વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું, રાજીનામું કેમ આપ્યું તેનું કારણ જણાવ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-25 13:04:24

ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી કે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. કોણ આપશે તેની અટકળો હતી કારણ કે ત્રણ ધારાસભ્યોના નામની ચર્ચા થઈ રહી હતી. એક હતા અર્જુન મોઢવાડિયા, બીજા હતા ગુલાબસિંહ ચૌહાણ અને ત્રીજા હતા અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા.. પછી એવી માહિતી સામે આવી વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે. વિધાનસભા અધ્યક્ષને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવા જ્યારે તે પહોંચ્યા હતા તે પહેલા તેમણે નિવેદન આપ્યું હતું કે તે રાજીનામું આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં તે આગામી દિવસોમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.

   

Image

ગમે ત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય જોડાઈ શકે છે ભાજપમાં!

ગુજરાત વિધાનસભાની બેઠકો 182 છે. ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. કોંગ્રેસને 17 સીટો મળી હતી, અપક્ષની 3 અને આમ આદમી પાર્ટીની 5 સીટો હતી. થોડા દિવસો પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપી ચૂક્યા છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ રાજીનામું આપી ચૂક્યા છે ત્યારે આજે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. થોડા દિવસો બાદ તે ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે હમણાં ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે.      



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે