અમેરિકાના કોન્સ્યુલેટ જનરલ માઈક હેન્કી આવ્યા ગુજરાત, CM સાથે મુલાકાત, સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલનું આયોજન


  • Published By : Admin
  • Published Date : 2025-04-26 18:00:48

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.


ભારત અને અમેરિકાએ સેમિકન્ડક્ટર ક્ષેત્રે, ટેકનોલોજીના ક્ષેત્રે એકબીજા સાથે જોડાણ કરવાનો નિર્ધાર કર્યો


TRUST ("Transforming the Relationship Utilizing

Strategic Technology”)ના માધ્યમથી જોડાણ વધારશે..


અમદાવાદ ટેકનોલોજીના શિક્ષણ અને સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટેનું હબ બની રહે અને રોકાણ વધારે આવે એ માટે ચર્ચા કરવામાં આવી, અમેરિકા સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ વધારે અને અમદાવાદ એનું હબ કેવી રીતે બની શકે એવી ચર્ચા કરવામાં આવી. આ ઉદ્યોગ માટે જરૂરી એન્જીનિયર, ઈકો સિસ્ટમ બધું જ મેનેજ થઈ શકે એ માટે ગુજરાત સરકાર પણ પ્રયત્ન કરશે.

https://x.com/CMOGuj/status/1915440395766603981




દુનિયાની નજર ભારત તરફ

વિશ્વમાં વધી રહેલા ટ્રેડના સંઘર્ષો અને ડહોળાતા વાતાવરણ વચ્ચે ભારત સેમિકન્ડક્ટર અને બાકીનાં ઉદ્યોગો માટે હબ બની શકે એમ છે. અમદાવાદ પાસે ધોલેરામાં આ પ્રકારે આખી ઈકો સિસ્ટમ તૈયાર કરવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે. અમેરિકા સહીતના દેશોનો વધતો રસ ભારત માટે પણ સારા સંકેતો છે.





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.