Vibrant Gujarat 2024 : આ રસ્તાઓ પર જતા હોવ તો પહેલા વાંચી લેજો આ સમાચાર, કારણ કે...


  • Published By :
  • Published Date : 2024-01-09 11:11:31

ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતને લઈ પાટનગર ગાંધીનગરમાં તમામ તૈયારીઓ કરવામાં આવી ગઈ છે. મહેમાનોનું આગમન થઈ રહ્યું છે. વિદેશી મહેમાનોને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાતને લઈ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ કાર્યક્રમને પગલે એરપોર્ટથી ગાંધીનગર સુધી અવરજવર રહેશે. આ કાર્યક્રમને લઈ ટ્રાફિક વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી આજે સાંજે રોડ શો કરવાના છે.  

સફીન હસને આપી માહિતી 

લોકોને અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વ્યવસ્થા અનુસાર આગામી પાંચ દિવસ ઈન્દિરા બ્રિજ એરપોર્ટ સર્કલથી ડફનાળા સુધી વાહનોની અવરજવર ધીમી રહેશે. અમદાવાદથી ગાંધીનગર જતા લોકોને નાના ચિલોડા અને વિસત સર્કલ વાળા રસ્તાનો ઉપયોગ કરવાની સલાહ આપવામં આવી છે. ટ્રાફિક ડીસીપી સફીન હસનને ટ્રાફિકને લઈ કરવામાં આવેલી વ્યવસ્થા અંગેની માહિતી આપી છે. લોકો કયા રસ્તાનો ઉપયોગ કરી શકશે તેવી માહિતી આપવામા આવી છે.   

  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે