VHP પ્રમુખ પ્રવીણ તોગડિયાએ લવ જેહાદ કાયદા અંગે કરી વાત! જાણો સરકારને કયો કાયદો લાવવા કરી રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-06-02 12:42:24

વલસાડના અબ્રામાની સરસ્વતી સ્કૂલમાં રાષ્ટ્રીય બજરંગ દળના પ્રશિક્ષણ વર્ગનો કાર્યક્રમ થયો જેમાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા હાજર રહ્યા. પ્રશિક્ષણ વર્ગના પૂર્ણાહૂતિના કાર્યક્રમમાં પ્રવીણ તોગડિયાએ ફરી જૂની સ્ટાઈલમાં તીખી ભાષણબાજી કરી હતી. તેમણે શ્રદ્ધા મર્ડર કેસ, હિન્દુ યુવતીઓની હત્યા, હિન્દુ દીકરીઓને પ્રેમજાળમાં ફસાવવી, એન્ટી લવજેહાદ કાયદો, હિન્દુ દીકરીઓને આત્મ રક્ષા ટ્રેઈનિંગ વગેરે મુદ્દાઓ પર જોર આપ્યું હતું. 

થોડા સમય પહેલા નિવેદનને લઈ આવ્યા હતા ચર્ચામાં!

અગાઉ પ્રવીણ તોગડિયા ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં નિવેદન આપ્યું હતું કે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ન્યાયાધીશ, કલેક્ટર અને એસપી માત્ર હિન્દુ જ બનશે. નર્મદાપુરમમાં પણ જ્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું ત્યારે કહ્યું હતું કે એક સમયે મારો જ સિક્કો ચાલતો હતો. પણ પ્રવીણ તોગડિયાને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રી અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ તેમનો પ્રભાવ ઓછો થઈ ગયો છે.  વલસાડના કાર્યક્રમમાં તેમણે જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં હિન્દુ દિકરીઓને સુરક્ષા માટે કવચ આપવાની તૈયારી છે. 


લવ જેહાદ કાયદો ઘડવા કરી અપીલ!

તે સિવાય ધી કેરલા સ્ટોરી અંગે પણ નિવેદન આપતા કહ્યું કે શું હવે વડોદરા, સુરત, વલસાડ. દિલ્હી જેવી ફિલ્મ બનશે? ધી કેરલા સ્ટોરી ફિલ્મમાં હિંદુઓને શરમમાં નાખે અને હિન્દુઓનું નાક કાપે અવી વાત રજૂ કરવામાં આવી છે. દેશમાં હિન્દુઓની બહેન દીકરી સુરક્ષિત નથી ત્યાં આવી ફિલ્મો બનાવવી પડે છે. એન્ટી લવ જેહાદ કાયદો સરકારે ઘડવો જોઈએ. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.