આસામ-મેઘાલય સરહદ પર ફાટી નિકળી હિંસા, ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2022-11-22 17:21:35

આસામ-મેઘાલયમાં હિંસા ફાટી નીકળી છે જેને કારણે અંદાજીત 6 લોકોના મોત થયા છે. આ હિંસા એટલા માટે ભડકી ઉઠી હતી કારણ કે પોલીસે આસામ-મેઘાલય સરહદે થતી લાકડાની ચોરીને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગેરકાયદેસર લાકડા ભરીને જતી ટ્રકને પોલીસે રોકી હતી જે બાદ હિંસા ફાટી નીકળી હતી. જેને કારણે 7 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


હિંસામાં અનેક લોકોના થયા મોત

સરહદી વિસ્તારોમાં લાકડા તસ્કરી થતી હોય છે. ટ્રક ભરી ગેરકાયદેસર રીતે લાકડાને લઈ જવામાં આવતા હોય છે. ત્યારે આસામ-મેઘાલય બોર્ડર પર આસામ વન વિભાગે ગેરકાયદેસર રીતે લાકડાઓને લઈ જતી ટ્રકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. બોર્ડર પર ટ્રક ઉભી ન રહી હતી અને ટ્રકને પૂર ઝડપે ડ્રાઈવરે ભગાવી હતી. તેને રોકવા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેને કારણે ટ્રકનું ટાયર પંચર થયું હતું. અને પોલીસે ત્રણ લોકોની ઘરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જેને કારણે હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે જેમાં એક ફોરેસ્ટ ગાર્ડનો પણ સમાવેશ થાય છે.


Image

આસામના મુખ્યમંત્રીએ ઘટના અંગે દુ:ખ કર્યું વ્યક્ત

એકાએક હિંસા ફાટી નિકળી હતી. હિંસાને વધુ ન વકરે તે માટે પ્રશાસને 7 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. ઘટનાની જાણ થતાં બીજી પોલીસ ફોર્સને તૈનાત કરી દેવામાં આવી હતી. પોલીસ આવતાની સાથે જ સ્થાનિકો હાથમાં હથિયાર લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. હિંસામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ આસામના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.