મણિપુરમાં ફરી ભડકી હિંસા! મંગળવાર રાત્રે થયેલા હુમલામાં થયા 9 લોકોના મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-14 14:31:33

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા ભડકી રહી છે. હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ઉપરાંત પ્રોપર્ટીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે મંગળવાર રાત્રે મણિપુરમાં હિંસા ફરી ભડકી ઉઠી છે. મૈતેઈમાં મંગળવાર રાત્રે થયેલા હુમલામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 10 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર ખામેલોકમાં તેમજ ઈંફાલના પૂર્વ જિલ્લામાં હુમલો થયો હતો. જે લોકોના મોત થયા છે તે લોકો ખામેલોકના રહેવાસી હતા.

 

મણિપુરમાં ફરી ભડકી હિંસા!

મણિપુરમાં હિંસા શાંત થવાનું નામ જ નથી લઈ રહી. જ્યારે એવું લાગે કે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે ફરી એક વખત હિંસા ભડકવાની ઘટના સામે આવી છે. મંગળવાર સાંજે ગોળીબારી થવાની ઘટના સામે આવી છે જેમાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ મામલે પોલીસે જણાવ્યું કે ઉગ્રવાદીઓ હથિયારો સાથે લઈને આવ્યા હતા. 


હિંસાને પગલે ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ!

પહેલા વિસ્તારને ઘેરી લીધો અને તે બાદ મોડી રાત્રે હુમલો કર્યો હતો. આ ઘટનામાં જે ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે સોમવારે પણ ખામેલોકક વિસ્તારમાં ગોળીબારીની ઘટના બની હતી. હિંસાને પગલે ઈન્ટરનેટ સેવા પર લગાવામાં આવેલા પ્રતિબંધને 15 જૂન સુધી લંબાવાઈ દેવાયો છે. મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસા પર કેન્દ્ર સતત નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે નિવેદન આપ્યું હતું અને આ મામલે તપાસ કરવા માટે ટીમની રચના કરવામાં આવી હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.