વડોદરામાં ફતેહપુરા બાદ કુંભારવાડામાં પણ ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો, હર્ષ સંઘવીએ પોલીસને કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-30 19:58:47

વડોદરા રાજ્યની સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, જો કે આજે રામનવમીના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાની અનેક શરમજનક ઘટનાઓ બની છે. વડોદરામાં આજે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રા પોલીસ-બંદોબસ્ત વચ્ચે નિકળી હતી. વડોદરાના ફતેહપુરા બાદ હવે કુંભારવાડામાં પણ ભગવાન શ્રી રામની શોભાયાત્રાને તોફાની તત્વોએ નિશાન બનાવી છે.  


બે વ્યક્તિની અટકાયત


વડોદરાના કુંભારવાડાથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતા માહોલ ગરમાયો છે. ટોળું વિખેરવા પોલીસે  લાઠીચાર્જ કર્યો હતો. પથ્થરમારો કરનાર બે વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. વડોદરામાં પથ્થરમારાની ઘટના વધતા બાદ વધુ પોલીસ કાફલો બોલાવાયો છે. ખેડા અને ભરૂચથી પોલીસની ટીમ બોલાવવામાં આવી છે.


પોલીસ બંદોબસ્ત છતાં પથ્થરમારો


ભગવાન શ્રી રામની આ શોભાયાત્રા પોલીસ બંદોબસ્ત વચ્ચે વાજતે-ગાજતે ફતેપુરા રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. એ દરમિયાન ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફેતપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ ઉપરની સંખ્યાબંધ લારીઓની તોડફોડ કરવામાં આવી હતી. જો કે પોલીસે ગણતરીની મિનિટોમાં તોફાની ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. 


સાંસદ અને ધારાસભ્ય પણ જોડાયા શોભાયાત્રામાં 


વડોદરાના કુંભારવાડામાંથી નિકળેલી આ શોભાયાત્રામાં સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ હાજર હતા. રામનવમીની શોભાયાત્રા દરમિયાન ફતેપુરા વિસ્તારમાં થયેલા પથ્થર મારાને વખોડ્યો હતો. સાંસદે રામનવમીના તહેવારમાં શહેરમાં શાંતિ અને ભાઈચારો જોવા મળે તેવી અપીલ કરી હતી.


હર્ષ સંઘવીએ પોલીસને કર્યો આદેશ 


વડોદરામાં રામનવમીએ 3-3 વાર પથ્થરમારાની ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજ રાત સુધીમાં તોફાની તત્વોને આજ રાત 12 વાગ્યા પહેલા શોધી કાઢવાનો અને તે તમામ લોકોને જેલના હવાલે કરવાનો પોલીસ વિભાગને આદેશ કર્યો છે. આ કારણે ગૃહ વિભાગ અલર્ટ બન્યો છે, પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ બાદ તોફાનીઓને શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે. CM ભૂપેન્દ્ર પટેલે પણ વડોદરાની ઘટનાની માહિતી લીધી છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.