ICICI બેંક ફ્રોડ કેસમાં ચંદા કોચર બાદ વિડીયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-26 13:08:00

ICICI લોન ફ્રોડ કેસમાં થોડા દિવસો પહેલા ICICI બેકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આ મામલા અંતર્ગત વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં વધુ એક મોટા માથાની ધરપકડ કરી લેવામાં આવી છે.

  

સીબીઆઈની વિશેષ કોર્ટ સમક્ષ કરાશે રજૂ 

જ્યારે ચંદા કોચરે ICICI બેંકનો હવાલો સંભાવ્યો છે ત્યારથી તેમણે વિડીયોકોનની જૂદી જૂદી કંપનીઓને લોન મંજૂર કરવામાં આવી છે તેવો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. આરોપ લગાવામાં આવ્યો હતો કે આઈસીઆઈસીઆઈ બેંકે ટ્રેન્ડ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, કેલ લિમિટેડ, વેલ્યુ ઈન્ડસ્ટ્રીયઝ, સેન્ચ્યુરી એપ્લાયન્સ લિમિટેડ, ઈવાન ફ્રેઝર એન્ડ કંપનીને લોન આપી હતી. કોચરની પૂછપરછ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. તેમને સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.