gujarat assembly election 2022: વિજય રૂપાણી સહિત 8 પૂર્વ મંત્રીઓ તથા અનેક ધારાસભ્યોના પત્તા કપાયા


  • Published By :
  • Published Date : 2022-11-09 21:20:46


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણ ગરમાયું છે. ભાજપની પ્રથમ યાદી જાહેર થાય એ પહેલા જ એક બાદ એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓએ આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. આ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તેમની કેબ્િનેટના  8 મંત્રીઓનો સમાવેશ થાય છે, જો કે આ વખતે ભાજપના અનેક સિનિયર નેતાઓ અને ધારાસભ્સયોનો પત્તા કપાશે તે પણ સ્પષ્ટ છે. 


ભાજપના કયા નેતાઓના પત્તા કપાયા?


ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે તેના એક સમયના પીઢ નેતાઓને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ભાજપની 'નો રિપીટ થિયરી'ના ભાગરૂપે અગ્રણી 8 નેતાઓના પત્તા કપાયા છે. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ,  આર સી ફળદુ, પ્રદિપસિંહ જાડેજા, નિમાબેન આચાર્ય, કૌશિક પટેલ, વિભાવરીબેન દવે, ઉપરાંત યોગશ પટેલ, વલ્લભ કાકડિયા,  વાસણ આહીર, રાજેન્દ્ર ત્રિવેદી, કુમાર કાનાણી, પૂર્ણેશ મોદી, પંકજ દેસાઈ, પ્રદીપ પરમાર, ધર્મેન્દ્ર સિંહ જાહેજા, વી.ડી ઝાલાવાડિયા, આત્મારામ પરમાર, રમણ પાટકર, ઈશ્વર પરમાર, જયદ્રથસિંહ પરમાર, રાઘવજી પટેલ, શંભુજી ઠાકોર, આઈ.કે.જાડેજા, બલરામ થવાણી, અરવિંદ રૈયાણી, અને ગોવિંદ પટેલનો સમાવેશ થાય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.