રેલ્વેમાં ઉપયોગી વ્હિકલ અને ટ્રેક ભારતમાં બનશે : રેલવે મંત્રીએ કરી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 13:05:12

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારત હવે દેશમાં જ હાઈ-સ્પીડ વ્હીલ અને હાઈ-સ્પીડ ટ્રેક તૈયાર કરશે. જેને લઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કરારનું નામ મેક ઈન ઈન્ડિયા વ્હીલ એગ્રીમેન્ટ રાખવામાં આવ્યું છે.    


મેક ઈન ઈન્ડિયા અભિયાનને મળશે પ્રોત્સાહન 

All You Need To Know About 'Make In India' - iPleaders


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરાવી હતી. ભારતના પૈસા ભારતમાં રહે તેમજ યુવાનોને રોજગારી મળી રહે તે માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દેશના શસ્ત્રો પણ ભારતમાં બની રહ્યા છે. ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારત હવે દેશમાં જ હાઈ-સ્પીડ વ્હીલ અને હાઈ-સ્પીડ ટ્રેક તૈયાર કરશે.


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ફાઇલ તસ્વીર

Union railway minister Ashwini Vaishnaw shares Koo giving 'sneak peak' into  India's first pod hotel | Latest News India - Hindustan Times


રેલવેના આ પાર્ટ હવે ભારતમાં બનશે 

Indian Railways to Make 80,000 'Make in India' Wheels Every Year, Says  Ashwini Vaishnaw

યુરોપથી 1960 ભારત વ્હીલ આયાત કરે છે. હાઈ સ્પીડ ટ્રેનોમાં આ વ્હીલનો ઉપયોગ કરવામાં આવે છે. દર વર્ષે ભારતીય રેલ્વેને અંદાજીત 2 લાખ વ્હીલની જરૂર પડે છે. ટેન્ડરની પ્રકિયા બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. એક લાખ વ્હીલ્સ SAILથી ખરીદવામાં આવી રહ્યા છે. બાકીના વ્હીલ્સ પ્લાન્ટ લગાવી ભારતમાં બનાવામાં આવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.