રખડતા પશુને કારણે વંદે ભારત ટ્રેનને પહોંચ્યું નુકસાન, ક્યાં સુધી વંદે ભારત ટ્રેનના થતા રહેશે અકસ્માત?


  • Published By :
  • Published Date : 2022-12-02 08:40:24

રાજ્યમાં રખડતા પશુઓની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. અનેક વખત રખડતા પશુઓને કારણે અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. પરંતુ અનેક વખત રેલ્વે ટ્રેક પર પણ પશુઓ આવી જતા હોય છે જેને કારણે ટ્રેનને તો નુકસાન પહોંચતું હોય છે પરંતુ પશુના મોત પણ થતા હોય છે. મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને ફરી એક વખત અકસ્માત નડ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ ટ્રેક પર ગાય આવી જતા અકસ્માત સર્જાયો છે.


અકસ્માત સર્જાતા 10-15 રોકી દેવાઈ ટ્રેન

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને વાપી નજીક અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. ટ્રેક પર ગાય આવી જતા ફરી એક વખત વંદે ભારત ટ્રેનને નુકસાન પહોંચ્યું છે. અકસ્માત થતા ટ્રેનને 10-15 મીનિટ માટે રોકી દેવામાં આવી હતી અને સામાન્ય મરામત કરી ટ્રેનને ફરી મુંબઈ તરફ જવા રવાના કરાઈ દેવાઈ હતી. 


અંદાજીત પાંચમી વખત ટ્રેનને નડ્યો અકસ્માત 

અનેક વખત વંદે ભારત ટ્રેનને રખડતા પશુને કારણે અકસ્માત નડ્યો છે. જ્યારથી ટ્રેનની શરૂઆત થઈ છે ત્યારથી લઈ અત્યાર સુધી ટ્રેનનો પાંચમી વખત અકસ્માત થયો અને મુખ્યત્વે આ અકસ્માત રખડતા પશુઓને કારણે સર્જાય છે. 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. રાજ્ય સરકારે પોતાના બજેટમાં વધુ વંદે ભારત ટ્રેનને દોડાવાની જાહેરાત કરી છે. પરંતુ આ વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત નડી રહ્યા છે. જેને કારણે ટ્રેનને તો નુકસાન પહોંચે છે પરંતુ પશુધનને પણ હાની પહોંચે છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.