જમ્મુ-કાશ્મીરમાં બની ફાયરિંગની ઘટના, સ્થાનિકોના મોત થતા હાઈવે કરાયો બ્લોક


  • Published By :
  • Published Date : 2022-12-16 10:29:50

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મળતી માહિતી અનુસાર જમ્મુના સંભાગ જિલ્લામાં બે સ્થાનિક લોકોના મોત થઈ ગયા હતા. સેનાના શિબરની આસપાસ ગતિવિધી ઝતા સેનાએ ગોળીબારી કરી હતી. આ ફાયરિંગમાં 2 લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. મરનાર બંને લોકો સ્થાનિકો હતા. ફાયરિંગની ઘટનામાં સ્થાનિકોની મોત થવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને કારણે હાઈવે જામ કરી હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

અલ્ફા ગેટ પાસેથી પસાર થતા તે વખતે બની ઘટના 

જમ્મુ-કાશ્મીરથી અનેક વખત ફાયરિંગની ઘટના સામે આવતી હોય છે. આજે ફરી એકવખત ફાયરિંગની ઘટના બની છે. જમ્મુના રાજોરી જિલ્લામાં આ ફાયરિંગ થયું છે. જેમાં 2 સ્થાનિક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર શુક્રવાર સવારે કથિત રીતે ગોળીબારી થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સેનાના વિસ્તારની આસપાસ હોવાને કારણે સેનાએ ફાયરિંગ કર્યું હતું. અલ્ફા ગેટ પાસેથી શલિંદર કુમાર, કમલ કિશોરી સહિત અક વ્યક્તિ નીકળ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. શા માટે ગોળીબારી કરવામાં આવી તે અંગે જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિકોના મોત થતા જમ્મુમાં હિંસા ફાટી નીકળી છે. હિંસક વિરોધ થવાનો શરૂ થઈ ગયો છે. 

दो नागरिकों की मौत के बाद विरोध-प्रदर्शन शुरू


ઘટનાને લઈ ફાટી નિકળી હિંસા

વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ હાઈવે જામ કરી દીધો છે. ઉપરાંત આ ઘટનાને લઈ હિંસક વિરોધ થઈ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ આ ઘટનામાં મૃત્યુ પામ્યા તે લોકો માટે 10-10 લાખ રૂપિયા સહાય આપવાની માગ કરી છે. હિંસક વધતા સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યો છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.