AAPના પૂર્વ નેતા વશરામ સાગઠિયા 30 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા, શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2023-06-21 16:27:37

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઈ કાલે આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. આપના રાજકોટના અગ્રણી નેતા વશરામ સાગઠિયાએ તેમની બરતરફી મુદ્દે જો કે મોટો ખુલાસો કર્યો હતો કે તેમણે પહેલા જ રાજીનામુ આપી દીધું હતું. આજે વશરામ સાગઠિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 



સાગઠિયા સહિત 30 આગેવાન કોંગ્રેસમાં જોડાયા 


આપ નેતા વશરામ સાગઠિયા સહિત 30 આગેવાન કોંગ્રેસમા જોડાઈ ગયા છે. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે તેમણે ખેસ ધારણ કર્યો હતો.આપ પાર્ટીમાંથી મોહભંગ થનાર વશરામ સાગઠિયાએ તેમના સમર્થકો સાથે ઘર વાપસી કરતા કોંગ્રેસમાં આનંદનો માહોલ છે.


કોંગ્રેસમાં જોડાવાની અગાઉ કરી હતી પુષ્ટી


ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદ સંભાળતા પહેલા પદયાત્રા કરી હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા પહોંચતા રાજકારણ ગરમાયું હતું. અંતે આમ આદમી પાર્ટીએ તેમને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. જમાવટ સાથે વાત કરતી વખતે પણ સાગઠીયાએ આજે કોંગ્રેસમાં જોડાવાની પુષ્ટી કરી હતી.



થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.