ઈરાનની યુવતીઓના સમર્થનમાં ઉર્વશી રૌતેલાએ કાપ્યા વાળ, લોકોએ કહ્યું- ભારત માટે પણ કંઈક કરો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 16:56:35

ઈરાનની મહિલાઓ અત્યારે સરકારના વિરોધમાં પ્રદર્શન કરી રહી છે અને દુનિયાભરની મહિલાઓ તેમને સમર્થન આપી રહી છે. તેવામાં બોલિવૂડ અભિનેત્રી અને મોડલ ઉર્વશી રૌતેલાએ પણ તેમના સમર્થનમાં પોતાના વાળ કપાવ્યા છે. ઉર્વશીએ એક લાંબા કેપ્શન સાથે બે તસવીરો પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ઉર્વશી રૌતેલા ઓસ્ટ્રેલિયામાં છે.

urvashi hair

ઈરાનની મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિરોધને દુનિયાભરમાં સમર્થન મળી રહ્યું છે. ભારતમાં પણ ઘણી મહિલાઓએ ખુલીને આ બાબતે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે અને તે યુવતીઓનું સમર્થન કર્યું છે. તેમાંથી એક બોલિવૂડ અભિનેત્રી અને મોડલ ઉર્વશી રૌતેલા પણ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં જોઈ શકાય છે કે તે વાળ કપાવી રહી છે. ઉર્વશીએ લાંબી પોસ્ટ લખીને જણાવ્યું કે તેણે ઈરાનની મહિલાઓ, મહિલાઓના અધિકારો તેમજ અંકિતા ભંડારીની હત્યાને કારણે આ નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા ઉત્તરાખંડમાં અંકિતા ભંડારીની હત્યા કરવામાં આવી હતી.

Women's rage mobilizes Iranians: 'This girl has united us all' -  CSMonitor.com

ઉલ્લેખીય છે કે ઉર્વશી અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે અને તે પોતાની ટ્રિપની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ દરમિયાન તેણે તસવીરો શેર કરી છે જેમાં જોઈ શકાય છે કે, તે બ્લ્યુ કૂર્તી પહરી છે અને જમીન પર બેસીને વાળ કપાવી રહી છે. બન્ને તસવીરોમાં ઉર્વશીની પીઠ જણાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં એક મહિના પહેલા 22 વર્ષીય યુવતીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયુ હતું. ત્યારપછી સરકાર વિરોધી પ્રદર્શન ચાલી રહ્યા છે. મહિલાઓ રસ્તા પર ઉતરીને વિરોધમાં પોતાના વાળ કાપી રહી છે.


ઉર્વશીએ પોતાના કેપ્શનમાં લખ્યું કે, મેં મારા વાળ કપાવ્યા. ઈરાનની મહિલાઓ અને યુવતીઓ, જેમણે આ વિરોધ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો, એક 19 વર્ષીય યુવતી, ઉત્તરાખંડની અંકિતા ભંડારી, આ તમામ લોકોના સમર્થનમાં મેં મારા વાળ કપાવ્યા છે. દુનિયાભરની મહિલાઓ ઈરાનની સરકારના વિરોધમાં સામે આવી રહ્યા છે. મહિલાઓને સન્માન આપો. દુનિયાભરમાં મહિલાઓની ક્રાંતિ માટેનું ચિહ્ન વાળ છે...વાળને મહિલાઓની સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. જાહેરમાં વાળ કાપીને મહિલાઓ દર્શાવી રહી છે કે સમાજના કહેવાતા નિયમોની તેમને પરવા નથી. જો મહિલાઓ એકજૂટ થશે અને એક મહિલાની સમસ્યાને તમામ મહિલાઓની સમસ્યા માનશે, સમસ્યા દૂર થઈ જશે.


ઉર્વશીની આ કમેન્ટ પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. ઘણાં લોકો તેના વખાણ કરી રહ્યા છે, જ્યારે ઘણાં લોકો તેની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આને વાળ કાપેલા ના કહેવાય, તેં ખાલી ટ્રિમ કરાવ્યા છે. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે, ભારતની મહિલાઓ માટે પણ પહેલા કંઈક કરી લો. અન્ય એક યુઝરે લખ્યું કે, કેટલા વાળ કપાવ્યા? અત્યારે ઉર્વશી રૌતેલા ઓસ્ટ્રેલિયામાં છે, માટે ઘણાં લોકોએ રિષભ પંતના નામની કમેન્ટ પણ કરી છે.


ઉલ્લેખનીય છે કે ઉર્વશીએ આ પહેલા પણ પોતાની સરખામણી ઈરાનમાં મૃત્યુ પામેલી યુવતી માહસા અમીની સાથે કરી હતી. તેણે લખ્યુ હતું કે ઓનલાઈન ઘણાં લોકો તેને ટ્રોલ કરે છે અને કહી રહ્યા છે કે તે ક્રિકેટર ઋષભ પંતને સ્ટોક કરી રહી છે. લોકો મને સ્ટોકર કહી રહ્યા છે. મારી કોઈને પડી નથી, કોઈ મને સપોર્ટ નથી કરતું.

Urvashi compares to Mahsa Amini, Rishabh accuse her of 'stalking'



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.