રેલ્વેમાં ઉપયોગી વ્હિકલ અને ટ્રેક ભારતમાં બનશે : રેલવે મંત્રીએ કરી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 13:05:12

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારત હવે દેશમાં જ હાઈ-સ્પીડ વ્હીલ અને હાઈ-સ્પીડ ટ્રેક તૈયાર કરશે. જેને લઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કરારનું નામ મેક ઈન ઈન્ડિયા વ્હીલ એગ્રીમેન્ટ રાખવામાં આવ્યું છે.    


મેક ઈન ઈન્ડિયા અભિયાનને મળશે પ્રોત્સાહન 

All You Need To Know About 'Make In India' - iPleaders


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરાવી હતી. ભારતના પૈસા ભારતમાં રહે તેમજ યુવાનોને રોજગારી મળી રહે તે માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દેશના શસ્ત્રો પણ ભારતમાં બની રહ્યા છે. ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારત હવે દેશમાં જ હાઈ-સ્પીડ વ્હીલ અને હાઈ-સ્પીડ ટ્રેક તૈયાર કરશે.


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ફાઇલ તસ્વીર

Union railway minister Ashwini Vaishnaw shares Koo giving 'sneak peak' into  India's first pod hotel | Latest News India - Hindustan Times


રેલવેના આ પાર્ટ હવે ભારતમાં બનશે 

Indian Railways to Make 80,000 'Make in India' Wheels Every Year, Says  Ashwini Vaishnaw

યુરોપથી 1960 ભારત વ્હીલ આયાત કરે છે. હાઈ સ્પીડ ટ્રેનોમાં આ વ્હીલનો ઉપયોગ કરવામાં આવે છે. દર વર્ષે ભારતીય રેલ્વેને અંદાજીત 2 લાખ વ્હીલની જરૂર પડે છે. ટેન્ડરની પ્રકિયા બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. એક લાખ વ્હીલ્સ SAILથી ખરીદવામાં આવી રહ્યા છે. બાકીના વ્હીલ્સ પ્લાન્ટ લગાવી ભારતમાં બનાવામાં આવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.