ઉત્તર પ્રદેશના ગામડાંના ઘરોને હૉટલમાં ફેરવાશે, ગામડામાં રોજગારી આવશે તેવો દાવો


  • Published By :
  • Published Date : 2022-11-16 14:50:38

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. 


UPમાં 5 ડિસેમ્બરે શિયાળુ સત્ર મળશે

યોગી આદિત્યનાથની સરકારે ઉત્તર પ્રદેશમાં પ્રવાસન વધારવા માટે ગામડાના ઘરોને હૉટલો અને લૉજમાં બદલવાનો નિર્ણય લીધો છે. યોગી આદિત્યનાથ સરકારનો આ નિર્ણય પાછળ વિચાર છે કે આનાથી ઈકો ટુરીઝમ વધશે અને ગ્રામ્ય લોકોને ધંધો પણ મળશે. ઉત્તર પ્રદેશમાં 5 ડિસેમ્બરે ત્રણ દિવસ માટે શિયાળુ સત્ર મળવાનો નિર્ણય લીધો છે. આ  શિયાળા સત્રમાં પૂરક બજેટ પણ રજૂ કરવામાં આવશે. 


યૂપીના ગામડાના લોકોને ઘર બેઠા મળશે રોજગારી 

કેબિનેટ બેઠકમાં નવી પ્રવાસન નીતિને લીલી ઝંડી મળી ગઈ છે. જેમાં જૂની હવેલીઓને હેરિટેજ હૉટલમાં બદલવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગામડામાં રહેતા લોકો પોતાના ઘરને હૉટલ અથવા લૉજમાં બદલાવી શકશે અને રોજગારી મેળવી શકશે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.