વંદે ભારત ટ્રેન પર ઘાત બેસી??? 24 કલાકની અંદર પશ્ચિમબંગાળમાં બીજી વખત ટ્રેન બની પથ્થરમારાનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-01-04 12:00:27

વંદે ભારત ટ્રેન પર ફરી એક વખત પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે. પશ્મિબંગાળમાં શરૂ થયેલી વંદે ભારત ટ્રેન પર સતત બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ગઈ કાલે જ ટ્રેનને પથ્થરમારાનો સામનો કરવો પડયો હતો ત્યારે 24 કલાકમાં બીજી વખત ટ્રેન પર હુમલો થયો છે. જેને કારણે રેલ્વે વિભાગ દોડતું થયું છે.

  

બીજી વખત ટ્રેન પર થયો પથ્થરમારો 

30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્મિબંગાળમાં વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેનની સુવિધાને થોડા દિવસો જ વિત્યા છે પરંતુ ટ્રેન પર અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ટ્રેન પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બીજી વખતનો હુમલો ફાંસીદેવા વિસ્તાર નજીક આ હુમલો થયો છે. 


પથ્થરમારો થતા બારીના કાંચ તૂટ્યા

સતત બીજી વખત પશ્ચિમ બંગાળની વંદે ભારત ટ્રેન પર હુમલો થયો છે. કાલે માલદા સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. બીજી વખતનો હુમલો દાર્જિલિંગ જિલ્લાના સિલિગુડી સબડિવિઝનના ફાંસીદેવા નજીક હુમલો થયો છે. આ પથ્થરમારાને કારણે ટ્રેનના C-3 અને C-6 કોચની બારીને નુકસાન પહોંચ્યું છે. ગુજરાતમાં ચાલતી વંદે ભારત ટ્રેનને પણ અનેક વખત અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. રખડતા પશુઓ ટ્રેક પર આવી જતા અકસ્માત સર્જાય છે. ઉપરાંત વંદે ભારત ટ્રેનને નુકસાન પણ પહોંચે છે.      

 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.