Vibrant Gujarat 2024 : આ રસ્તાઓ પર જતા હોવ તો પહેલા વાંચી લેજો આ સમાચાર, કારણ કે...


  • Published By :
  • Published Date : 2024-01-09 11:11:31

ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતને લઈ પાટનગર ગાંધીનગરમાં તમામ તૈયારીઓ કરવામાં આવી ગઈ છે. મહેમાનોનું આગમન થઈ રહ્યું છે. વિદેશી મહેમાનોને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાતને લઈ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ કાર્યક્રમને પગલે એરપોર્ટથી ગાંધીનગર સુધી અવરજવર રહેશે. આ કાર્યક્રમને લઈ ટ્રાફિક વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી આજે સાંજે રોડ શો કરવાના છે.  

સફીન હસને આપી માહિતી 

લોકોને અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વ્યવસ્થા અનુસાર આગામી પાંચ દિવસ ઈન્દિરા બ્રિજ એરપોર્ટ સર્કલથી ડફનાળા સુધી વાહનોની અવરજવર ધીમી રહેશે. અમદાવાદથી ગાંધીનગર જતા લોકોને નાના ચિલોડા અને વિસત સર્કલ વાળા રસ્તાનો ઉપયોગ કરવાની સલાહ આપવામં આવી છે. ટ્રાફિક ડીસીપી સફીન હસનને ટ્રાફિકને લઈ કરવામાં આવેલી વ્યવસ્થા અંગેની માહિતી આપી છે. લોકો કયા રસ્તાનો ઉપયોગ કરી શકશે તેવી માહિતી આપવામા આવી છે.   

  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.