વિજાપુર ભાજપનો આંતરકલહ ચરમસીમાએ, પાર્ટીએ શિસ્તભંગના પગલા ભરતા ત્રણ સભ્યોને કર્યા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-03-10 15:51:22

મહેસાણા જિલ્લાના વિજાપુર ભાજપનો આંતરકલહ પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે. પાર્ટીએ શિસ્તભંગના પગલા ભરતા ત્રણ સ્થાનિક નેતાઓને બરતરફ કર્યા છે. ભાજપના મેન્ડેડ ધરાવતા ઉમેદવારો સામે પેનલ બનાવી વિજાપુર APMCની ચૂંટણી  લડેલા પાર્ટીના નેતાઓ પૂર્વ ધારાસભ્ય પી આઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને ભરત પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


સુરેશભાઈ પટેલનો પત્ર વાઈરલ


વિજાપુરના રાજકીય વર્તુળોમાં સુરેશભાઈ પટેલ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને લખાયેલો પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ પત્રમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ અને અન્ય ભાજપ અગ્રણીઓ સામે જૂથવાદનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


શા માટે સસ્પેન્ડ કરાયા? 


વિજાપુર APMCની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ સામે પી.આઈ.પટેલ ચૂંટણી લડ્યા હતા. જેમાં પી.આઈ.પટેલની પેનલનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે ભાજપના જૂથને હારનો સામનો કરવા પડ્યો હતો. APMCની ચૂંટણીમાં કુલ 14 બેઠકમાંથી પી.આઈ.પટેલની કિસાન પેનલનો 9 પર વિજ્ય થયો હતો. તેમજ 5 બેઠક રમણલાલ પટેલ જૂથના ફાળે ગઈ હતી. ખેડૂત વિભાગ બાદ વેપારી વિભાગમાં પણ ભાજપની પેનલની પેનલની હાર થઈ હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.