ગાયને કારણે વલસાડ નજીક વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-29 11:36:42

વંદે ભારત ટ્રેનને ફરી એક વખત અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. ફરી એક વખત ગાય વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. ટ્રેનની જ્યાંરથી શરૂઆત થઈ છે ત્યારથી આ ત્રીજી વખત ટ્રેનનો અકસ્માત થયો છે. ટ્રેનને નુકસાન પહોંચતા રેલવે કર્મચારીઓ દોડતા થઈ ગયા છે.  

વંદેભારત ટ્રેનને ત્રીજીવાર નડ્યો અકસ્માત, વલસાડમાં ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન

ત્રીજી વખત ટ્રેનને નડ્યો અકસ્માત

પ્રધાનમંત્રીએ એક મહિના પહેલા જ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેનની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી અનેક વખત ટ્રેનને અકસ્માત નડી રહ્યો છે. ત્રીજી વખત ટ્રેનને વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક અકસ્માત નડ્યો છે. આ વખતે પણ ગાય અડફેટે આવી જતા ટ્રેનને ભારે નુકસાન થયું છે. વંદે ભારત ટ્રેનનો અકસ્માત પશુ સાથે થઈ રહ્યો છે. કોઈ વખત ગાય આડે આવી જાય છે તો કોઈ વખત ભેંસ રેલવે ટ્રેક પર આવી જાય છે. પહેલા રખડતા પશુઓ રસ્તા પર ચાલતા લોકોને હેરાન કરતા હતા જ્યારે હવે ટ્રેનને પણ પશુઓ નડી રહ્યા છે.



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..