ભાવનગરમાં રબારી યુવકનો જીવ લેનારનો નીકળ્યો વરઘોડો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-02 21:19:40

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો  પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને  વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે. 

ભાવનગર જિલ્લાનો ઘોઘા તાલુકો અને ઘોઘા તાલુકાનું વાળકુડ ગામ કે જ્યાં પ્રેમ લગ્નને લઇને રવિ કળોતરા ઉર્ફે લાલો રબારી નામના યુવકનો જીવ લઇ લેવામાં આવ્યો હતો.  વરતેજ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિની સામે આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાય છે.  આ રવિ કળોતરા ઉર્ફે લાલો રબારીએ મુન્ના પ્રફુલ બલિયા સાથે કે જે અમદાવાદનો રહેવાસી છે તેની દીકરી સાથે ૨૦૨૩ના વર્ષમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લાલો રબારી આ મુન્ના પ્રફુલ બલિયાના ત્યાં નોકરી કરતો હતો તેવી વાત પણ પોલીસ તપાસમાં બહાર આવી છે. આ મુન્ના પ્રફુલ બલિયાએ મૃતક લાલો રબારીનું ઘર પણ સળગાવી નાખ્યું હતું. હવે , ત્રણ આરોપી જેમના નામ છે , હરેશ હાલ , કિશોર ચૌહાણ અને રોહિત સિહોર નામના ત્રણેય આરોપીઓને વાળકુડ ગામે લાવીને પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો. 

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, વાળુકડ ગામનો રવિ ઉર્ફે લાલા રબારી નામનો યુવક અમદાવાદમાં ડ્રાઇવિંગની નોકરી કરતો હતો. ત્યાં તેને મૂળ સિહોરના અને હાલ અમદાવાદ રહેતા મુન્ના પ્રફુલ બલિયાની દીકરી જાનવી સાથે પ્રેમ પાંગર્યો હતો. રવિની માતા ધનીબેને જાનવીના ઘરે સગાઈનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ યુવતીના પિતા મુન્નાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ, 2023 માં રવિ અને જાનવીએ અમદાવાદની કોર્ટમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન પછી જાનવી તેના પિતાના ઘરે જ રહેતી હતી અને રવિ પરત ભાવનગર આવી ગયો હતો. આ પ્રેમલગ્નથી યુવતીના પિતા ખૂબ જ નારાજ હતા. પરિણામે રવિને અવારનવાર ધમકીઓ મળતી હતી. હવે રવિનો જીવ લઇ લેવામાં આવ્યો છે.  ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસ, ASP ઘનશ્યામ ગૌતમ અને સીટી DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. રવિની માતાની ફરિયાદના આધારે પોલીસે યુવતીના પિતા સહિત 4 લોકો સામે BNS કલમ 103(1), 61(2), 3(5), 351(3) અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ત્વરિત એક્શન લેતા આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.