વંદે ભારત ટ્રેન પર ઘાત બેસી??? 24 કલાકની અંદર પશ્ચિમબંગાળમાં બીજી વખત ટ્રેન બની પથ્થરમારાનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-01-04 12:00:27

વંદે ભારત ટ્રેન પર ફરી એક વખત પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે. પશ્મિબંગાળમાં શરૂ થયેલી વંદે ભારત ટ્રેન પર સતત બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ગઈ કાલે જ ટ્રેનને પથ્થરમારાનો સામનો કરવો પડયો હતો ત્યારે 24 કલાકમાં બીજી વખત ટ્રેન પર હુમલો થયો છે. જેને કારણે રેલ્વે વિભાગ દોડતું થયું છે.

  

બીજી વખત ટ્રેન પર થયો પથ્થરમારો 

30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્મિબંગાળમાં વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેનની સુવિધાને થોડા દિવસો જ વિત્યા છે પરંતુ ટ્રેન પર અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ટ્રેન પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બીજી વખતનો હુમલો ફાંસીદેવા વિસ્તાર નજીક આ હુમલો થયો છે. 


પથ્થરમારો થતા બારીના કાંચ તૂટ્યા

સતત બીજી વખત પશ્ચિમ બંગાળની વંદે ભારત ટ્રેન પર હુમલો થયો છે. કાલે માલદા સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. બીજી વખતનો હુમલો દાર્જિલિંગ જિલ્લાના સિલિગુડી સબડિવિઝનના ફાંસીદેવા નજીક હુમલો થયો છે. આ પથ્થરમારાને કારણે ટ્રેનના C-3 અને C-6 કોચની બારીને નુકસાન પહોંચ્યું છે. ગુજરાતમાં ચાલતી વંદે ભારત ટ્રેનને પણ અનેક વખત અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. રખડતા પશુઓ ટ્રેક પર આવી જતા અકસ્માત સર્જાય છે. ઉપરાંત વંદે ભારત ટ્રેનને નુકસાન પણ પહોંચે છે.      

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.