Vadodara : જનતા વતી જમાવટે Dr.Hemang Joshiઅને Jashpalsinh Padhiyarને કર્યો તેમનું વિઝન જાણવા ફોન. જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-03 17:14:19

લોકસભા બેઠક માટે 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે... લોકશાહીના આ મહાપર્વની ઉજવણી નાગરિકો મતદાન કરીને કરવાના છે... મતદાન કરતી પહેલા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવતા મતદાતાઓ દ્વારા.. તેમના ઉમેદવારો તેમના માટે શું કરશે આગામી પાંચ વર્ષ તે જાણવાની ઈચ્છા મતદાતાઓને હોતી હોય છે.. ત્યારે  જમાવટે જનતા વતી વડોદરાના બંને ઉમેદવારોને ફોન કર્યો હતો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી હતી.. વડોદરામાં ભાજપે ડો. હેમાંગ જોષીને ટિકીટ આપી છે અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે.

શું કહ્યું ભાજપના ઉમેદવારે? 

વડોદરા લોકસભા બેઠક ઉમેદવારને લઈ ચર્ચામાં આવી હતી... ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસમાં પહેલી વાર જાહેર કરેલા ઉમેદવારને બદલ્યા હતા.આ બેઠક પર પહેલા ટિકીટ રંજનબેન ભટ્ટને આપવામાં આવી હતી પરંતુ તે બાદ આ ટિકીટ ડો.હેમાંગ જોષીને આપવામાં આવી હતી. જમાવટની ટીમે હેમાંગ જોષીનું વિઝન જાણવા માટે ફોન કર્યો હતો ત્યારે તેમણે કહ્યું કે 2029માં વિકસીત વડોદરાની ઝાંખી જોવા આવજો.. તેમણે વડોદરામાં રહેલા વિકાસના સ્કોપને ગણાવ્યા.. શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરશે , આરોગ્ય ક્ષેત્રે વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે તે વિકાસ કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. 



કોંગ્રેસના ઉમેદવારનું છે આ વિઝન

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને જ્યારે તેમનું વિઝન પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ભાજપના શાસન પર પ્રહારો કર્યા હતા.. લોકોને પૂરતું પીવાનું પાણી નથી મળી રહ્યું... વ્યવસ્થાના અભાવને કારણે વડોદરાના લોકોને પાણી નથી મળી રહ્યું. જો તે જીતશે તો તે પાણીની સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરશે તેવી વાત તેમણે કરી હતી.. તે સિવાય તેમણે પોતાની વાતમાં હરણી બોટ લેકની ઘટનાને યાદ કરી હતી... ત્યારે જોવું રહ્યું કે વડોદરાની જનતા કોને સંસદ સભ્ય બનાવે છે?    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.