VCE કર્મીઓનું સસ્પેન્શન રદ્દ, વિકાસ કમિશનરે તમામ DDOને કર્યો હુકમ


  • Published By :
  • Published Date : 2023-01-17 14:02:34

ગુજરાત સરકારે VCE કર્મચારીઓનાં હિતમાં મોટો નિર્ણય કર્યો છે. વિકાસ કમિશનરની કચેરી દ્વારા છુટા કરવામાં આવેલા તમામ VCE કર્મચારીઓને પાછા લેવા માટેનો પત્ર લખી તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ને સુચના આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ 40 જેટલા VCE કર્મચારીઓને તેમની ફરજ પરથી છુટા કરવામાં આવ્યા હતા.


 માટે છુટા કરાવાનો નિર્ણય પરત લેવાયો?


જિલ્લા વિકાસ  અધિકારીઓ દ્વારા 40 જેટલા VCE કર્મચારીઓને છૂટા કરવામાં આવતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક મંડળના પ્રમુખ દ્વારા વિકાસ કમિશનરની કચેરીને પત્ર લખવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે. જો કોઇ VCEને છૂટા કરવા હોય તો તેની લીગલ પ્રક્રિયામાંથી પસાર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા 40 VCEને છૂટા કરાયા હતા. 


પડતર માંગો માટે રજુઆત કરી તો છુટા કરાયા


VCE કર્મચારીઓએ તેમની પડતર માંગોને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની ચિમકી ઉચ્ચારી હતી. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર ઘણા જુદાજુદા જિલ્લાના 40 વી.સી.ઈના આઈડી બ્લોક કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક VCEને છુટા કરવાના હુકમ કરવામાં આવ્યા હતા. VCEની લડત સામે કિન્નાખોરી રાખીને જિલ્લા/તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઘણા VCEને અન્યાય કરવામાં આવ્યો હતો. 


કોણ છે VCE કર્મચારીઓ? 


ગામડાઓમાં સરકારી કામોમાં પ્રજાને મદદ કરતાકોમ્પ્યુટર ઓપરેટરોને વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) કહેવામાં આવે છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે. ગુજરાતમાં લગભગ 14 હજાર ગ્રામપંચાયતોમાં 14 હજાર VCE કર્મી ફરજ બજાવે છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઈ-ગ્રામ કેન્દ્રો આવેલા છે અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી હોય છે. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .