વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: મુસાફરો માટે અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-08 17:56:41

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ થીમ સાથે યોજાઈ રહી છે. તેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં મુસાફરોને તેમની ફ્લાઈટ પકડવા માટે નિર્ધારિત સમય પહેલા પહોંચી જવા વિનંતી કરવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ 9થી 12 જાન્યુઆરી સુધી અત્યંત વ્યસ્ત રહેશે. એરપોર્ટ પરથી એક દિવસમાં 400થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ થશે. આ સમયગાળા દરમિયાન 150થી વધુ VIP ખાનગી પ્લેનથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટે સ્થાનિક મુસાફરોને ત્રણ કલાક અગાઉ જાણ કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદી સવારે 9:45 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે.


ત્રણ કલાકમાં પહોંચવાની સલાહ


વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર ભારે ટ્રાફિકને હેન્ડલ કરવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી સમિટમાં આવનારા મુસાફરો અને મહેમાનોને અસુવિધા ન થાય. અમદાવાદ એરપોર્ટ ત્રણ દિવસ સુધી 150થી વધુ સ્થાનિક અને વિદેશી ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવરજવરથી ધમધમતું રહેશે. જેના કારણે એરપોર્ટ પર પાર્કિંગની સમસ્યા પણ ઉભી થઈ રહી છે. વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ માટે એક દિવસમાં 400 ફ્લાઈટ્સ એરપોર્ટ પર પહોંચશે.આવી સ્થિતિમાં વડોદરા, રાજકોટ અને સુરત એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર 43 જેટલા વિમાનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસ ડોમેસ્ટિક ફ્લાઈટ પણ ઓપરેટ કરવામાં આવશે.


34 દેશોના પ્રતિનિધીઓ રહેશે ઉપસ્થિત


PM મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મુખ્ય અતિથિ તરીકે  UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કરવા અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ચાર દેશોના રાજ્યોના વડાઓ સાથે 18 દેશોના ગવર્નર-મંત્રીઓ અને 14 દેશોના અનેક પ્રતિનિધિઓ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે સાંજે વાઈબ્રન્ટ સમિટ માટે ગુજરાત પહોંચશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનોના પ્રતિનિધીઓ તથા ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ ઉપસ્થિત રહેશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.