પશ્ચિમ બંગાળમાં ફરી ફાટી નીકળી હિંસા! બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો, પોલીસે કરી અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-04-03 12:18:54

દેશના અનેક રાજ્યોમાં રામનવમીના દિવસે હિંસા ફાટી નીકળી હોય તેવા સમાચારો સામે આવ્યા હતા. બિહાર અને પશ્ચિમ બંગાળમાં રામનવમી દરમિયાન અનેક જગ્યાઓ પર હિંસા ફાટી નિકળી હતી. રામનવમીને અનેક દિવસો વિતી ગયા છે પરંતુ ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. પશ્ચિમ બંગાળના હુગલીમાં રવિવારે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ હિંસા ફાટી નીકળી હતી. તે ઉપરાંત અનેક ગાડીઓને આગ લગાવી દેવામાં આવી હતી.સ્થિતિને કાબુ કરવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ મામલે હજી સુધી 12 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.  

 


રવિવારે હિંસા ભડકી ઉઠી હતી 

રવિવારે અસામાજીક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રવિવારે બે જૂથ્થો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ઉપરાંત પથ્થરમારો પણ થયો હતો. આ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે.ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. હિંસાને ધ્યાનમાં રાખી અનેક શાળોઓ પણ બંધ કરી દેવામાં આવી છે. શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં ભાજપના ધારાસભ્ય બિમન ઘોષ પણ સામેલ થયા હતા. આ હિંસામાં તેઓ ઘાયલ પણ થયા હતા. ઉપરાંત અનેક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી ધારા 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


     

ભાજપના ધારાસભ્ય થયા ઈજાગ્રસ્ત 

રામનવમી દરમિયાન દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. રામનવમીને અનેક દિવસો વીતિ ગયા છે પરંતુ ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી. પશ્ચિમબંગાળ ઉપરાંત બિહારમાં પણ અનેક જગ્યાઓ પર અસામાજીક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રિસરા વિસ્તારમાં શોભાયાત્રા દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. વાહનોને આગ ચાંપી દેવાઈ હતી. પથ્થરમારો દરમિયાન ભાજપના ધારાસભ્ય બિમન ઘોષ પણ ઘાયલ થયા હતા. પશ્ચિમ બંગાળ સિવાય બિહારમાં પણ હિંસા ફાટી નીકળી હતી.  



બિહારમાં પણ શાંતિ ભંગ કરવાનો કરાયો પ્રયત્ન  

તે સિવાય બિહારમાં હિંસા ફરી ભડકી ઉઠી છે. શનિવારે નાલંદાના બિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં 3 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. સાસારામ, નાલંદા, ગયા સહિતના વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. સાસારામમાં શનિવારે સાંજે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તે ઉપરાંત બિહારશરિફમાં કરફ્યુ લાદવામાં આવ્યું હતો.કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. બિહાર પોલીસે આ મામલે 106 લોકોની ધરપકડ કરી લીધી છે.    



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.