Vadodara : જનતા વતી જમાવટે Dr.Hemang Joshiઅને Jashpalsinh Padhiyarને કર્યો તેમનું વિઝન જાણવા ફોન. જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-03 17:14:19

લોકસભા બેઠક માટે 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે... લોકશાહીના આ મહાપર્વની ઉજવણી નાગરિકો મતદાન કરીને કરવાના છે... મતદાન કરતી પહેલા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવતા મતદાતાઓ દ્વારા.. તેમના ઉમેદવારો તેમના માટે શું કરશે આગામી પાંચ વર્ષ તે જાણવાની ઈચ્છા મતદાતાઓને હોતી હોય છે.. ત્યારે  જમાવટે જનતા વતી વડોદરાના બંને ઉમેદવારોને ફોન કર્યો હતો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી હતી.. વડોદરામાં ભાજપે ડો. હેમાંગ જોષીને ટિકીટ આપી છે અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે.

શું કહ્યું ભાજપના ઉમેદવારે? 

વડોદરા લોકસભા બેઠક ઉમેદવારને લઈ ચર્ચામાં આવી હતી... ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસમાં પહેલી વાર જાહેર કરેલા ઉમેદવારને બદલ્યા હતા.આ બેઠક પર પહેલા ટિકીટ રંજનબેન ભટ્ટને આપવામાં આવી હતી પરંતુ તે બાદ આ ટિકીટ ડો.હેમાંગ જોષીને આપવામાં આવી હતી. જમાવટની ટીમે હેમાંગ જોષીનું વિઝન જાણવા માટે ફોન કર્યો હતો ત્યારે તેમણે કહ્યું કે 2029માં વિકસીત વડોદરાની ઝાંખી જોવા આવજો.. તેમણે વડોદરામાં રહેલા વિકાસના સ્કોપને ગણાવ્યા.. શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરશે , આરોગ્ય ક્ષેત્રે વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે તે વિકાસ કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. 



કોંગ્રેસના ઉમેદવારનું છે આ વિઝન

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને જ્યારે તેમનું વિઝન પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ભાજપના શાસન પર પ્રહારો કર્યા હતા.. લોકોને પૂરતું પીવાનું પાણી નથી મળી રહ્યું... વ્યવસ્થાના અભાવને કારણે વડોદરાના લોકોને પાણી નથી મળી રહ્યું. જો તે જીતશે તો તે પાણીની સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરશે તેવી વાત તેમણે કરી હતી.. તે સિવાય તેમણે પોતાની વાતમાં હરણી બોટ લેકની ઘટનાને યાદ કરી હતી... ત્યારે જોવું રહ્યું કે વડોદરાની જનતા કોને સંસદ સભ્ય બનાવે છે?    



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.