અમેરિકાના પ્રમુખની ચૂંટણી લડવા માટે નિક્કી હેલીએ દાવેદારી નોંધાવી, ટ્રમ્પ સામે મોટો પડકાર


  • Published By :
  • Published Date : 2023-02-14 20:02:43

ભારતીય મૂળની રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ અમેરિકામાં 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દાવો કર્યો છે. નિક્કી હેલી દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં તે કહેતી જોવા મળી રહી છે કે, "હું નિક્કી હેલી છું અને હું રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહી છું."

ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો પડકાર


મિડીયા રિપોર્ટ મુજબ, ભારતીય મૂળની અમેરિકાની નેતા 52 વર્ષીય હેલી બે વખત સાઉથ કેરોલિના રાજ્યની ગવર્નર રહી ચુકી છે. તે ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદુત પણ રહી ચુકી છે. હેલી રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડનારી પ્રથમ દાવેદાર છે. અત્યાર સુધી ટ્ર્મ્પ તેમની પાર્ટી તરફથી ચૂંટણી લડનારા એક માત્ર દાવેદાર હતા. આ પહેલા પણ એક ઈન્ટરર્વ્યુમાં તેમણે ચૂંટણી લડવા અંગે સંકેત આપ્યા હતા. નિક્કી હેલી બુધવારે સાઉથ કેરોલિનાના ચાર્લસ્ટનમાં એક ભાષણ દરમિયાન પોતાની પ્રચાર યોજના રજૂ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમને પાર્ટીમાં મોટો પડકાર માનવામાં આવે છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.