સંસ્કારીનગરી વડોદરાની અંબે સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગારેટ મળતા ચકચાર


  • Published By :
  • Published Date : 2022-12-04 20:33:41

ગુજરાતમાં દારૂબંધીના સર્વત્ર લિરેલીરા ઉડી રહ્યા છે. રાજ્યમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતનું યુવાધન દારૂના રવાડે ચડી તેમની જિંદગી બરબાદ કરી રહ્યું છે. જો કે આવે સ્કૂલમાં જતા ભૂલકાઓ પણ દારૂના બંધાણી થતા જાય છે. વડોદરાની એક સ્કૂલના ધોરણ-7ના ચાર વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ અને સિગારેટસ મળતા ચકચાર મચી ગઈ છે.


શું હતી સમગ્ર ઘટના?


સંસ્કારી નગરી વડોદરાના સાવલી રોડ પર આવેલી એક સ્કૂલમાં 4 વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગરેટ મળી આવતા અંધાધુંધી ફેલાઈ છે. સમાં સાવલી રોડ પર આવેલી અંબે સ્કૂલમાં ધોરણ સાતના 4 વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગારેટ મળી આવ્યા હતા. વડોદરાની આ ઘટના માત્ર સ્થાનિક જ નહીં પણ સમગ્ર ગુજરાના વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે.


સ્કૂલમાં દારૂ અને સિગારેટ ક્યાંથી આવી?


ધ્રુજાવી દે તેવી આ સમગ્ર ઘટનાની જાણ વાલીઓ સુધી પહોંચતા તેમણે સ્કૂલ મેનેજમેન્ટને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. અંબે સ્કૂલના સંચાલકોએ ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હોવાની વાત સામે આવી રહી છે. વિદ્યાર્થીઓ શાળામાં દારૂ અને સિગરેટ કેવી રીતે લાવ્યા અને શું તે લોકો જ દારૂ અને સિગરેટનો નશો કરતા હતા તે મામલે પણ તપાસ હાથ ધરાઇ છે. જો કે શાળાએ આ મામલે સત્તાવાર જાણકારી મળી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.