વડોદરામાં ફતેહપુરા બાદ કુંભારવાડામાં પણ ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો, હર્ષ સંઘવીએ પોલીસને કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-30 19:58:47

વડોદરા રાજ્યની સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, જો કે આજે રામનવમીના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાની અનેક શરમજનક ઘટનાઓ બની છે. વડોદરામાં આજે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રા પોલીસ-બંદોબસ્ત વચ્ચે નિકળી હતી. વડોદરાના ફતેહપુરા બાદ હવે કુંભારવાડામાં પણ ભગવાન શ્રી રામની શોભાયાત્રાને તોફાની તત્વોએ નિશાન બનાવી છે.  


બે વ્યક્તિની અટકાયત


વડોદરાના કુંભારવાડાથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતા માહોલ ગરમાયો છે. ટોળું વિખેરવા પોલીસે  લાઠીચાર્જ કર્યો હતો. પથ્થરમારો કરનાર બે વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. વડોદરામાં પથ્થરમારાની ઘટના વધતા બાદ વધુ પોલીસ કાફલો બોલાવાયો છે. ખેડા અને ભરૂચથી પોલીસની ટીમ બોલાવવામાં આવી છે.


પોલીસ બંદોબસ્ત છતાં પથ્થરમારો


ભગવાન શ્રી રામની આ શોભાયાત્રા પોલીસ બંદોબસ્ત વચ્ચે વાજતે-ગાજતે ફતેપુરા રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. એ દરમિયાન ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફેતપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ ઉપરની સંખ્યાબંધ લારીઓની તોડફોડ કરવામાં આવી હતી. જો કે પોલીસે ગણતરીની મિનિટોમાં તોફાની ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. 


સાંસદ અને ધારાસભ્ય પણ જોડાયા શોભાયાત્રામાં 


વડોદરાના કુંભારવાડામાંથી નિકળેલી આ શોભાયાત્રામાં સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ હાજર હતા. રામનવમીની શોભાયાત્રા દરમિયાન ફતેપુરા વિસ્તારમાં થયેલા પથ્થર મારાને વખોડ્યો હતો. સાંસદે રામનવમીના તહેવારમાં શહેરમાં શાંતિ અને ભાઈચારો જોવા મળે તેવી અપીલ કરી હતી.


હર્ષ સંઘવીએ પોલીસને કર્યો આદેશ 


વડોદરામાં રામનવમીએ 3-3 વાર પથ્થરમારાની ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજ રાત સુધીમાં તોફાની તત્વોને આજ રાત 12 વાગ્યા પહેલા શોધી કાઢવાનો અને તે તમામ લોકોને જેલના હવાલે કરવાનો પોલીસ વિભાગને આદેશ કર્યો છે. આ કારણે ગૃહ વિભાગ અલર્ટ બન્યો છે, પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ બાદ તોફાનીઓને શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે. CM ભૂપેન્દ્ર પટેલે પણ વડોદરાની ઘટનાની માહિતી લીધી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.