મણિપુરમાં ફરી ભડકી હિંસા! મંગળવાર રાત્રે થયેલા હુમલામાં થયા 9 લોકોના મોત! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-14 14:31:33

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા ભડકી રહી છે. હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ઉપરાંત પ્રોપર્ટીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે મંગળવાર રાત્રે મણિપુરમાં હિંસા ફરી ભડકી ઉઠી છે. મૈતેઈમાં મંગળવાર રાત્રે થયેલા હુમલામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 10 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર ખામેલોકમાં તેમજ ઈંફાલના પૂર્વ જિલ્લામાં હુમલો થયો હતો. જે લોકોના મોત થયા છે તે લોકો ખામેલોકના રહેવાસી હતા.

 

મણિપુરમાં ફરી ભડકી હિંસા!

મણિપુરમાં હિંસા શાંત થવાનું નામ જ નથી લઈ રહી. જ્યારે એવું લાગે કે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે ફરી એક વખત હિંસા ભડકવાની ઘટના સામે આવી છે. મંગળવાર સાંજે ગોળીબારી થવાની ઘટના સામે આવી છે જેમાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ મામલે પોલીસે જણાવ્યું કે ઉગ્રવાદીઓ હથિયારો સાથે લઈને આવ્યા હતા. 


હિંસાને પગલે ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ!

પહેલા વિસ્તારને ઘેરી લીધો અને તે બાદ મોડી રાત્રે હુમલો કર્યો હતો. આ ઘટનામાં જે ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે સોમવારે પણ ખામેલોકક વિસ્તારમાં ગોળીબારીની ઘટના બની હતી. હિંસાને પગલે ઈન્ટરનેટ સેવા પર લગાવામાં આવેલા પ્રતિબંધને 15 જૂન સુધી લંબાવાઈ દેવાયો છે. મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસા પર કેન્દ્ર સતત નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે નિવેદન આપ્યું હતું અને આ મામલે તપાસ કરવા માટે ટીમની રચના કરવામાં આવી હતી. 



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.