ઉત્તરપ્રદેશ:બીયરનું શોખીન છે આ વાંદરું! જુઓ વાયરલ Video


  • Published By :
  • Published Date : 2022-11-06 18:12:24

  • એક વાંદરું બિયર પીતું જોવા મળી રહ્યું છે.
  • એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાંદરું બિયર પીવાનું શોખીન છે.
  • તે વિસ્તારમાં જે કોઈપણ વ્યક્તિ વાઈન શૉપમાંથી દારૂ ખરીદવા આવે તેની પાસેથી આ વાંદરું દારૂ છીનવી લે છે.


સોશિયલ મીડિયા પર એક વાંદરાનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં તે નશો કરતો જોવા મળી રહ્યો છે! આ વિડીયો ઉત્તરપ્રદેશના રાયબરેલીનો હોવાનું જાણવા મળે છે કે જ્યાં એક વાંદરું બિયર પીતું જોવા મળી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાંદરું બિયર પીવાનું શોખીન છે અને તે વિસ્તારમાં જે કોઈપણ વ્યક્તિ વાઈન શૉપમાંથી દારૂ ખરીદવા આવે તેની પાસેથી આ વાંદરું દારૂ છીનવી લે છે. ત્યારબાદ આ વાંદરું તે બિયર પી જાય છે.

ઉત્તરપ્રદેશના શહેરના વાઈન શૉપનો સંચાલક પણ આ વાંદરાથી પરેશાન છે. તેણે અધિકારીઓને પણ આ બાબતે ફરિયાદ કરી તો એવો જવાબ મળ્યો કે તે વાંદરાને ત્યાંથી ભગાડી દો. જ્યારે દુકાનના સેલ્સમેન આ વાંદરાને ભગાડે છે ત્યારે તે બચકું ભરવા દોડે છે. હવે આ વાંદરાને પકડવાની પણ વાત જાણવા મળી રહી છે. વાઈન શૉપમાં કાર્યરત એક કર્મચારીએ જણાવ્યું કે, આ વાંદરું ગ્રાહકો પાસેથી દારૂ અને બિયર છીનવી લે છે તેમજ દુકાનમાં રખાયેલી દારૂની બોટલને પણ નુકસાન પહોંચાડે છે.


વાયરલ વિડીયો ક્લિપમાં જોઈ શકાય છે કે આ વાંદરું બિયર પી રહ્યું છે. જ્યારે અન્ય એક વિડીયોમાં આ વાંદરું દારૂ પીતા પણ જોવા મળી રહ્યું છે. જે જોતાં એવું લાગે છે કે આ વાંદરું દારૂનું એડિક્ટ થઈ ગયું છે. જેથી તમામ લોકો પરેશાન છે. જેવી રીતે લોકો વાંદરાને જોતાં ફળ છુપાવે છે તે રીતે અહીં આ વાંદરાને જોતાં દારૂ પણ છુપાડવો પડી રહ્યો છે.


વાંદરાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આ વિડીયો શેર કરતા સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં વાંદરું દારૂ પીતું હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ વાંદરું વાઈન શૉપમાં આવતા લોકો પાસેથી દારૂ છીનવી લે છે અને પછી તે દારૂ અને બિયર પી જાય છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.