અમેરિકાના કોન્સ્યુલેટ જનરલ માઈક હેન્કી આવ્યા ગુજરાત, CM સાથે મુલાકાત, સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલનું આયોજન


  • Published By : Admin
  • Published Date : 2025-04-26 18:00:48

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.


ભારત અને અમેરિકાએ સેમિકન્ડક્ટર ક્ષેત્રે, ટેકનોલોજીના ક્ષેત્રે એકબીજા સાથે જોડાણ કરવાનો નિર્ધાર કર્યો


TRUST ("Transforming the Relationship Utilizing

Strategic Technology”)ના માધ્યમથી જોડાણ વધારશે..


અમદાવાદ ટેકનોલોજીના શિક્ષણ અને સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટેનું હબ બની રહે અને રોકાણ વધારે આવે એ માટે ચર્ચા કરવામાં આવી, અમેરિકા સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ વધારે અને અમદાવાદ એનું હબ કેવી રીતે બની શકે એવી ચર્ચા કરવામાં આવી. આ ઉદ્યોગ માટે જરૂરી એન્જીનિયર, ઈકો સિસ્ટમ બધું જ મેનેજ થઈ શકે એ માટે ગુજરાત સરકાર પણ પ્રયત્ન કરશે.

https://x.com/CMOGuj/status/1915440395766603981




દુનિયાની નજર ભારત તરફ

વિશ્વમાં વધી રહેલા ટ્રેડના સંઘર્ષો અને ડહોળાતા વાતાવરણ વચ્ચે ભારત સેમિકન્ડક્ટર અને બાકીનાં ઉદ્યોગો માટે હબ બની શકે એમ છે. અમદાવાદ પાસે ધોલેરામાં આ પ્રકારે આખી ઈકો સિસ્ટમ તૈયાર કરવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે. અમેરિકા સહીતના દેશોનો વધતો રસ ભારત માટે પણ સારા સંકેતો છે.





અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.