VHP પ્રમુખ પ્રવીણ તોગડિયાએ લવ જેહાદ કાયદા અંગે કરી વાત! જાણો સરકારને કયો કાયદો લાવવા કરી રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-06-02 12:42:24

વલસાડના અબ્રામાની સરસ્વતી સ્કૂલમાં રાષ્ટ્રીય બજરંગ દળના પ્રશિક્ષણ વર્ગનો કાર્યક્રમ થયો જેમાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા હાજર રહ્યા. પ્રશિક્ષણ વર્ગના પૂર્ણાહૂતિના કાર્યક્રમમાં પ્રવીણ તોગડિયાએ ફરી જૂની સ્ટાઈલમાં તીખી ભાષણબાજી કરી હતી. તેમણે શ્રદ્ધા મર્ડર કેસ, હિન્દુ યુવતીઓની હત્યા, હિન્દુ દીકરીઓને પ્રેમજાળમાં ફસાવવી, એન્ટી લવજેહાદ કાયદો, હિન્દુ દીકરીઓને આત્મ રક્ષા ટ્રેઈનિંગ વગેરે મુદ્દાઓ પર જોર આપ્યું હતું. 

થોડા સમય પહેલા નિવેદનને લઈ આવ્યા હતા ચર્ચામાં!

અગાઉ પ્રવીણ તોગડિયા ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં નિવેદન આપ્યું હતું કે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ન્યાયાધીશ, કલેક્ટર અને એસપી માત્ર હિન્દુ જ બનશે. નર્મદાપુરમમાં પણ જ્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું ત્યારે કહ્યું હતું કે એક સમયે મારો જ સિક્કો ચાલતો હતો. પણ પ્રવીણ તોગડિયાને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રી અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ તેમનો પ્રભાવ ઓછો થઈ ગયો છે.  વલસાડના કાર્યક્રમમાં તેમણે જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં હિન્દુ દિકરીઓને સુરક્ષા માટે કવચ આપવાની તૈયારી છે. 


લવ જેહાદ કાયદો ઘડવા કરી અપીલ!

તે સિવાય ધી કેરલા સ્ટોરી અંગે પણ નિવેદન આપતા કહ્યું કે શું હવે વડોદરા, સુરત, વલસાડ. દિલ્હી જેવી ફિલ્મ બનશે? ધી કેરલા સ્ટોરી ફિલ્મમાં હિંદુઓને શરમમાં નાખે અને હિન્દુઓનું નાક કાપે અવી વાત રજૂ કરવામાં આવી છે. દેશમાં હિન્દુઓની બહેન દીકરી સુરક્ષિત નથી ત્યાં આવી ફિલ્મો બનાવવી પડે છે. એન્ટી લવ જેહાદ કાયદો સરકારે ઘડવો જોઈએ. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.