રખડતા પશુને કારણે વંદે ભારત ટ્રેનને પહોંચ્યું નુકસાન, ક્યાં સુધી વંદે ભારત ટ્રેનના થતા રહેશે અકસ્માત?


  • Published By :
  • Published Date : 2022-12-02 08:40:24

રાજ્યમાં રખડતા પશુઓની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. અનેક વખત રખડતા પશુઓને કારણે અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. પરંતુ અનેક વખત રેલ્વે ટ્રેક પર પણ પશુઓ આવી જતા હોય છે જેને કારણે ટ્રેનને તો નુકસાન પહોંચતું હોય છે પરંતુ પશુના મોત પણ થતા હોય છે. મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને ફરી એક વખત અકસ્માત નડ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ ટ્રેક પર ગાય આવી જતા અકસ્માત સર્જાયો છે.


અકસ્માત સર્જાતા 10-15 રોકી દેવાઈ ટ્રેન

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને વાપી નજીક અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. ટ્રેક પર ગાય આવી જતા ફરી એક વખત વંદે ભારત ટ્રેનને નુકસાન પહોંચ્યું છે. અકસ્માત થતા ટ્રેનને 10-15 મીનિટ માટે રોકી દેવામાં આવી હતી અને સામાન્ય મરામત કરી ટ્રેનને ફરી મુંબઈ તરફ જવા રવાના કરાઈ દેવાઈ હતી. 


અંદાજીત પાંચમી વખત ટ્રેનને નડ્યો અકસ્માત 

અનેક વખત વંદે ભારત ટ્રેનને રખડતા પશુને કારણે અકસ્માત નડ્યો છે. જ્યારથી ટ્રેનની શરૂઆત થઈ છે ત્યારથી લઈ અત્યાર સુધી ટ્રેનનો પાંચમી વખત અકસ્માત થયો અને મુખ્યત્વે આ અકસ્માત રખડતા પશુઓને કારણે સર્જાય છે. 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. રાજ્ય સરકારે પોતાના બજેટમાં વધુ વંદે ભારત ટ્રેનને દોડાવાની જાહેરાત કરી છે. પરંતુ આ વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત નડી રહ્યા છે. જેને કારણે ટ્રેનને તો નુકસાન પહોંચે છે પરંતુ પશુધનને પણ હાની પહોંચે છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.