VCE કર્મીઓનું સસ્પેન્શન રદ્દ, વિકાસ કમિશનરે તમામ DDOને કર્યો હુકમ


  • Published By :
  • Published Date : 2023-01-17 14:02:34

ગુજરાત સરકારે VCE કર્મચારીઓનાં હિતમાં મોટો નિર્ણય કર્યો છે. વિકાસ કમિશનરની કચેરી દ્વારા છુટા કરવામાં આવેલા તમામ VCE કર્મચારીઓને પાછા લેવા માટેનો પત્ર લખી તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ને સુચના આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ 40 જેટલા VCE કર્મચારીઓને તેમની ફરજ પરથી છુટા કરવામાં આવ્યા હતા.


 માટે છુટા કરાવાનો નિર્ણય પરત લેવાયો?


જિલ્લા વિકાસ  અધિકારીઓ દ્વારા 40 જેટલા VCE કર્મચારીઓને છૂટા કરવામાં આવતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક મંડળના પ્રમુખ દ્વારા વિકાસ કમિશનરની કચેરીને પત્ર લખવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે. જો કોઇ VCEને છૂટા કરવા હોય તો તેની લીગલ પ્રક્રિયામાંથી પસાર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા 40 VCEને છૂટા કરાયા હતા. 


પડતર માંગો માટે રજુઆત કરી તો છુટા કરાયા


VCE કર્મચારીઓએ તેમની પડતર માંગોને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની ચિમકી ઉચ્ચારી હતી. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર ઘણા જુદાજુદા જિલ્લાના 40 વી.સી.ઈના આઈડી બ્લોક કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક VCEને છુટા કરવાના હુકમ કરવામાં આવ્યા હતા. VCEની લડત સામે કિન્નાખોરી રાખીને જિલ્લા/તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઘણા VCEને અન્યાય કરવામાં આવ્યો હતો. 


કોણ છે VCE કર્મચારીઓ? 


ગામડાઓમાં સરકારી કામોમાં પ્રજાને મદદ કરતાકોમ્પ્યુટર ઓપરેટરોને વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) કહેવામાં આવે છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે. ગુજરાતમાં લગભગ 14 હજાર ગ્રામપંચાયતોમાં 14 હજાર VCE કર્મી ફરજ બજાવે છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઈ-ગ્રામ કેન્દ્રો આવેલા છે અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી હોય છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.