આસામ-મેઘાલય સરહદ પર ફાટી નિકળી હિંસા, ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2022-11-22 17:21:35

આસામ-મેઘાલયમાં હિંસા ફાટી નીકળી છે જેને કારણે અંદાજીત 6 લોકોના મોત થયા છે. આ હિંસા એટલા માટે ભડકી ઉઠી હતી કારણ કે પોલીસે આસામ-મેઘાલય સરહદે થતી લાકડાની ચોરીને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગેરકાયદેસર લાકડા ભરીને જતી ટ્રકને પોલીસે રોકી હતી જે બાદ હિંસા ફાટી નીકળી હતી. જેને કારણે 7 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


હિંસામાં અનેક લોકોના થયા મોત

સરહદી વિસ્તારોમાં લાકડા તસ્કરી થતી હોય છે. ટ્રક ભરી ગેરકાયદેસર રીતે લાકડાને લઈ જવામાં આવતા હોય છે. ત્યારે આસામ-મેઘાલય બોર્ડર પર આસામ વન વિભાગે ગેરકાયદેસર રીતે લાકડાઓને લઈ જતી ટ્રકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. બોર્ડર પર ટ્રક ઉભી ન રહી હતી અને ટ્રકને પૂર ઝડપે ડ્રાઈવરે ભગાવી હતી. તેને રોકવા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેને કારણે ટ્રકનું ટાયર પંચર થયું હતું. અને પોલીસે ત્રણ લોકોની ઘરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જેને કારણે હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે જેમાં એક ફોરેસ્ટ ગાર્ડનો પણ સમાવેશ થાય છે.


Image

આસામના મુખ્યમંત્રીએ ઘટના અંગે દુ:ખ કર્યું વ્યક્ત

એકાએક હિંસા ફાટી નિકળી હતી. હિંસાને વધુ ન વકરે તે માટે પ્રશાસને 7 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. ઘટનાની જાણ થતાં બીજી પોલીસ ફોર્સને તૈનાત કરી દેવામાં આવી હતી. પોલીસ આવતાની સાથે જ સ્થાનિકો હાથમાં હથિયાર લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. હિંસામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ આસામના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.