વિકાસ સહાયને મળી મોટી જવાબદારી, આશિષ ભાટિયા રિટાયર્ડ થતા ગુજરાતને મળ્યા નવા ઇન્ચાર્જ DGP


  • Published By :
  • Published Date : 2023-01-31 17:18:39

વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના ડિજીપી આશિષ ભાટિયાને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. પરંતુ આજે આશિષ ભાટિયા આજે નિવૃત્ત થઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી રાજ્યના નવા ઈન્ચાર્જ ડીજીપીના નામની જાહેરાત કરવામાં આવી છે. આઈપીએસ વિકાસ સહાયને ઇન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 

 

વિકાસ સહાય બનશે ગુજરાતના નવા ડીજીપી 

ઘણા સમયથી રાજ્યના નવા પોલીસ વડા કોણ બનશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટિયાને 6 મહિનાનું એક્સ્ટેનશન આપવામાં આવ્યું હતું. ત્યારે  નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાયના નામની જાહેરાત કરવામાં આવી છે.  


આ લોકોના નામની ચાલી રહી હતી ચર્ચા 

આ પદ માટે ત્રણ નામોની ચર્ચા ચાલી હતી જેમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, સુરતના પોલીસ કમિશ્નર અજય તોમર તેમજ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય પણ આ રેસમાં હતા. ત્યારે આઈપીએસ વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડા તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.