VCE કર્મીઓનું સસ્પેન્શન રદ્દ, વિકાસ કમિશનરે તમામ DDOને કર્યો હુકમ


  • Published By :
  • Published Date : 2023-01-17 14:02:34

ગુજરાત સરકારે VCE કર્મચારીઓનાં હિતમાં મોટો નિર્ણય કર્યો છે. વિકાસ કમિશનરની કચેરી દ્વારા છુટા કરવામાં આવેલા તમામ VCE કર્મચારીઓને પાછા લેવા માટેનો પત્ર લખી તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ને સુચના આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ 40 જેટલા VCE કર્મચારીઓને તેમની ફરજ પરથી છુટા કરવામાં આવ્યા હતા.


 માટે છુટા કરાવાનો નિર્ણય પરત લેવાયો?


જિલ્લા વિકાસ  અધિકારીઓ દ્વારા 40 જેટલા VCE કર્મચારીઓને છૂટા કરવામાં આવતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક મંડળના પ્રમુખ દ્વારા વિકાસ કમિશનરની કચેરીને પત્ર લખવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે. જો કોઇ VCEને છૂટા કરવા હોય તો તેની લીગલ પ્રક્રિયામાંથી પસાર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા 40 VCEને છૂટા કરાયા હતા. 


પડતર માંગો માટે રજુઆત કરી તો છુટા કરાયા


VCE કર્મચારીઓએ તેમની પડતર માંગોને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની ચિમકી ઉચ્ચારી હતી. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર ઘણા જુદાજુદા જિલ્લાના 40 વી.સી.ઈના આઈડી બ્લોક કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક VCEને છુટા કરવાના હુકમ કરવામાં આવ્યા હતા. VCEની લડત સામે કિન્નાખોરી રાખીને જિલ્લા/તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઘણા VCEને અન્યાય કરવામાં આવ્યો હતો. 


કોણ છે VCE કર્મચારીઓ? 


ગામડાઓમાં સરકારી કામોમાં પ્રજાને મદદ કરતાકોમ્પ્યુટર ઓપરેટરોને વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) કહેવામાં આવે છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે. ગુજરાતમાં લગભગ 14 હજાર ગ્રામપંચાયતોમાં 14 હજાર VCE કર્મી ફરજ બજાવે છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઈ-ગ્રામ કેન્દ્રો આવેલા છે અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી હોય છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.