gujarat assembly election 2022: વિજય રૂપાણી સહિત 8 પૂર્વ મંત્રીઓ તથા અનેક ધારાસભ્યોના પત્તા કપાયા


  • Published By :
  • Published Date : 2022-11-09 21:20:46


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણ ગરમાયું છે. ભાજપની પ્રથમ યાદી જાહેર થાય એ પહેલા જ એક બાદ એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓએ આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. આ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તેમની કેબ્િનેટના  8 મંત્રીઓનો સમાવેશ થાય છે, જો કે આ વખતે ભાજપના અનેક સિનિયર નેતાઓ અને ધારાસભ્સયોનો પત્તા કપાશે તે પણ સ્પષ્ટ છે. 


ભાજપના કયા નેતાઓના પત્તા કપાયા?


ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે તેના એક સમયના પીઢ નેતાઓને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ભાજપની 'નો રિપીટ થિયરી'ના ભાગરૂપે અગ્રણી 8 નેતાઓના પત્તા કપાયા છે. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ,  આર સી ફળદુ, પ્રદિપસિંહ જાડેજા, નિમાબેન આચાર્ય, કૌશિક પટેલ, વિભાવરીબેન દવે, ઉપરાંત યોગશ પટેલ, વલ્લભ કાકડિયા,  વાસણ આહીર, રાજેન્દ્ર ત્રિવેદી, કુમાર કાનાણી, પૂર્ણેશ મોદી, પંકજ દેસાઈ, પ્રદીપ પરમાર, ધર્મેન્દ્ર સિંહ જાહેજા, વી.ડી ઝાલાવાડિયા, આત્મારામ પરમાર, રમણ પાટકર, ઈશ્વર પરમાર, જયદ્રથસિંહ પરમાર, રાઘવજી પટેલ, શંભુજી ઠાકોર, આઈ.કે.જાડેજા, બલરામ થવાણી, અરવિંદ રૈયાણી, અને ગોવિંદ પટેલનો સમાવેશ થાય છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.