AAPના પૂર્વ નેતા વશરામ સાગઠિયા 30 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા, શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2023-06-21 16:27:37

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઈ કાલે આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. આપના રાજકોટના અગ્રણી નેતા વશરામ સાગઠિયાએ તેમની બરતરફી મુદ્દે જો કે મોટો ખુલાસો કર્યો હતો કે તેમણે પહેલા જ રાજીનામુ આપી દીધું હતું. આજે વશરામ સાગઠિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 



સાગઠિયા સહિત 30 આગેવાન કોંગ્રેસમાં જોડાયા 


આપ નેતા વશરામ સાગઠિયા સહિત 30 આગેવાન કોંગ્રેસમા જોડાઈ ગયા છે. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે તેમણે ખેસ ધારણ કર્યો હતો.આપ પાર્ટીમાંથી મોહભંગ થનાર વશરામ સાગઠિયાએ તેમના સમર્થકો સાથે ઘર વાપસી કરતા કોંગ્રેસમાં આનંદનો માહોલ છે.


કોંગ્રેસમાં જોડાવાની અગાઉ કરી હતી પુષ્ટી


ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદ સંભાળતા પહેલા પદયાત્રા કરી હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા પહોંચતા રાજકારણ ગરમાયું હતું. અંતે આમ આદમી પાર્ટીએ તેમને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. જમાવટ સાથે વાત કરતી વખતે પણ સાગઠીયાએ આજે કોંગ્રેસમાં જોડાવાની પુષ્ટી કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.