ICICI બેંક ફ્રોડ કેસમાં ચંદા કોચર બાદ વિડીયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-26 13:08:00

ICICI લોન ફ્રોડ કેસમાં થોડા દિવસો પહેલા ICICI બેકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આ મામલા અંતર્ગત વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં વધુ એક મોટા માથાની ધરપકડ કરી લેવામાં આવી છે.

  

સીબીઆઈની વિશેષ કોર્ટ સમક્ષ કરાશે રજૂ 

જ્યારે ચંદા કોચરે ICICI બેંકનો હવાલો સંભાવ્યો છે ત્યારથી તેમણે વિડીયોકોનની જૂદી જૂદી કંપનીઓને લોન મંજૂર કરવામાં આવી છે તેવો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. આરોપ લગાવામાં આવ્યો હતો કે આઈસીઆઈસીઆઈ બેંકે ટ્રેન્ડ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, કેલ લિમિટેડ, વેલ્યુ ઈન્ડસ્ટ્રીયઝ, સેન્ચ્યુરી એપ્લાયન્સ લિમિટેડ, ઈવાન ફ્રેઝર એન્ડ કંપનીને લોન આપી હતી. કોચરની પૂછપરછ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. તેમને સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.