જમ્મુ-કાશ્મીરમાં બની ફાયરિંગની ઘટના, સ્થાનિકોના મોત થતા હાઈવે કરાયો બ્લોક


  • Published By :
  • Published Date : 2022-12-16 10:29:50

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મળતી માહિતી અનુસાર જમ્મુના સંભાગ જિલ્લામાં બે સ્થાનિક લોકોના મોત થઈ ગયા હતા. સેનાના શિબરની આસપાસ ગતિવિધી ઝતા સેનાએ ગોળીબારી કરી હતી. આ ફાયરિંગમાં 2 લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. મરનાર બંને લોકો સ્થાનિકો હતા. ફાયરિંગની ઘટનામાં સ્થાનિકોની મોત થવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને કારણે હાઈવે જામ કરી હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

અલ્ફા ગેટ પાસેથી પસાર થતા તે વખતે બની ઘટના 

જમ્મુ-કાશ્મીરથી અનેક વખત ફાયરિંગની ઘટના સામે આવતી હોય છે. આજે ફરી એકવખત ફાયરિંગની ઘટના બની છે. જમ્મુના રાજોરી જિલ્લામાં આ ફાયરિંગ થયું છે. જેમાં 2 સ્થાનિક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર શુક્રવાર સવારે કથિત રીતે ગોળીબારી થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સેનાના વિસ્તારની આસપાસ હોવાને કારણે સેનાએ ફાયરિંગ કર્યું હતું. અલ્ફા ગેટ પાસેથી શલિંદર કુમાર, કમલ કિશોરી સહિત અક વ્યક્તિ નીકળ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. શા માટે ગોળીબારી કરવામાં આવી તે અંગે જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિકોના મોત થતા જમ્મુમાં હિંસા ફાટી નીકળી છે. હિંસક વિરોધ થવાનો શરૂ થઈ ગયો છે. 

दो नागरिकों की मौत के बाद विरोध-प्रदर्शन शुरू


ઘટનાને લઈ ફાટી નિકળી હિંસા

વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ હાઈવે જામ કરી દીધો છે. ઉપરાંત આ ઘટનાને લઈ હિંસક વિરોધ થઈ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ આ ઘટનામાં મૃત્યુ પામ્યા તે લોકો માટે 10-10 લાખ રૂપિયા સહાય આપવાની માગ કરી છે. હિંસક વધતા સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યો છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે