ભાવનગરમાં રબારી યુવકનો જીવ લેનારનો નીકળ્યો વરઘોડો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-02 21:19:40

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો  પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને  વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે. 

ભાવનગર જિલ્લાનો ઘોઘા તાલુકો અને ઘોઘા તાલુકાનું વાળકુડ ગામ કે જ્યાં પ્રેમ લગ્નને લઇને રવિ કળોતરા ઉર્ફે લાલો રબારી નામના યુવકનો જીવ લઇ લેવામાં આવ્યો હતો.  વરતેજ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિની સામે આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાય છે.  આ રવિ કળોતરા ઉર્ફે લાલો રબારીએ મુન્ના પ્રફુલ બલિયા સાથે કે જે અમદાવાદનો રહેવાસી છે તેની દીકરી સાથે ૨૦૨૩ના વર્ષમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લાલો રબારી આ મુન્ના પ્રફુલ બલિયાના ત્યાં નોકરી કરતો હતો તેવી વાત પણ પોલીસ તપાસમાં બહાર આવી છે. આ મુન્ના પ્રફુલ બલિયાએ મૃતક લાલો રબારીનું ઘર પણ સળગાવી નાખ્યું હતું. હવે , ત્રણ આરોપી જેમના નામ છે , હરેશ હાલ , કિશોર ચૌહાણ અને રોહિત સિહોર નામના ત્રણેય આરોપીઓને વાળકુડ ગામે લાવીને પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો. 

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, વાળુકડ ગામનો રવિ ઉર્ફે લાલા રબારી નામનો યુવક અમદાવાદમાં ડ્રાઇવિંગની નોકરી કરતો હતો. ત્યાં તેને મૂળ સિહોરના અને હાલ અમદાવાદ રહેતા મુન્ના પ્રફુલ બલિયાની દીકરી જાનવી સાથે પ્રેમ પાંગર્યો હતો. રવિની માતા ધનીબેને જાનવીના ઘરે સગાઈનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ યુવતીના પિતા મુન્નાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ, 2023 માં રવિ અને જાનવીએ અમદાવાદની કોર્ટમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન પછી જાનવી તેના પિતાના ઘરે જ રહેતી હતી અને રવિ પરત ભાવનગર આવી ગયો હતો. આ પ્રેમલગ્નથી યુવતીના પિતા ખૂબ જ નારાજ હતા. પરિણામે રવિને અવારનવાર ધમકીઓ મળતી હતી. હવે રવિનો જીવ લઇ લેવામાં આવ્યો છે.  ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસ, ASP ઘનશ્યામ ગૌતમ અને સીટી DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. રવિની માતાની ફરિયાદના આધારે પોલીસે યુવતીના પિતા સહિત 4 લોકો સામે BNS કલમ 103(1), 61(2), 3(5), 351(3) અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ત્વરિત એક્શન લેતા આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.