અમેરિકાના પ્રમુખની ચૂંટણી લડવા માટે નિક્કી હેલીએ દાવેદારી નોંધાવી, ટ્રમ્પ સામે મોટો પડકાર


  • Published By :
  • Published Date : 2023-02-14 20:02:43

ભારતીય મૂળની રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ અમેરિકામાં 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દાવો કર્યો છે. નિક્કી હેલી દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં તે કહેતી જોવા મળી રહી છે કે, "હું નિક્કી હેલી છું અને હું રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહી છું."

ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો પડકાર


મિડીયા રિપોર્ટ મુજબ, ભારતીય મૂળની અમેરિકાની નેતા 52 વર્ષીય હેલી બે વખત સાઉથ કેરોલિના રાજ્યની ગવર્નર રહી ચુકી છે. તે ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદુત પણ રહી ચુકી છે. હેલી રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડનારી પ્રથમ દાવેદાર છે. અત્યાર સુધી ટ્ર્મ્પ તેમની પાર્ટી તરફથી ચૂંટણી લડનારા એક માત્ર દાવેદાર હતા. આ પહેલા પણ એક ઈન્ટરર્વ્યુમાં તેમણે ચૂંટણી લડવા અંગે સંકેત આપ્યા હતા. નિક્કી હેલી બુધવારે સાઉથ કેરોલિનાના ચાર્લસ્ટનમાં એક ભાષણ દરમિયાન પોતાની પ્રચાર યોજના રજૂ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેમને પાર્ટીમાં મોટો પડકાર માનવામાં આવે છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.