અમેરિકાના પ્રમુખની ચૂંટણી લડવા માટે નિક્કી હેલીએ દાવેદારી નોંધાવી, ટ્રમ્પ સામે મોટો પડકાર


  • Published By :
  • Published Date : 2023-02-14 20:02:43

ભારતીય મૂળની રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ અમેરિકામાં 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દાવો કર્યો છે. નિક્કી હેલી દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં તે કહેતી જોવા મળી રહી છે કે, "હું નિક્કી હેલી છું અને હું રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહી છું."

ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો પડકાર


મિડીયા રિપોર્ટ મુજબ, ભારતીય મૂળની અમેરિકાની નેતા 52 વર્ષીય હેલી બે વખત સાઉથ કેરોલિના રાજ્યની ગવર્નર રહી ચુકી છે. તે ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદુત પણ રહી ચુકી છે. હેલી રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડનારી પ્રથમ દાવેદાર છે. અત્યાર સુધી ટ્ર્મ્પ તેમની પાર્ટી તરફથી ચૂંટણી લડનારા એક માત્ર દાવેદાર હતા. આ પહેલા પણ એક ઈન્ટરર્વ્યુમાં તેમણે ચૂંટણી લડવા અંગે સંકેત આપ્યા હતા. નિક્કી હેલી બુધવારે સાઉથ કેરોલિનાના ચાર્લસ્ટનમાં એક ભાષણ દરમિયાન પોતાની પ્રચાર યોજના રજૂ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમને પાર્ટીમાં મોટો પડકાર માનવામાં આવે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.