વંદે ભારત ટ્રેન પર ઘાત બેસી??? 24 કલાકની અંદર પશ્ચિમબંગાળમાં બીજી વખત ટ્રેન બની પથ્થરમારાનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-01-04 12:00:27

વંદે ભારત ટ્રેન પર ફરી એક વખત પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે. પશ્મિબંગાળમાં શરૂ થયેલી વંદે ભારત ટ્રેન પર સતત બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ગઈ કાલે જ ટ્રેનને પથ્થરમારાનો સામનો કરવો પડયો હતો ત્યારે 24 કલાકમાં બીજી વખત ટ્રેન પર હુમલો થયો છે. જેને કારણે રેલ્વે વિભાગ દોડતું થયું છે.

  

બીજી વખત ટ્રેન પર થયો પથ્થરમારો 

30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્મિબંગાળમાં વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેનની સુવિધાને થોડા દિવસો જ વિત્યા છે પરંતુ ટ્રેન પર અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ટ્રેન પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બીજી વખતનો હુમલો ફાંસીદેવા વિસ્તાર નજીક આ હુમલો થયો છે. 


પથ્થરમારો થતા બારીના કાંચ તૂટ્યા

સતત બીજી વખત પશ્ચિમ બંગાળની વંદે ભારત ટ્રેન પર હુમલો થયો છે. કાલે માલદા સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. બીજી વખતનો હુમલો દાર્જિલિંગ જિલ્લાના સિલિગુડી સબડિવિઝનના ફાંસીદેવા નજીક હુમલો થયો છે. આ પથ્થરમારાને કારણે ટ્રેનના C-3 અને C-6 કોચની બારીને નુકસાન પહોંચ્યું છે. ગુજરાતમાં ચાલતી વંદે ભારત ટ્રેનને પણ અનેક વખત અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. રખડતા પશુઓ ટ્રેક પર આવી જતા અકસ્માત સર્જાય છે. ઉપરાંત વંદે ભારત ટ્રેનને નુકસાન પણ પહોંચે છે.      

 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.