વિકાસ સહાયની ડીજીપી તરીકે કરાઈ નિમણૂંક, 1989 બેચના છે IPS અધિકારી નવા ડીજીપી


  • Published By :
  • Published Date : 2023-03-01 13:51:37

ગુજરાતના ડીજીપી તરીકે વિકાસ સહાયની નિમણૂંક કરવામાં આવી છે. આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને કાયમી ડીજીપી બનાવવામાં આવ્યા છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આજ સાંજ સુધીમાં નવા ડીજીપી તરીકેનો ચાર્જ તે સંભાળી શકે છે. વિકાસ સહાય 1989 બેચના આઈપીએસ અધિકારી છે. 

વિકાસ સહાયની ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરાઈ ત્યારનો ઓર્ડર


કોનું કોનું નામ ચર્ચાઈ રહ્યું હતું?

31 જાન્યુઆરીના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. આશિષ ભાટિયા બાદ આ કારભાર કોણ સંભાળશે તેને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી. આ રેસમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય તેમજ અજય તોમરનું નામ ચાલી રહ્યું હતું. જે બાદ વિકાસ સહાયના નામ પર મહોર લાગી છે. આશિષ ભાટિયા નિવૃત્ત થતાં ઈન્ચાર્જ ડીજીપી તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી જે બાદ તેમને કાયમી ડીજીપી બનાવાયા છે.  


1989 બેચના આઈપીએસ અધિકારી છે વિકાસ સહાય 

વિકાસ સહાય 1989 બેચના આઈપીએસ છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ લીધી હતી. પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય  તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન 2 અને 3, 2004માં અમદાવાદ શહેરની ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. ત્યારે હવેથી વિકાસ સહાય રાજ્યના કાયમી ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળશે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.