વિપુલ ચૌધરીના રિમાન્ડ કોર્ટે ના મંજૂર કર્યા, આંજણા ચૌધરી સમાજમાં ખુશીની લહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 17:23:04

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી  અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેઓને આજે મહેસાણાની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં. અમદાવાદ પોલીસની એક ટીમ વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં લઈ ગઈ હતી. જ્યાં વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં સરકારી વકીલે વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સાથે આ કેસમાં વધુ તપાસની જરૂર હોવાની રજૂઆત કરીને રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ વિપુલ ચૌધરીને વધુ રિમાન્ડની અરજી નામંજૂર કરીને તેઓને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિપુલ ચૌધરીની 800 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.


વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજૂર


વિપુલ ચૌધરીની મહેસાણાની દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરિતી આચરવાના આરોપ હેઠળ છેલ્લા 7 દિવસથી રિમાન્ડ ઉપર હતા. વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે મહેસાણા કોર્ટમાં હાજર કરાયા હતા અને સરકારી વકીલે વધુ 6 દિવસના રિમાન્ડ માટે સરકારી વકીલે માંગણી કરી હતી. જો કે કોર્ટે વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજૂર કરતા કોર્ટના હુકમ બાદ વિપુલ ચૌધરીને જ્યૂડિશિયલ કસ્ટડી માટે મહેસાણા સબજેલમાં લઈ જવામાં આવ્યા છે.


અર્બુદા સેનાના કાર્યકરોએ ઉજવણી કરી


વિપુલ ચૌધરીના કેસની સુનાવણી સમયે કોર્ટની બહાર અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિપુલ ચૌધરીના રિમાન્ડ ના મંજૂર કરાતા અર્બુદા સેનાના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટમાંથી બહાર આવતાં જ વિપુલ ચૌધરીએ બધાનું અભિવાદન કર્યું હતું. આ સમયે અર્બુદા સેનાના કાર્યકરોએ અર્બુદા માતાની જયના નારા લગાવ્યા હતા. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.