ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા વિજય રૂપાણીએ આપ્યું નિવેદન, પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર! જાણો શું કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે...


  • Published By :
  • Published Date : 2023-05-25 12:33:51

ગુજરાતના અનેક શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આજથી ગુજરાતના પ્રવાસે શાસ્ત્રીજી આવી રહ્યા છે ત્યારે તેમના દરબારને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં બાબાનો દરબાર યોજાવાનો છે. ત્યારે દિવ્ય દરબારને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાબા અંગે નિવેદન આપ્યું છે. વિજય રુપાણીએ કહ્યું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે. તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. સનાતન ધર્મ માટે અમે હંમેશા બાબા અને સનાતની સાથે છીએ. 


દિવ્ય દરબારને લઈ વિજય રૂપાણીનું નિવેદન!

ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. દેશના અનેક રાજ્યોમાં તેમનો દરબાર યોજાયો છે ત્યારે હવે ગુજરાતમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર યોજાય તે પહેલા અનેક પડકારો તેમને ફેંકવામાં આવ્યા છે. ત્યારે આજથી ગુજરાતની મુલાકાતે બાબા આવી રહ્યા છે. રાજકોટ ખાતે પણ બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે તે પહેલા દિવ્ય દરબારને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ નિવેદન આપ્યું છે. 


કોંગ્રેસ પર વિજય રુપાણીએ કર્યા પ્રહાર!

વિજય રુપાણીએ નિવેદન આપતા કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે. બાબા હનુમાનજીના ઉપાસક છે. દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે જે ખૂબ સફળ થાય અને તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. બાબા ધર્મ અને સંસ્કૃતિની વાત કરે છે, કોઈ ચમત્કારની વાત કરે છે, કોઈ પોતાનું દુખ લઈને આવે તે તેની શ્રદ્ધાનો વિષય છે. અમે સનાતન ધર્મ સાથે છીએ. કોંગ્રેસ લઘુમતીના મત મેળવવા હંમેશા તુષ્ટીકરણ કરે છે. એ લોકોને યાદ જ છે. લઘુમતીઓના મત મેળવવા માટે હંમેશા કોંગ્રેસ હિન્દુઓ અને હિન્દુ સંસ્કૃતિનો વિરોધ કરતી આવી છે. 


આ તારીખે આ જગ્યાઓ પર લાગશે દિવ્ય દરબાર!

ગુજરાતના પ્રવાસે આવી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. તેમના દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે તેને ધ્યાનમાં રાખી વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે મંજૂરી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આજથી ગુજરાતના પ્રવાસે ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે. 26 મે અને 27 મેના રોજ સુરત ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. તે બાદ 28મેના રોજ અમદાવાદના ચાંદખેડા નજીક દરબાર યોજાવાનો છે. 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં કાર્યક્રમ થવાનો છે. અમદાવાદ બાદ રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. પહેલી અને બીજી જૂનને રાજકોટના રેસકોર્સ ખાતે દિવ્ય દરબાર થવાનો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.