ઉત્તરપ્રદેશ:બીયરનું શોખીન છે આ વાંદરું! જુઓ વાયરલ Video


  • Published By :
  • Published Date : 2022-11-06 18:12:24

  • એક વાંદરું બિયર પીતું જોવા મળી રહ્યું છે.
  • એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાંદરું બિયર પીવાનું શોખીન છે.
  • તે વિસ્તારમાં જે કોઈપણ વ્યક્તિ વાઈન શૉપમાંથી દારૂ ખરીદવા આવે તેની પાસેથી આ વાંદરું દારૂ છીનવી લે છે.


સોશિયલ મીડિયા પર એક વાંદરાનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં તે નશો કરતો જોવા મળી રહ્યો છે! આ વિડીયો ઉત્તરપ્રદેશના રાયબરેલીનો હોવાનું જાણવા મળે છે કે જ્યાં એક વાંદરું બિયર પીતું જોવા મળી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાંદરું બિયર પીવાનું શોખીન છે અને તે વિસ્તારમાં જે કોઈપણ વ્યક્તિ વાઈન શૉપમાંથી દારૂ ખરીદવા આવે તેની પાસેથી આ વાંદરું દારૂ છીનવી લે છે. ત્યારબાદ આ વાંદરું તે બિયર પી જાય છે.

ઉત્તરપ્રદેશના શહેરના વાઈન શૉપનો સંચાલક પણ આ વાંદરાથી પરેશાન છે. તેણે અધિકારીઓને પણ આ બાબતે ફરિયાદ કરી તો એવો જવાબ મળ્યો કે તે વાંદરાને ત્યાંથી ભગાડી દો. જ્યારે દુકાનના સેલ્સમેન આ વાંદરાને ભગાડે છે ત્યારે તે બચકું ભરવા દોડે છે. હવે આ વાંદરાને પકડવાની પણ વાત જાણવા મળી રહી છે. વાઈન શૉપમાં કાર્યરત એક કર્મચારીએ જણાવ્યું કે, આ વાંદરું ગ્રાહકો પાસેથી દારૂ અને બિયર છીનવી લે છે તેમજ દુકાનમાં રખાયેલી દારૂની બોટલને પણ નુકસાન પહોંચાડે છે.


વાયરલ વિડીયો ક્લિપમાં જોઈ શકાય છે કે આ વાંદરું બિયર પી રહ્યું છે. જ્યારે અન્ય એક વિડીયોમાં આ વાંદરું દારૂ પીતા પણ જોવા મળી રહ્યું છે. જે જોતાં એવું લાગે છે કે આ વાંદરું દારૂનું એડિક્ટ થઈ ગયું છે. જેથી તમામ લોકો પરેશાન છે. જેવી રીતે લોકો વાંદરાને જોતાં ફળ છુપાવે છે તે રીતે અહીં આ વાંદરાને જોતાં દારૂ પણ છુપાડવો પડી રહ્યો છે.


વાંદરાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આ વિડીયો શેર કરતા સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં વાંદરું દારૂ પીતું હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ વાંદરું વાઈન શૉપમાં આવતા લોકો પાસેથી દારૂ છીનવી લે છે અને પછી તે દારૂ અને બિયર પી જાય છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.