ગાયને કારણે વલસાડ નજીક વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત


  • Published By :
  • Published Date : 2022-10-29 11:36:42

વંદે ભારત ટ્રેનને ફરી એક વખત અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. ફરી એક વખત ગાય વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. ટ્રેનની જ્યાંરથી શરૂઆત થઈ છે ત્યારથી આ ત્રીજી વખત ટ્રેનનો અકસ્માત થયો છે. ટ્રેનને નુકસાન પહોંચતા રેલવે કર્મચારીઓ દોડતા થઈ ગયા છે.  

વંદેભારત ટ્રેનને ત્રીજીવાર નડ્યો અકસ્માત, વલસાડમાં ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન

ત્રીજી વખત ટ્રેનને નડ્યો અકસ્માત

પ્રધાનમંત્રીએ એક મહિના પહેલા જ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેનની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી અનેક વખત ટ્રેનને અકસ્માત નડી રહ્યો છે. ત્રીજી વખત ટ્રેનને વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક અકસ્માત નડ્યો છે. આ વખતે પણ ગાય અડફેટે આવી જતા ટ્રેનને ભારે નુકસાન થયું છે. વંદે ભારત ટ્રેનનો અકસ્માત પશુ સાથે થઈ રહ્યો છે. કોઈ વખત ગાય આડે આવી જાય છે તો કોઈ વખત ભેંસ રેલવે ટ્રેક પર આવી જાય છે. પહેલા રખડતા પશુઓ રસ્તા પર ચાલતા લોકોને હેરાન કરતા હતા જ્યારે હવે ટ્રેનને પણ પશુઓ નડી રહ્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.