સંસ્કારીનગરી વડોદરાની અંબે સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગારેટ મળતા ચકચાર


  • Published By :
  • Published Date : 2022-12-04 20:33:41

ગુજરાતમાં દારૂબંધીના સર્વત્ર લિરેલીરા ઉડી રહ્યા છે. રાજ્યમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતનું યુવાધન દારૂના રવાડે ચડી તેમની જિંદગી બરબાદ કરી રહ્યું છે. જો કે આવે સ્કૂલમાં જતા ભૂલકાઓ પણ દારૂના બંધાણી થતા જાય છે. વડોદરાની એક સ્કૂલના ધોરણ-7ના ચાર વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ અને સિગારેટસ મળતા ચકચાર મચી ગઈ છે.


શું હતી સમગ્ર ઘટના?


સંસ્કારી નગરી વડોદરાના સાવલી રોડ પર આવેલી એક સ્કૂલમાં 4 વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગરેટ મળી આવતા અંધાધુંધી ફેલાઈ છે. સમાં સાવલી રોડ પર આવેલી અંબે સ્કૂલમાં ધોરણ સાતના 4 વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગારેટ મળી આવ્યા હતા. વડોદરાની આ ઘટના માત્ર સ્થાનિક જ નહીં પણ સમગ્ર ગુજરાના વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે.


સ્કૂલમાં દારૂ અને સિગારેટ ક્યાંથી આવી?


ધ્રુજાવી દે તેવી આ સમગ્ર ઘટનાની જાણ વાલીઓ સુધી પહોંચતા તેમણે સ્કૂલ મેનેજમેન્ટને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. અંબે સ્કૂલના સંચાલકોએ ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હોવાની વાત સામે આવી રહી છે. વિદ્યાર્થીઓ શાળામાં દારૂ અને સિગરેટ કેવી રીતે લાવ્યા અને શું તે લોકો જ દારૂ અને સિગરેટનો નશો કરતા હતા તે મામલે પણ તપાસ હાથ ધરાઇ છે. જો કે શાળાએ આ મામલે સત્તાવાર જાણકારી મળી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.