રેલ્વેમાં ઉપયોગી વ્હિકલ અને ટ્રેક ભારતમાં બનશે : રેલવે મંત્રીએ કરી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 13:05:12

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારત હવે દેશમાં જ હાઈ-સ્પીડ વ્હીલ અને હાઈ-સ્પીડ ટ્રેક તૈયાર કરશે. જેને લઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કરારનું નામ મેક ઈન ઈન્ડિયા વ્હીલ એગ્રીમેન્ટ રાખવામાં આવ્યું છે.    


મેક ઈન ઈન્ડિયા અભિયાનને મળશે પ્રોત્સાહન 

All You Need To Know About 'Make In India' - iPleaders


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરાવી હતી. ભારતના પૈસા ભારતમાં રહે તેમજ યુવાનોને રોજગારી મળી રહે તે માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દેશના શસ્ત્રો પણ ભારતમાં બની રહ્યા છે. ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભારત હવે દેશમાં જ હાઈ-સ્પીડ વ્હીલ અને હાઈ-સ્પીડ ટ્રેક તૈયાર કરશે.


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ફાઇલ તસ્વીર

Union railway minister Ashwini Vaishnaw shares Koo giving 'sneak peak' into  India's first pod hotel | Latest News India - Hindustan Times


રેલવેના આ પાર્ટ હવે ભારતમાં બનશે 

Indian Railways to Make 80,000 'Make in India' Wheels Every Year, Says  Ashwini Vaishnaw

યુરોપથી 1960 ભારત વ્હીલ આયાત કરે છે. હાઈ સ્પીડ ટ્રેનોમાં આ વ્હીલનો ઉપયોગ કરવામાં આવે છે. દર વર્ષે ભારતીય રેલ્વેને અંદાજીત 2 લાખ વ્હીલની જરૂર પડે છે. ટેન્ડરની પ્રકિયા બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. એક લાખ વ્હીલ્સ SAILથી ખરીદવામાં આવી રહ્યા છે. બાકીના વ્હીલ્સ પ્લાન્ટ લગાવી ભારતમાં બનાવામાં આવશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.