Vibrant Gujarat 2024 : આ રસ્તાઓ પર જતા હોવ તો પહેલા વાંચી લેજો આ સમાચાર, કારણ કે...


  • Published By :
  • Published Date : 2024-01-09 11:11:31

ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતને લઈ પાટનગર ગાંધીનગરમાં તમામ તૈયારીઓ કરવામાં આવી ગઈ છે. મહેમાનોનું આગમન થઈ રહ્યું છે. વિદેશી મહેમાનોને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાતને લઈ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ કાર્યક્રમને પગલે એરપોર્ટથી ગાંધીનગર સુધી અવરજવર રહેશે. આ કાર્યક્રમને લઈ ટ્રાફિક વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી આજે સાંજે રોડ શો કરવાના છે.  

સફીન હસને આપી માહિતી 

લોકોને અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. વ્યવસ્થા અનુસાર આગામી પાંચ દિવસ ઈન્દિરા બ્રિજ એરપોર્ટ સર્કલથી ડફનાળા સુધી વાહનોની અવરજવર ધીમી રહેશે. અમદાવાદથી ગાંધીનગર જતા લોકોને નાના ચિલોડા અને વિસત સર્કલ વાળા રસ્તાનો ઉપયોગ કરવાની સલાહ આપવામં આવી છે. ટ્રાફિક ડીસીપી સફીન હસનને ટ્રાફિકને લઈ કરવામાં આવેલી વ્યવસ્થા અંગેની માહિતી આપી છે. લોકો કયા રસ્તાનો ઉપયોગ કરી શકશે તેવી માહિતી આપવામા આવી છે.   

  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.