વિકાસ સહાયની ડીજીપી તરીકે કરાઈ નિમણૂંક, 1989 બેચના છે IPS અધિકારી નવા ડીજીપી


  • Published By :
  • Published Date : 2023-03-01 13:51:37

ગુજરાતના ડીજીપી તરીકે વિકાસ સહાયની નિમણૂંક કરવામાં આવી છે. આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને કાયમી ડીજીપી બનાવવામાં આવ્યા છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આજ સાંજ સુધીમાં નવા ડીજીપી તરીકેનો ચાર્જ તે સંભાળી શકે છે. વિકાસ સહાય 1989 બેચના આઈપીએસ અધિકારી છે. 

વિકાસ સહાયની ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરાઈ ત્યારનો ઓર્ડર


કોનું કોનું નામ ચર્ચાઈ રહ્યું હતું?

31 જાન્યુઆરીના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. આશિષ ભાટિયા બાદ આ કારભાર કોણ સંભાળશે તેને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી. આ રેસમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય તેમજ અજય તોમરનું નામ ચાલી રહ્યું હતું. જે બાદ વિકાસ સહાયના નામ પર મહોર લાગી છે. આશિષ ભાટિયા નિવૃત્ત થતાં ઈન્ચાર્જ ડીજીપી તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી જે બાદ તેમને કાયમી ડીજીપી બનાવાયા છે.  


1989 બેચના આઈપીએસ અધિકારી છે વિકાસ સહાય 

વિકાસ સહાય 1989 બેચના આઈપીએસ છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ લીધી હતી. પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય  તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન 2 અને 3, 2004માં અમદાવાદ શહેરની ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. ત્યારે હવેથી વિકાસ સહાય રાજ્યના કાયમી ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળશે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.