વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: મુસાફરો માટે અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-08 17:56:41

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ થીમ સાથે યોજાઈ રહી છે. તેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં મુસાફરોને તેમની ફ્લાઈટ પકડવા માટે નિર્ધારિત સમય પહેલા પહોંચી જવા વિનંતી કરવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ 9થી 12 જાન્યુઆરી સુધી અત્યંત વ્યસ્ત રહેશે. એરપોર્ટ પરથી એક દિવસમાં 400થી વધુ ફ્લાઈટ્સ ઓપરેટ થશે. આ સમયગાળા દરમિયાન 150થી વધુ VIP ખાનગી પ્લેનથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટે સ્થાનિક મુસાફરોને ત્રણ કલાક અગાઉ જાણ કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદી સવારે 9:45 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે.


ત્રણ કલાકમાં પહોંચવાની સલાહ


વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર ભારે ટ્રાફિકને હેન્ડલ કરવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી સમિટમાં આવનારા મુસાફરો અને મહેમાનોને અસુવિધા ન થાય. અમદાવાદ એરપોર્ટ ત્રણ દિવસ સુધી 150થી વધુ સ્થાનિક અને વિદેશી ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવરજવરથી ધમધમતું રહેશે. જેના કારણે એરપોર્ટ પર પાર્કિંગની સમસ્યા પણ ઉભી થઈ રહી છે. વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ માટે એક દિવસમાં 400 ફ્લાઈટ્સ એરપોર્ટ પર પહોંચશે.આવી સ્થિતિમાં વડોદરા, રાજકોટ અને સુરત એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર 43 જેટલા વિમાનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસ ડોમેસ્ટિક ફ્લાઈટ પણ ઓપરેટ કરવામાં આવશે.


34 દેશોના પ્રતિનિધીઓ રહેશે ઉપસ્થિત


PM મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મુખ્ય અતિથિ તરીકે  UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કરવા અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ચાર દેશોના રાજ્યોના વડાઓ સાથે 18 દેશોના ગવર્નર-મંત્રીઓ અને 14 દેશોના અનેક પ્રતિનિધિઓ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે સાંજે વાઈબ્રન્ટ સમિટ માટે ગુજરાત પહોંચશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનોના પ્રતિનિધીઓ તથા ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ ઉપસ્થિત રહેશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.