ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા વિજય રૂપાણીએ આપ્યું નિવેદન, પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર! જાણો શું કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે...


  • Published By :
  • Published Date : 2023-05-25 12:33:51

ગુજરાતના અનેક શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આજથી ગુજરાતના પ્રવાસે શાસ્ત્રીજી આવી રહ્યા છે ત્યારે તેમના દરબારને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં બાબાનો દરબાર યોજાવાનો છે. ત્યારે દિવ્ય દરબારને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાબા અંગે નિવેદન આપ્યું છે. વિજય રુપાણીએ કહ્યું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે. તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. સનાતન ધર્મ માટે અમે હંમેશા બાબા અને સનાતની સાથે છીએ. 


દિવ્ય દરબારને લઈ વિજય રૂપાણીનું નિવેદન!

ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. દેશના અનેક રાજ્યોમાં તેમનો દરબાર યોજાયો છે ત્યારે હવે ગુજરાતમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર યોજાય તે પહેલા અનેક પડકારો તેમને ફેંકવામાં આવ્યા છે. ત્યારે આજથી ગુજરાતની મુલાકાતે બાબા આવી રહ્યા છે. રાજકોટ ખાતે પણ બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે તે પહેલા દિવ્ય દરબારને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ નિવેદન આપ્યું છે. 


કોંગ્રેસ પર વિજય રુપાણીએ કર્યા પ્રહાર!

વિજય રુપાણીએ નિવેદન આપતા કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે. બાબા હનુમાનજીના ઉપાસક છે. દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે જે ખૂબ સફળ થાય અને તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. બાબા ધર્મ અને સંસ્કૃતિની વાત કરે છે, કોઈ ચમત્કારની વાત કરે છે, કોઈ પોતાનું દુખ લઈને આવે તે તેની શ્રદ્ધાનો વિષય છે. અમે સનાતન ધર્મ સાથે છીએ. કોંગ્રેસ લઘુમતીના મત મેળવવા હંમેશા તુષ્ટીકરણ કરે છે. એ લોકોને યાદ જ છે. લઘુમતીઓના મત મેળવવા માટે હંમેશા કોંગ્રેસ હિન્દુઓ અને હિન્દુ સંસ્કૃતિનો વિરોધ કરતી આવી છે. 


આ તારીખે આ જગ્યાઓ પર લાગશે દિવ્ય દરબાર!

ગુજરાતના પ્રવાસે આવી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. તેમના દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે તેને ધ્યાનમાં રાખી વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે મંજૂરી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આજથી ગુજરાતના પ્રવાસે ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે. 26 મે અને 27 મેના રોજ સુરત ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. તે બાદ 28મેના રોજ અમદાવાદના ચાંદખેડા નજીક દરબાર યોજાવાનો છે. 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં કાર્યક્રમ થવાનો છે. અમદાવાદ બાદ રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. પહેલી અને બીજી જૂનને રાજકોટના રેસકોર્સ ખાતે દિવ્ય દરબાર થવાનો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.