ઉત્તરપ્રદેશ:બીયરનું શોખીન છે આ વાંદરું! જુઓ વાયરલ Video


  • Published By :
  • Published Date : 2022-11-06 18:12:24

  • એક વાંદરું બિયર પીતું જોવા મળી રહ્યું છે.
  • એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાંદરું બિયર પીવાનું શોખીન છે.
  • તે વિસ્તારમાં જે કોઈપણ વ્યક્તિ વાઈન શૉપમાંથી દારૂ ખરીદવા આવે તેની પાસેથી આ વાંદરું દારૂ છીનવી લે છે.


સોશિયલ મીડિયા પર એક વાંદરાનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં તે નશો કરતો જોવા મળી રહ્યો છે! આ વિડીયો ઉત્તરપ્રદેશના રાયબરેલીનો હોવાનું જાણવા મળે છે કે જ્યાં એક વાંદરું બિયર પીતું જોવા મળી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાંદરું બિયર પીવાનું શોખીન છે અને તે વિસ્તારમાં જે કોઈપણ વ્યક્તિ વાઈન શૉપમાંથી દારૂ ખરીદવા આવે તેની પાસેથી આ વાંદરું દારૂ છીનવી લે છે. ત્યારબાદ આ વાંદરું તે બિયર પી જાય છે.

ઉત્તરપ્રદેશના શહેરના વાઈન શૉપનો સંચાલક પણ આ વાંદરાથી પરેશાન છે. તેણે અધિકારીઓને પણ આ બાબતે ફરિયાદ કરી તો એવો જવાબ મળ્યો કે તે વાંદરાને ત્યાંથી ભગાડી દો. જ્યારે દુકાનના સેલ્સમેન આ વાંદરાને ભગાડે છે ત્યારે તે બચકું ભરવા દોડે છે. હવે આ વાંદરાને પકડવાની પણ વાત જાણવા મળી રહી છે. વાઈન શૉપમાં કાર્યરત એક કર્મચારીએ જણાવ્યું કે, આ વાંદરું ગ્રાહકો પાસેથી દારૂ અને બિયર છીનવી લે છે તેમજ દુકાનમાં રખાયેલી દારૂની બોટલને પણ નુકસાન પહોંચાડે છે.


વાયરલ વિડીયો ક્લિપમાં જોઈ શકાય છે કે આ વાંદરું બિયર પી રહ્યું છે. જ્યારે અન્ય એક વિડીયોમાં આ વાંદરું દારૂ પીતા પણ જોવા મળી રહ્યું છે. જે જોતાં એવું લાગે છે કે આ વાંદરું દારૂનું એડિક્ટ થઈ ગયું છે. જેથી તમામ લોકો પરેશાન છે. જેવી રીતે લોકો વાંદરાને જોતાં ફળ છુપાવે છે તે રીતે અહીં આ વાંદરાને જોતાં દારૂ પણ છુપાડવો પડી રહ્યો છે.


વાંદરાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આ વિડીયો શેર કરતા સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં વાંદરું દારૂ પીતું હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ વાંદરું વાઈન શૉપમાં આવતા લોકો પાસેથી દારૂ છીનવી લે છે અને પછી તે દારૂ અને બિયર પી જાય છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.