આસામ-મેઘાલય સરહદ પર ફાટી નિકળી હિંસા, ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2022-11-22 17:21:35

આસામ-મેઘાલયમાં હિંસા ફાટી નીકળી છે જેને કારણે અંદાજીત 6 લોકોના મોત થયા છે. આ હિંસા એટલા માટે ભડકી ઉઠી હતી કારણ કે પોલીસે આસામ-મેઘાલય સરહદે થતી લાકડાની ચોરીને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગેરકાયદેસર લાકડા ભરીને જતી ટ્રકને પોલીસે રોકી હતી જે બાદ હિંસા ફાટી નીકળી હતી. જેને કારણે 7 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


હિંસામાં અનેક લોકોના થયા મોત

સરહદી વિસ્તારોમાં લાકડા તસ્કરી થતી હોય છે. ટ્રક ભરી ગેરકાયદેસર રીતે લાકડાને લઈ જવામાં આવતા હોય છે. ત્યારે આસામ-મેઘાલય બોર્ડર પર આસામ વન વિભાગે ગેરકાયદેસર રીતે લાકડાઓને લઈ જતી ટ્રકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. બોર્ડર પર ટ્રક ઉભી ન રહી હતી અને ટ્રકને પૂર ઝડપે ડ્રાઈવરે ભગાવી હતી. તેને રોકવા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેને કારણે ટ્રકનું ટાયર પંચર થયું હતું. અને પોલીસે ત્રણ લોકોની ઘરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જેને કારણે હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે જેમાં એક ફોરેસ્ટ ગાર્ડનો પણ સમાવેશ થાય છે.


Image

આસામના મુખ્યમંત્રીએ ઘટના અંગે દુ:ખ કર્યું વ્યક્ત

એકાએક હિંસા ફાટી નિકળી હતી. હિંસાને વધુ ન વકરે તે માટે પ્રશાસને 7 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. ઘટનાની જાણ થતાં બીજી પોલીસ ફોર્સને તૈનાત કરી દેવામાં આવી હતી. પોલીસ આવતાની સાથે જ સ્થાનિકો હાથમાં હથિયાર લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. હિંસામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ આસામના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.




આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.