વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું, રાજીનામું કેમ આપ્યું તેનું કારણ જણાવ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-25 13:04:24

ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી કે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. કોણ આપશે તેની અટકળો હતી કારણ કે ત્રણ ધારાસભ્યોના નામની ચર્ચા થઈ રહી હતી. એક હતા અર્જુન મોઢવાડિયા, બીજા હતા ગુલાબસિંહ ચૌહાણ અને ત્રીજા હતા અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા.. પછી એવી માહિતી સામે આવી વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે. વિધાનસભા અધ્યક્ષને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવા જ્યારે તે પહોંચ્યા હતા તે પહેલા તેમણે નિવેદન આપ્યું હતું કે તે રાજીનામું આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં તે આગામી દિવસોમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.

   

Image

ગમે ત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય જોડાઈ શકે છે ભાજપમાં!

ગુજરાત વિધાનસભાની બેઠકો 182 છે. ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. કોંગ્રેસને 17 સીટો મળી હતી, અપક્ષની 3 અને આમ આદમી પાર્ટીની 5 સીટો હતી. થોડા દિવસો પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપી ચૂક્યા છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ રાજીનામું આપી ચૂક્યા છે ત્યારે આજે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. થોડા દિવસો બાદ તે ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે હમણાં ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે.      



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.