VHP પ્રમુખ પ્રવીણ તોગડિયાએ લવ જેહાદ કાયદા અંગે કરી વાત! જાણો સરકારને કયો કાયદો લાવવા કરી રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-06-02 12:42:24

વલસાડના અબ્રામાની સરસ્વતી સ્કૂલમાં રાષ્ટ્રીય બજરંગ દળના પ્રશિક્ષણ વર્ગનો કાર્યક્રમ થયો જેમાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા હાજર રહ્યા. પ્રશિક્ષણ વર્ગના પૂર્ણાહૂતિના કાર્યક્રમમાં પ્રવીણ તોગડિયાએ ફરી જૂની સ્ટાઈલમાં તીખી ભાષણબાજી કરી હતી. તેમણે શ્રદ્ધા મર્ડર કેસ, હિન્દુ યુવતીઓની હત્યા, હિન્દુ દીકરીઓને પ્રેમજાળમાં ફસાવવી, એન્ટી લવજેહાદ કાયદો, હિન્દુ દીકરીઓને આત્મ રક્ષા ટ્રેઈનિંગ વગેરે મુદ્દાઓ પર જોર આપ્યું હતું. 

થોડા સમય પહેલા નિવેદનને લઈ આવ્યા હતા ચર્ચામાં!

અગાઉ પ્રવીણ તોગડિયા ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં નિવેદન આપ્યું હતું કે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ન્યાયાધીશ, કલેક્ટર અને એસપી માત્ર હિન્દુ જ બનશે. નર્મદાપુરમમાં પણ જ્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું ત્યારે કહ્યું હતું કે એક સમયે મારો જ સિક્કો ચાલતો હતો. પણ પ્રવીણ તોગડિયાને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રી અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ તેમનો પ્રભાવ ઓછો થઈ ગયો છે.  વલસાડના કાર્યક્રમમાં તેમણે જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં હિન્દુ દિકરીઓને સુરક્ષા માટે કવચ આપવાની તૈયારી છે. 


લવ જેહાદ કાયદો ઘડવા કરી અપીલ!

તે સિવાય ધી કેરલા સ્ટોરી અંગે પણ નિવેદન આપતા કહ્યું કે શું હવે વડોદરા, સુરત, વલસાડ. દિલ્હી જેવી ફિલ્મ બનશે? ધી કેરલા સ્ટોરી ફિલ્મમાં હિંદુઓને શરમમાં નાખે અને હિન્દુઓનું નાક કાપે અવી વાત રજૂ કરવામાં આવી છે. દેશમાં હિન્દુઓની બહેન દીકરી સુરક્ષિત નથી ત્યાં આવી ફિલ્મો બનાવવી પડે છે. એન્ટી લવ જેહાદ કાયદો સરકારે ઘડવો જોઈએ. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.