Vadodara: પાદરાની ONEIRO LifeCare કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, 3 લોકો જીવતા ભૂંજાયા


  • Published By :
  • Published Date : 2024-01-31 19:29:04

રાજ્યની GIDCઓમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં દુર્ઘટનાઓથી મોતના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. જેમ કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એકલબારા ગામ નજીક આવેલ ઓનીરો લાઈફકેર કંપનીના પ્લાન્ટમાં જબરસ્ત વિસ્ફોટ થયો છે. આ ગોઝારી ઘટનામાં 3 કામદારોના મોત થયા છે જ્યારે 4 શ્રમિકોને ઈજા પહોંચી છે. મૃતક ત્રણેય કામદારો કોન્ટ્રાક્ટ પર કંપનીમાં કામ કરતા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ દુર્ઘટના કેવી રીતે બની તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.


આ ત્રણ લોકો જીવતા ભૂંજાયા


મળતી માહિતી મુજબ, ઓનેરો કેમિકલ કંપનીના એમ ઇ પ્લાન્ટના રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.  દુર્ઘટનાને પગલે ફાયર બ્રિગેડના કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતકોમાં કલ્પેશ બી. જાદવ, ઠાકુર આર. પરમાર, નરેન્દ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે


ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા


પાદરાના એકલબારા ગામ પાસે આવેલ ઓનીરો લાઈફકેર કંપની માં આજે પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી.પ્લાન્ટમાં બ્લાસ્ટની ઘટનામાં 4 કામદારો ગંભીર રીતે ઇર્જાગ્રસ્ત થતા તમામ ઇર્જાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા અને ડભાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ગંભીર ઇર્જાગ્રસ્ત કોન્ટ્રાકટના ત્રણ કામદારોના મોત નીપજ્યું હોવાનું એકલબારા ગામના સરપંચે જાણકારી આપી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.