Vadodara: પાદરાની ONEIRO LifeCare કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, 3 લોકો જીવતા ભૂંજાયા


  • Published By :
  • Published Date : 2024-01-31 19:29:04

રાજ્યની GIDCઓમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં દુર્ઘટનાઓથી મોતના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. જેમ કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એકલબારા ગામ નજીક આવેલ ઓનીરો લાઈફકેર કંપનીના પ્લાન્ટમાં જબરસ્ત વિસ્ફોટ થયો છે. આ ગોઝારી ઘટનામાં 3 કામદારોના મોત થયા છે જ્યારે 4 શ્રમિકોને ઈજા પહોંચી છે. મૃતક ત્રણેય કામદારો કોન્ટ્રાક્ટ પર કંપનીમાં કામ કરતા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ દુર્ઘટના કેવી રીતે બની તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.


આ ત્રણ લોકો જીવતા ભૂંજાયા


મળતી માહિતી મુજબ, ઓનેરો કેમિકલ કંપનીના એમ ઇ પ્લાન્ટના રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.  દુર્ઘટનાને પગલે ફાયર બ્રિગેડના કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતકોમાં કલ્પેશ બી. જાદવ, ઠાકુર આર. પરમાર, નરેન્દ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે


ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા


પાદરાના એકલબારા ગામ પાસે આવેલ ઓનીરો લાઈફકેર કંપની માં આજે પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી.પ્લાન્ટમાં બ્લાસ્ટની ઘટનામાં 4 કામદારો ગંભીર રીતે ઇર્જાગ્રસ્ત થતા તમામ ઇર્જાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા અને ડભાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ગંભીર ઇર્જાગ્રસ્ત કોન્ટ્રાકટના ત્રણ કામદારોના મોત નીપજ્યું હોવાનું એકલબારા ગામના સરપંચે જાણકારી આપી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.