વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું, રાજીનામું કેમ આપ્યું તેનું કારણ જણાવ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-25 13:04:24

ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી કે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. કોણ આપશે તેની અટકળો હતી કારણ કે ત્રણ ધારાસભ્યોના નામની ચર્ચા થઈ રહી હતી. એક હતા અર્જુન મોઢવાડિયા, બીજા હતા ગુલાબસિંહ ચૌહાણ અને ત્રીજા હતા અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા.. પછી એવી માહિતી સામે આવી વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે. વિધાનસભા અધ્યક્ષને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવા જ્યારે તે પહોંચ્યા હતા તે પહેલા તેમણે નિવેદન આપ્યું હતું કે તે રાજીનામું આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં તે આગામી દિવસોમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.

   

Image

ગમે ત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય જોડાઈ શકે છે ભાજપમાં!

ગુજરાત વિધાનસભાની બેઠકો 182 છે. ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. કોંગ્રેસને 17 સીટો મળી હતી, અપક્ષની 3 અને આમ આદમી પાર્ટીની 5 સીટો હતી. થોડા દિવસો પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપી ચૂક્યા છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ રાજીનામું આપી ચૂક્યા છે ત્યારે આજે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. થોડા દિવસો બાદ તે ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે હમણાં ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.