જમ્મુ-કાશ્મીરમાં બની ફાયરિંગની ઘટના, સ્થાનિકોના મોત થતા હાઈવે કરાયો બ્લોક


  • Published By :
  • Published Date : 2022-12-16 10:29:50

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મળતી માહિતી અનુસાર જમ્મુના સંભાગ જિલ્લામાં બે સ્થાનિક લોકોના મોત થઈ ગયા હતા. સેનાના શિબરની આસપાસ ગતિવિધી ઝતા સેનાએ ગોળીબારી કરી હતી. આ ફાયરિંગમાં 2 લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. મરનાર બંને લોકો સ્થાનિકો હતા. ફાયરિંગની ઘટનામાં સ્થાનિકોની મોત થવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને કારણે હાઈવે જામ કરી હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

અલ્ફા ગેટ પાસેથી પસાર થતા તે વખતે બની ઘટના 

જમ્મુ-કાશ્મીરથી અનેક વખત ફાયરિંગની ઘટના સામે આવતી હોય છે. આજે ફરી એકવખત ફાયરિંગની ઘટના બની છે. જમ્મુના રાજોરી જિલ્લામાં આ ફાયરિંગ થયું છે. જેમાં 2 સ્થાનિક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર શુક્રવાર સવારે કથિત રીતે ગોળીબારી થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સેનાના વિસ્તારની આસપાસ હોવાને કારણે સેનાએ ફાયરિંગ કર્યું હતું. અલ્ફા ગેટ પાસેથી શલિંદર કુમાર, કમલ કિશોરી સહિત અક વ્યક્તિ નીકળ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. શા માટે ગોળીબારી કરવામાં આવી તે અંગે જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિકોના મોત થતા જમ્મુમાં હિંસા ફાટી નીકળી છે. હિંસક વિરોધ થવાનો શરૂ થઈ ગયો છે. 

दो नागरिकों की मौत के बाद विरोध-प्रदर्शन शुरू


ઘટનાને લઈ ફાટી નિકળી હિંસા

વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ હાઈવે જામ કરી દીધો છે. ઉપરાંત આ ઘટનાને લઈ હિંસક વિરોધ થઈ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ આ ઘટનામાં મૃત્યુ પામ્યા તે લોકો માટે 10-10 લાખ રૂપિયા સહાય આપવાની માગ કરી છે. હિંસક વધતા સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યો છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.