વિકાસ સહાયની ડીજીપી તરીકે કરાઈ નિમણૂંક, 1989 બેચના છે IPS અધિકારી નવા ડીજીપી


  • Published By :
  • Published Date : 2023-03-01 13:51:37

ગુજરાતના ડીજીપી તરીકે વિકાસ સહાયની નિમણૂંક કરવામાં આવી છે. આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને કાયમી ડીજીપી બનાવવામાં આવ્યા છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આજ સાંજ સુધીમાં નવા ડીજીપી તરીકેનો ચાર્જ તે સંભાળી શકે છે. વિકાસ સહાય 1989 બેચના આઈપીએસ અધિકારી છે. 

વિકાસ સહાયની ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરાઈ ત્યારનો ઓર્ડર


કોનું કોનું નામ ચર્ચાઈ રહ્યું હતું?

31 જાન્યુઆરીના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. આશિષ ભાટિયા બાદ આ કારભાર કોણ સંભાળશે તેને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી. આ રેસમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય તેમજ અજય તોમરનું નામ ચાલી રહ્યું હતું. જે બાદ વિકાસ સહાયના નામ પર મહોર લાગી છે. આશિષ ભાટિયા નિવૃત્ત થતાં ઈન્ચાર્જ ડીજીપી તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી જે બાદ તેમને કાયમી ડીજીપી બનાવાયા છે.  


1989 બેચના આઈપીએસ અધિકારી છે વિકાસ સહાય 

વિકાસ સહાય 1989 બેચના આઈપીએસ છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ લીધી હતી. પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય  તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન 2 અને 3, 2004માં અમદાવાદ શહેરની ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. ત્યારે હવેથી વિકાસ સહાય રાજ્યના કાયમી ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળશે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.