રેલ્વેમાં ઉપયોગી વ્હિકલ અને ટ્રેક ભારતમાં બનશે : રેલવે મંત્રીએ કરી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 13:05:12

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારત હવે દેશમાં જ હાઈ-સ્પીડ વ્હીલ અને હાઈ-સ્પીડ ટ્રેક તૈયાર કરશે. જેને લઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કરારનું નામ મેક ઈન ઈન્ડિયા વ્હીલ એગ્રીમેન્ટ રાખવામાં આવ્યું છે.    


મેક ઈન ઈન્ડિયા અભિયાનને મળશે પ્રોત્સાહન 

All You Need To Know About 'Make In India' - iPleaders


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરાવી હતી. ભારતના પૈસા ભારતમાં રહે તેમજ યુવાનોને રોજગારી મળી રહે તે માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દેશના શસ્ત્રો પણ ભારતમાં બની રહ્યા છે. ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારત હવે દેશમાં જ હાઈ-સ્પીડ વ્હીલ અને હાઈ-સ્પીડ ટ્રેક તૈયાર કરશે.


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ફાઇલ તસ્વીર

Union railway minister Ashwini Vaishnaw shares Koo giving 'sneak peak' into  India's first pod hotel | Latest News India - Hindustan Times


રેલવેના આ પાર્ટ હવે ભારતમાં બનશે 

Indian Railways to Make 80,000 'Make in India' Wheels Every Year, Says  Ashwini Vaishnaw

યુરોપથી 1960 ભારત વ્હીલ આયાત કરે છે. હાઈ સ્પીડ ટ્રેનોમાં આ વ્હીલનો ઉપયોગ કરવામાં આવે છે. દર વર્ષે ભારતીય રેલ્વેને અંદાજીત 2 લાખ વ્હીલની જરૂર પડે છે. ટેન્ડરની પ્રકિયા બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. એક લાખ વ્હીલ્સ SAILથી ખરીદવામાં આવી રહ્યા છે. બાકીના વ્હીલ્સ પ્લાન્ટ લગાવી ભારતમાં બનાવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે