ગાંધીનગર બન્યું આંદોલનનગર, સત્યાગ્રહ છાવણીમાંથી સેંકડો VCE કર્મીઓની અટકાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 12:19:01


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યનાં વિવિધ કર્મચારી મંડળ પોતાની પડતર માંગોને લઈને સરકાર સામે મેદાને પડ્યા છે. કર્મચારીઓને  આશા છે કે આ જ એવો સમય છે જ્યારે સરકાર તેમની માંગોને સ્વીકારશે અથવા તો પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવશે. રાજ્યમાં 10 પણ વધુ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE) કર્મીઓ છેલ્લા ઘણા મહિનાથી સરકાર સામે માંગણીઓ સંદર્ભે આંદોલન ચલાવી રહ્યા છે. મોટી સંખ્યામાં VCE કર્મીઓ તેમની માંગણીઓની રજુઆત માટે ગાંધીનગર ઉમટ્યા છે. VCE કર્મીઓને રેલીને મંજુરી નહીં હોવાથી પોલીસે એક હજારથી વધુ VCE કર્મીઓની અટકાયત કરી લીધી હતી. આ સમયે પોલીસ સાથે ઘર્ષણના પણ દ્રષ્યો જોવા મળ્યા હતા.


CMની બાંહેધરી છતાં અમલ નહીં


રાજ્યભરની ગ્રામપંચાયત કચેરીઓમાં સરકારની ઓનલાઇન સેવા પુરી પાડતા કોમ્પ્યુટર સાહસિકો પગાર અને ભથ્થા સહિત સરકારી કર્મચારીનો દરજ્જો મેળવવા માટે સરકાર સામે છેલ્લા કેટલાક મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે. 27 ઓકટોબર 2021 ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ત્યારે પગાર ધોરણની માંગણીનું નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સુચના આપી કર્મીઓને સકારાત્મક બાંહેધરી આપેલ હતી. પંચાયત વિભાગ તથા મુખ્ય મંત્રીએ  આશ્વાસન આપ્યાને આજ 8 મહિના થવા છતાં કોઈ અમલવારી કરેલ નથી. ગુજરાત રાજ્યના 13,000 જેટલા VCE કર્મીઓને 1 પણ રૂપિયાનો પગાર આપવામાં આવતો નથી. 


VCE કર્મીઓની માંગણી શું છે ?


કમિશન પ્રથા પોલિસી હટાવી ફિક્સ વેતનથી કાયમી નિમણૂંક

સરકારી કર્મીઓ જેટલું કામ કરીએ છીએ તો તેટલો પગાર મળે

સરકારી લાભો આપી સમાન કામ સમાન વેતનની માગ

VCE કર્મીને કાયમી કરી સરકારી કર્મચારી તરીકે માન્યતા આપવામાં આવે

VCEને રક્ષણ આપવામાં આવે, જોબની સિક્યુરિટી આપવામાં આવે

VCE અને પરિવારને આરોગ્ય સુવિધા આપવામાં આવે, વીમા કવચ આપવામાં આવે

VCEને ક્લાર્ક ક્રમ કોમ્પ્યુટર સાહસિકમાં રૂપાંતર કરી વર્ગ-3 ના દરજ્જા સાથે સરકારી કર્મચારી જાહેર કરો

ઈ-ગ્રામ પોલિસી હટાવી સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે

VCEની કામગીરીનો જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે

(જેથી શોષણ અને ખોટું અધિકારીઓ દ્વારા થયુ દબાણ અટકાવી શકાય)

VCE કર્મીઓ સાથે થતો ભેદભાવ દૂર કરવામાં આવે


VCE કર્મીઓની અટકાયત કરાઈ


જિલ્લા અને તાલુકા મથકોએ આંદોલન કરવા છતા આ સાહસિકોની માંગણીઓ નહીં સંતાષાતા આજે સેંકડોની સંખ્યામાં VCE ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રજુઆત સાથે ઉમટયા હતા. જો કે, તેમની રેલીને કોઇ મંજુરી નહીં હોવાથી પોલીસ દ્વારા એક હજારથી વધુ સાહસિકોની અટકાયત કરી લેવામાં આવી હતી અને તેમને કરાઇ પોલીસ એકેડમી ખાતે લઇ જવામાં આવ્યા હતા. સરકાર સામે લડી લેવાના મુડમાં રહેલા આ VCE કર્મીઓ હજુ પણ આંદોલન ઉગ્ર બનાવવાની ચિમકી ઉચ્ચારી હતી અને ચૂંટણીમાં સરકાર વિરોધી પ્રચાર કરવાનું પણ મન બનાવી લીધું છે. 


સરકારના વાંકે ગામ લોકોને હાલાકી


VCE કર્મીઓનું કામ પ્રત્યક્ષ રીતે લોકો સાથે જોડાયેલું હોય છે. એટલે જો આ કર્મચારીઓ તેમની માગોને મનાવવા માટે કામોથી અળગા રહે તો મોટી સંખ્યામાં લોકો પરેશાન થાય જ. VCE કર્મીઓ દ્વારા ગત તા. 11 મે 2022થી સરકાર પગારની જાહેરાત ન કરે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરેલ છે, ગામડાંઓમાં ખેડૂતોની રાજ્યસ્તરની યોજના સંલગ્ન કામગીરી ખોરવાઈ છે. આવકના દાખલા, રાશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, 7-12ના ઉતારા, વિધવા સહાયની એન્ટ્રી, E-શ્રમ કામગીરી Dvs E-નિર્માણની સહિતની વિવિધ કામગીરી ન થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.