પશ્ચિમ બંગાળમાં ફરી ફાટી નીકળી હિંસા! બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો, પોલીસે કરી અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-04-03 12:18:54

દેશના અનેક રાજ્યોમાં રામનવમીના દિવસે હિંસા ફાટી નીકળી હોય તેવા સમાચારો સામે આવ્યા હતા. બિહાર અને પશ્ચિમ બંગાળમાં રામનવમી દરમિયાન અનેક જગ્યાઓ પર હિંસા ફાટી નિકળી હતી. રામનવમીને અનેક દિવસો વિતી ગયા છે પરંતુ ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. પશ્ચિમ બંગાળના હુગલીમાં રવિવારે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ હિંસા ફાટી નીકળી હતી. તે ઉપરાંત અનેક ગાડીઓને આગ લગાવી દેવામાં આવી હતી.સ્થિતિને કાબુ કરવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ મામલે હજી સુધી 12 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.  

 


રવિવારે હિંસા ભડકી ઉઠી હતી 

રવિવારે અસામાજીક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રવિવારે બે જૂથ્થો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ઉપરાંત પથ્થરમારો પણ થયો હતો. આ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે.ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. હિંસાને ધ્યાનમાં રાખી અનેક શાળોઓ પણ બંધ કરી દેવામાં આવી છે. શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં ભાજપના ધારાસભ્ય બિમન ઘોષ પણ સામેલ થયા હતા. આ હિંસામાં તેઓ ઘાયલ પણ થયા હતા. ઉપરાંત અનેક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી ધારા 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


     

ભાજપના ધારાસભ્ય થયા ઈજાગ્રસ્ત 

રામનવમી દરમિયાન દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. રામનવમીને અનેક દિવસો વીતિ ગયા છે પરંતુ ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી. પશ્ચિમબંગાળ ઉપરાંત બિહારમાં પણ અનેક જગ્યાઓ પર અસામાજીક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રિસરા વિસ્તારમાં શોભાયાત્રા દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. વાહનોને આગ ચાંપી દેવાઈ હતી. પથ્થરમારો દરમિયાન ભાજપના ધારાસભ્ય બિમન ઘોષ પણ ઘાયલ થયા હતા. પશ્ચિમ બંગાળ સિવાય બિહારમાં પણ હિંસા ફાટી નીકળી હતી.  



બિહારમાં પણ શાંતિ ભંગ કરવાનો કરાયો પ્રયત્ન  

તે સિવાય બિહારમાં હિંસા ફરી ભડકી ઉઠી છે. શનિવારે નાલંદાના બિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં 3 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. સાસારામ, નાલંદા, ગયા સહિતના વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. સાસારામમાં શનિવારે સાંજે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તે ઉપરાંત બિહારશરિફમાં કરફ્યુ લાદવામાં આવ્યું હતો.કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. બિહાર પોલીસે આ મામલે 106 લોકોની ધરપકડ કરી લીધી છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.