વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: મુસાફરો માટે અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-08 17:56:41

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ થીમ સાથે યોજાઈ રહી છે. તેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં મુસાફરોને તેમની ફ્લાઈટ પકડવા માટે નિર્ધારિત સમય પહેલા પહોંચી જવા વિનંતી કરવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ 9થી 12 જાન્યુઆરી સુધી અત્યંત વ્યસ્ત રહેશે. એરપોર્ટ પરથી એક દિવસમાં 400થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ થશે. આ સમયગાળા દરમિયાન 150થી વધુ VIP ખાનગી પ્લેનથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટે સ્થાનિક મુસાફરોને ત્રણ કલાક અગાઉ જાણ કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદી સવારે 9:45 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે.


ત્રણ કલાકમાં પહોંચવાની સલાહ


વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર ભારે ટ્રાફિકને હેન્ડલ કરવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી સમિટમાં આવનારા મુસાફરો અને મહેમાનોને અસુવિધા ન થાય. અમદાવાદ એરપોર્ટ ત્રણ દિવસ સુધી 150થી વધુ સ્થાનિક અને વિદેશી ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવરજવરથી ધમધમતું રહેશે. જેના કારણે એરપોર્ટ પર પાર્કિંગની સમસ્યા પણ ઉભી થઈ રહી છે. વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ માટે એક દિવસમાં 400 ફ્લાઈટ્સ એરપોર્ટ પર પહોંચશે.આવી સ્થિતિમાં વડોદરા, રાજકોટ અને સુરત એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર 43 જેટલા વિમાનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસ ડોમેસ્ટિક ફ્લાઈટ પણ ઓપરેટ કરવામાં આવશે.


34 દેશોના પ્રતિનિધીઓ રહેશે ઉપસ્થિત


PM મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મુખ્ય અતિથિ તરીકે  UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કરવા અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ચાર દેશોના રાજ્યોના વડાઓ સાથે 18 દેશોના ગવર્નર-મંત્રીઓ અને 14 દેશોના અનેક પ્રતિનિધિઓ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે સાંજે વાઈબ્રન્ટ સમિટ માટે ગુજરાત પહોંચશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનોના પ્રતિનિધીઓ તથા ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ ઉપસ્થિત રહેશે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે