Vadodara: પાદરાની ONEIRO LifeCare કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, 3 લોકો જીવતા ભૂંજાયા


  • Published By :
  • Published Date : 2024-01-31 19:29:04

રાજ્યની GIDCઓમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં દુર્ઘટનાઓથી મોતના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. જેમ કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એકલબારા ગામ નજીક આવેલ ઓનીરો લાઈફકેર કંપનીના પ્લાન્ટમાં જબરસ્ત વિસ્ફોટ થયો છે. આ ગોઝારી ઘટનામાં 3 કામદારોના મોત થયા છે જ્યારે 4 શ્રમિકોને ઈજા પહોંચી છે. મૃતક ત્રણેય કામદારો કોન્ટ્રાક્ટ પર કંપનીમાં કામ કરતા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ દુર્ઘટના કેવી રીતે બની તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.


આ ત્રણ લોકો જીવતા ભૂંજાયા


મળતી માહિતી મુજબ, ઓનેરો કેમિકલ કંપનીના એમ ઇ પ્લાન્ટના રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.  દુર્ઘટનાને પગલે ફાયર બ્રિગેડના કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતકોમાં કલ્પેશ બી. જાદવ, ઠાકુર આર. પરમાર, નરેન્દ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે


ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા


પાદરાના એકલબારા ગામ પાસે આવેલ ઓનીરો લાઈફકેર કંપની માં આજે પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી.પ્લાન્ટમાં બ્લાસ્ટની ઘટનામાં 4 કામદારો ગંભીર રીતે ઇર્જાગ્રસ્ત થતા તમામ ઇર્જાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા અને ડભાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ગંભીર ઇર્જાગ્રસ્ત કોન્ટ્રાકટના ત્રણ કામદારોના મોત નીપજ્યું હોવાનું એકલબારા ગામના સરપંચે જાણકારી આપી હતી.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે