મણિપુરમાં ફરી ભડકી હિંસા! મંગળવાર રાત્રે થયેલા હુમલામાં થયા 9 લોકોના મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-14 14:31:33

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા ભડકી રહી છે. હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ઉપરાંત પ્રોપર્ટીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે મંગળવાર રાત્રે મણિપુરમાં હિંસા ફરી ભડકી ઉઠી છે. મૈતેઈમાં મંગળવાર રાત્રે થયેલા હુમલામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 10 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર ખામેલોકમાં તેમજ ઈંફાલના પૂર્વ જિલ્લામાં હુમલો થયો હતો. જે લોકોના મોત થયા છે તે લોકો ખામેલોકના રહેવાસી હતા.

 

મણિપુરમાં ફરી ભડકી હિંસા!

મણિપુરમાં હિંસા શાંત થવાનું નામ જ નથી લઈ રહી. જ્યારે એવું લાગે કે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે ફરી એક વખત હિંસા ભડકવાની ઘટના સામે આવી છે. મંગળવાર સાંજે ગોળીબારી થવાની ઘટના સામે આવી છે જેમાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ મામલે પોલીસે જણાવ્યું કે ઉગ્રવાદીઓ હથિયારો સાથે લઈને આવ્યા હતા. 


હિંસાને પગલે ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ!

પહેલા વિસ્તારને ઘેરી લીધો અને તે બાદ મોડી રાત્રે હુમલો કર્યો હતો. આ ઘટનામાં જે ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે સોમવારે પણ ખામેલોકક વિસ્તારમાં ગોળીબારીની ઘટના બની હતી. હિંસાને પગલે ઈન્ટરનેટ સેવા પર લગાવામાં આવેલા પ્રતિબંધને 15 જૂન સુધી લંબાવાઈ દેવાયો છે. મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસા પર કેન્દ્ર સતત નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે નિવેદન આપ્યું હતું અને આ મામલે તપાસ કરવા માટે ટીમની રચના કરવામાં આવી હતી. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.