ભાવનગરમાં રબારી યુવકનો જીવ લેનારનો નીકળ્યો વરઘોડો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-02 21:19:40

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો  પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને  વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે. 

ભાવનગર જિલ્લાનો ઘોઘા તાલુકો અને ઘોઘા તાલુકાનું વાળકુડ ગામ કે જ્યાં પ્રેમ લગ્નને લઇને રવિ કળોતરા ઉર્ફે લાલો રબારી નામના યુવકનો જીવ લઇ લેવામાં આવ્યો હતો.  વરતેજ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિની સામે આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાય છે.  આ રવિ કળોતરા ઉર્ફે લાલો રબારીએ મુન્ના પ્રફુલ બલિયા સાથે કે જે અમદાવાદનો રહેવાસી છે તેની દીકરી સાથે ૨૦૨૩ના વર્ષમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લાલો રબારી આ મુન્ના પ્રફુલ બલિયાના ત્યાં નોકરી કરતો હતો તેવી વાત પણ પોલીસ તપાસમાં બહાર આવી છે. આ મુન્ના પ્રફુલ બલિયાએ મૃતક લાલો રબારીનું ઘર પણ સળગાવી નાખ્યું હતું. હવે , ત્રણ આરોપી જેમના નામ છે , હરેશ હાલ , કિશોર ચૌહાણ અને રોહિત સિહોર નામના ત્રણેય આરોપીઓને વાળકુડ ગામે લાવીને પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો. 

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, વાળુકડ ગામનો રવિ ઉર્ફે લાલા રબારી નામનો યુવક અમદાવાદમાં ડ્રાઇવિંગની નોકરી કરતો હતો. ત્યાં તેને મૂળ સિહોરના અને હાલ અમદાવાદ રહેતા મુન્ના પ્રફુલ બલિયાની દીકરી જાનવી સાથે પ્રેમ પાંગર્યો હતો. રવિની માતા ધનીબેને જાનવીના ઘરે સગાઈનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ યુવતીના પિતા મુન્નાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ, 2023 માં રવિ અને જાનવીએ અમદાવાદની કોર્ટમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન પછી જાનવી તેના પિતાના ઘરે જ રહેતી હતી અને રવિ પરત ભાવનગર આવી ગયો હતો. આ પ્રેમલગ્નથી યુવતીના પિતા ખૂબ જ નારાજ હતા. પરિણામે રવિને અવારનવાર ધમકીઓ મળતી હતી. હવે રવિનો જીવ લઇ લેવામાં આવ્યો છે.  ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસ, ASP ઘનશ્યામ ગૌતમ અને સીટી DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. રવિની માતાની ફરિયાદના આધારે પોલીસે યુવતીના પિતા સહિત 4 લોકો સામે BNS કલમ 103(1), 61(2), 3(5), 351(3) અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ત્વરિત એક્શન લેતા આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.