ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા વિજય રૂપાણીએ આપ્યું નિવેદન, પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર! જાણો શું કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે...


  • Published By :
  • Published Date : 2023-05-25 12:33:51

ગુજરાતના અનેક શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આજથી ગુજરાતના પ્રવાસે શાસ્ત્રીજી આવી રહ્યા છે ત્યારે તેમના દરબારને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં બાબાનો દરબાર યોજાવાનો છે. ત્યારે દિવ્ય દરબારને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાબા અંગે નિવેદન આપ્યું છે. વિજય રુપાણીએ કહ્યું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે. તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. સનાતન ધર્મ માટે અમે હંમેશા બાબા અને સનાતની સાથે છીએ. 


દિવ્ય દરબારને લઈ વિજય રૂપાણીનું નિવેદન!

ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. દેશના અનેક રાજ્યોમાં તેમનો દરબાર યોજાયો છે ત્યારે હવે ગુજરાતમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર યોજાય તે પહેલા અનેક પડકારો તેમને ફેંકવામાં આવ્યા છે. ત્યારે આજથી ગુજરાતની મુલાકાતે બાબા આવી રહ્યા છે. રાજકોટ ખાતે પણ બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે તે પહેલા દિવ્ય દરબારને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ નિવેદન આપ્યું છે. 


કોંગ્રેસ પર વિજય રુપાણીએ કર્યા પ્રહાર!

વિજય રુપાણીએ નિવેદન આપતા કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે. બાબા હનુમાનજીના ઉપાસક છે. દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે જે ખૂબ સફળ થાય અને તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. બાબા ધર્મ અને સંસ્કૃતિની વાત કરે છે, કોઈ ચમત્કારની વાત કરે છે, કોઈ પોતાનું દુખ લઈને આવે તે તેની શ્રદ્ધાનો વિષય છે. અમે સનાતન ધર્મ સાથે છીએ. કોંગ્રેસ લઘુમતીના મત મેળવવા હંમેશા તુષ્ટીકરણ કરે છે. એ લોકોને યાદ જ છે. લઘુમતીઓના મત મેળવવા માટે હંમેશા કોંગ્રેસ હિન્દુઓ અને હિન્દુ સંસ્કૃતિનો વિરોધ કરતી આવી છે. 


આ તારીખે આ જગ્યાઓ પર લાગશે દિવ્ય દરબાર!

ગુજરાતના પ્રવાસે આવી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. તેમના દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે તેને ધ્યાનમાં રાખી વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે મંજૂરી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આજથી ગુજરાતના પ્રવાસે ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે. 26 મે અને 27 મેના રોજ સુરત ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. તે બાદ 28મેના રોજ અમદાવાદના ચાંદખેડા નજીક દરબાર યોજાવાનો છે. 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં કાર્યક્રમ થવાનો છે. અમદાવાદ બાદ રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. પહેલી અને બીજી જૂનને રાજકોટના રેસકોર્સ ખાતે દિવ્ય દરબાર થવાનો છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .