ICICI બેંક ફ્રોડ કેસમાં ચંદા કોચર બાદ વિડીયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-26 13:08:00

ICICI લોન ફ્રોડ કેસમાં થોડા દિવસો પહેલા ICICI બેકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આ મામલા અંતર્ગત વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં વધુ એક મોટા માથાની ધરપકડ કરી લેવામાં આવી છે.

  

સીબીઆઈની વિશેષ કોર્ટ સમક્ષ કરાશે રજૂ 

જ્યારે ચંદા કોચરે ICICI બેંકનો હવાલો સંભાવ્યો છે ત્યારથી તેમણે વિડીયોકોનની જૂદી જૂદી કંપનીઓને લોન મંજૂર કરવામાં આવી છે તેવો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. આરોપ લગાવામાં આવ્યો હતો કે આઈસીઆઈસીઆઈ બેંકે ટ્રેન્ડ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, કેલ લિમિટેડ, વેલ્યુ ઈન્ડસ્ટ્રીયઝ, સેન્ચ્યુરી એપ્લાયન્સ લિમિટેડ, ઈવાન ફ્રેઝર એન્ડ કંપનીને લોન આપી હતી. કોચરની પૂછપરછ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. તેમને સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.