અમેરિકાના પ્રમુખની ચૂંટણી લડવા માટે નિક્કી હેલીએ દાવેદારી નોંધાવી, ટ્રમ્પ સામે મોટો પડકાર


  • Published By :
  • Published Date : 2023-02-14 20:02:43

ભારતીય મૂળની રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ અમેરિકામાં 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દાવો કર્યો છે. નિક્કી હેલી દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં તે કહેતી જોવા મળી રહી છે કે, "હું નિક્કી હેલી છું અને હું રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહી છું."

ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો પડકાર


મિડીયા રિપોર્ટ મુજબ, ભારતીય મૂળની અમેરિકાની નેતા 52 વર્ષીય હેલી બે વખત સાઉથ કેરોલિના રાજ્યની ગવર્નર રહી ચુકી છે. તે ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદુત પણ રહી ચુકી છે. હેલી રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડનારી પ્રથમ દાવેદાર છે. અત્યાર સુધી ટ્ર્મ્પ તેમની પાર્ટી તરફથી ચૂંટણી લડનારા એક માત્ર દાવેદાર હતા. આ પહેલા પણ એક ઈન્ટરર્વ્યુમાં તેમણે ચૂંટણી લડવા અંગે સંકેત આપ્યા હતા. નિક્કી હેલી બુધવારે સાઉથ કેરોલિનાના ચાર્લસ્ટનમાં એક ભાષણ દરમિયાન પોતાની પ્રચાર યોજના રજૂ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમને પાર્ટીમાં મોટો પડકાર માનવામાં આવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે