વિજય રૂપાણીએ મનીષ સિસોદિયા મામલે નિવેદન આપ્યું , જાણો શું કહ્યું વિજય રૂપાણીએ ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 12:59:20

મનીષ સિસોદિયાની CBI દ્વારા પૂછપરછ કરતાં રાજકારણ ગરમાયું છે.ત્યારે આ અંગે વિજય રૂપાણીએ એક નિવેદન આપ્યું   તેમણે કહ્યું હતું કે આ એક કાયદાકીય પ્રોસેસ છે જેને હવે રાજકારણ સાથે જોડવાની કોશિશો થઈ રહી છે. તથા બીજી બાજુ મનીષ સિસોદિયા 2 દિવસ ગુજરાત પ્રવાસે આવતા શિક્ષણ મોડલનો મુદ્દો ફરીથી ગુજરાતના રાજકારણમાં ઉઠી શકે છે.

 


મનીષ સિસોદિયાએ ગુજરાત પ્રવાસ અંગે કરી જાહેરાત 

મનીષ સિસોદિયા સમગ્ર વિવાદ મુદ્દે એક જાહેરાત કરી જેમાં તેમણે  2 દિવસીય ગુજરાત પ્રવાસ પર આવવાની વાત કરી છે . તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે દરેક પરિવાર પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે સારી શાળાઓ બનાવતી સરકાર પસંદ કરશે. આની સાથે અરવિંદ કેજરીવાલ અને આપના શિક્ષણ મોડલની વાત કરીને ગુજરાત પ્રવાસમાં સી.આર.પાટીલે આપેલી ચેલેન્જ સ્વીકારશે એવી અટકળો વહી છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે