા વાળ કપાવ્યા. ઈરાનની મહિલાઓ અને યુવતીઓ, જેમણે આ વિરોધ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો, એક 19 વર્ષીય યુવતી, ઉત્તરાખંડની અંકિતા ભંડારી, આ તમામ લોકોના સમર્થનમાં મેં મારા વાળ કપાવ્યા છે. દુનિયાભરની મહિલાઓ ઈરાનની સરકારના વિરોધમાં સામે આવી રહ્યા છે. મહિલાઓને સન્માન આપો. દુનિયાભરમાં મહિલાઓની ક્રાંતિ માટેનું ચિહ્ન વાળ છે...વાળને મહિલાઓની સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. જાહેરમાં વાળ કાપીને મહિલાઓ દર્શાવી રહી છે કે સમાજના કહેવાતા નિયમોની તેમને પરવા નથી. જો મહિલાઓ એકજૂટ થશે અને એક મહિલાની સમસ્યાને તમામ મહિલાઓની સમસ્યા માનશે, સમસ્યા દૂર થઈ જશે.


ઉર્વશીની આ કમેન્ટ પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. ઘણાં લોકો તેના વખાણ કરી રહ્યા છે, જ્યારે ઘણાં લોકો તેની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આને વાળ કાપેલા ના કહેવાય, તેં ખાલી ટ્રિમ કરાવ્યા છે. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે, ભારતની મહિલાઓ માટે પણ પહેલા કંઈક કરી લો. અન્ય એક યુઝરે લખ્યું કે, કેટલા વાળ કપાવ્યા? અત્યારે ઉર્વશી રૌતેલા ઓસ્ટ્રેલિયામાં છે, માટે ઘણાં લોકોએ રિષભ પંતના નામની કમેન્ટ પણ કરી છે.


ઉલ્લેખનીય છે કે ઉર્વશીએ આ પહેલા પણ પોતાની સરખામણી ઈરાનમાં મૃત્યુ પામેલી યુવતી માહસા અમીની સાથે કરી હતી. તેણે લખ્યુ હતું કે ઓનલાઈન ઘણાં લોકો તેને ટ્રોલ કરે છે અને કહી રહ્યા છે કે તે ક્રિકેટર ઋષભ પંતને સ્ટોક કરી રહી છે. લોકો મને સ્ટોકર કહી રહ્યા છે. મારી કોઈને પડી નથી, કોઈ મને સપોર્ટ નથી કરતું.

Urvashi compares to Mahsa Amini, Rishabh accuse her of 'stalking'



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.