ઉત્તર પ્રદેશના ગામડાંના ઘરોને હૉટલમાં ફેરવાશે, ગામડામાં રોજગારી આવશે તેવો દાવો


  • Published By :
  • Published Date : 2022-11-16 14:50:38

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. 


UPમાં 5 ડિસેમ્બરે શિયાળુ સત્ર મળશે

યોગી આદિત્યનાથની સરકારે ઉત્તર પ્રદેશમાં પ્રવાસન વધારવા માટે ગામડાના ઘરોને હૉટલો અને લૉજમાં બદલવાનો નિર્ણય લીધો છે. યોગી આદિત્યનાથ સરકારનો આ નિર્ણય પાછળ વિચાર છે કે આનાથી ઈકો ટુરીઝમ વધશે અને ગ્રામ્ય લોકોને ધંધો પણ મળશે. ઉત્તર પ્રદેશમાં 5 ડિસેમ્બરે ત્રણ દિવસ માટે શિયાળુ સત્ર મળવાનો નિર્ણય લીધો છે. આ  શિયાળા સત્રમાં પૂરક બજેટ પણ રજૂ કરવામાં આવશે. 


યૂપીના ગામડાના લોકોને ઘર બેઠા મળશે રોજગારી 

કેબિનેટ બેઠકમાં નવી પ્રવાસન નીતિને લીલી ઝંડી મળી ગઈ છે. જેમાં જૂની હવેલીઓને હેરિટેજ હૉટલમાં બદલવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગામડામાં રહેતા લોકો પોતાના ઘરને હૉટલ અથવા લૉજમાં બદલાવી શકશે અને રોજગારી મેળવી શકશે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે