ઈરાનની યુવતીઓના સમર્થનમાં ઉર્વશી રૌતેલાએ કાપ્યા વાળ, લોકોએ કહ્યું- ભારત માટે પણ કંઈક કરો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 16:56:35

ઈરાનની મહિલાઓ અત્યારે સરકારના વિરોધમાં પ્રદર્શન કરી રહી છે અને દુનિયાભરની મહિલાઓ તેમને સમર્થન આપી રહી છે. તેવામાં બોલિવૂડ અભિનેત્રી અને મોડલ ઉર્વશી રૌતેલાએ પણ તેમના સમર્થનમાં પોતાના વાળ કપાવ્યા છે. ઉર્વશીએ એક લાંબા કેપ્શન સાથે બે તસવીરો પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ઉર્વશી રૌતેલા ઓસ્ટ્રેલિયામાં છે.

urvashi hair

ઈરાનની મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિરોધને દુનિયાભરમાં સમર્થન મળી રહ્યું છે. ભારતમાં પણ ઘણી મહિલાઓએ ખુલીને આ બાબતે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે અને તે યુવતીઓનું સમર્થન કર્યું છે. તેમાંથી એક બોલિવૂડ અભિનેત્રી અને મોડલ ઉર્વશી રૌતેલા પણ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં જોઈ શકાય છે કે તે વાળ કપાવી રહી છે. ઉર્વશીએ લાંબી પોસ્ટ લખીને જણાવ્યું કે તેણે ઈરાનની મહિલાઓ, મહિલાઓના અધિકારો તેમજ અંકિતા ભંડારીની હત્યાને કારણે આ નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા ઉત્તરાખંડમાં અંકિતા ભંડારીની હત્યા કરવામાં આવી હતી.

Women's rage mobilizes Iranians: 'This girl has united us all' -  CSMonitor.com

ઉલ્લેખીય છે કે ઉર્વશી અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે અને તે પોતાની ટ્રિપની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ દરમિયાન તેણે તસવીરો શેર કરી છે જેમાં જોઈ શકાય છે કે, તે બ્લ્યુ કૂર્તી પહરી છે અને જમીન પર બેસીને વાળ કપાવી રહી છે. બન્ને તસવીરોમાં ઉર્વશીની પીઠ જણાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં એક મહિના પહેલા 22 વર્ષીય યુવતીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયુ હતું. ત્યારપછી સરકાર વિરોધી પ્રદર્શન ચાલી રહ્યા છે. મહિલાઓ રસ્તા પર ઉતરીને વિરોધમાં પોતાના વાળ કાપી રહી છે.


ઉર્વશીએ પોતાના કેપ્શનમાં લખ્યું કે, મેં મારા વાળ કપાવ્યા. ઈરાનની મહિલાઓ અને યુવતીઓ, જેમણે આ વિરોધ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો, એક 19 વર્ષીય યુવતી, ઉત્તરાખંડની અંકિતા ભંડારી, આ તમામ લોકોના સમર્થનમાં મેં મારા વાળ કપાવ્યા છે. દુનિયાભરની મહિલાઓ ઈરાનની સરકારના વિરોધમાં સામે આવી રહ્યા છે. મહિલાઓને સન્માન આપો. દુનિયાભરમાં મહિલાઓની ક્રાંતિ માટેનું ચિહ્ન વાળ છે...વાળને મહિલાઓની સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. જાહેરમાં વાળ કાપીને મહિલાઓ દર્શાવી રહી છે કે સમાજના કહેવાતા નિયમોની તેમને પરવા નથી. જો મહિલાઓ એકજૂટ થશે અને એક મહિલાની સમસ્યાને તમામ મહિલાઓની સમસ્યા માનશે, સમસ્યા દૂર થઈ જશે.


ઉર્વશીની આ કમેન્ટ પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. ઘણાં લોકો તેના વખાણ કરી રહ્યા છે, જ્યારે ઘણાં લોકો તેની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આને વાળ કાપેલા ના કહેવાય, તેં ખાલી ટ્રિમ કરાવ્યા છે. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે, ભારતની મહિલાઓ માટે પણ પહેલા કંઈક કરી લો. અન્ય એક યુઝરે લખ્યું કે, કેટલા વાળ કપાવ્યા? અત્યારે ઉર્વશી રૌતેલા ઓસ્ટ્રેલિયામાં છે, માટે ઘણાં લોકોએ રિષભ પંતના નામની કમેન્ટ પણ કરી છે.


ઉલ્લેખનીય છે કે ઉર્વશીએ આ પહેલા પણ પોતાની સરખામણી ઈરાનમાં મૃત્યુ પામેલી યુવતી માહસા અમીની સાથે કરી હતી. તેણે લખ્યુ હતું કે ઓનલાઈન ઘણાં લોકો તેને ટ્રોલ કરે છે અને કહી રહ્યા છે કે તે ક્રિકેટર ઋષભ પંતને સ્ટોક કરી રહી છે. લોકો મને સ્ટોકર કહી રહ્યા છે. મારી કોઈને પડી નથી, કોઈ મને સપોર્ટ નથી કરતું.

Urvashi compares to Mahsa Amini, Rishabh accuse her of 'stalking'



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.