વિપુલ ચૌધરીના રિમાન્ડ કોર્ટે ના મંજૂર કર્યા, આંજણા ચૌધરી સમાજમાં ખુશીની લહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 17:23:04

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી  અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેઓને આજે મહેસાણાની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં. અમદાવાદ પોલીસની એક ટીમ વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં લઈ ગઈ હતી. જ્યાં વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં સરકારી વકીલે વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સાથે આ કેસમાં વધુ તપાસની જરૂર હોવાની રજૂઆત કરીને રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ વિપુલ ચૌધરીને વધુ રિમાન્ડની અરજી નામંજૂર કરીને તેઓને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિપુલ ચૌધરીની 800 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.


વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજૂર


વિપુલ ચૌધરીની મહેસાણાની દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરિતી આચરવાના આરોપ હેઠળ છેલ્લા 7 દિવસથી રિમાન્ડ ઉપર હતા. વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે મહેસાણા કોર્ટમાં હાજર કરાયા હતા અને સરકારી વકીલે વધુ 6 દિવસના રિમાન્ડ માટે સરકારી વકીલે માંગણી કરી હતી. જો કે કોર્ટે વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજૂર કરતા કોર્ટના હુકમ બાદ વિપુલ ચૌધરીને જ્યૂડિશિયલ કસ્ટડી માટે મહેસાણા સબજેલમાં લઈ જવામાં આવ્યા છે.


અર્બુદા સેનાના કાર્યકરોએ ઉજવણી કરી


વિપુલ ચૌધરીના કેસની સુનાવણી સમયે કોર્ટની બહાર અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિપુલ ચૌધરીના રિમાન્ડ ના મંજૂર કરાતા અર્બુદા સેનાના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટમાંથી બહાર આવતાં જ વિપુલ ચૌધરીએ બધાનું અભિવાદન કર્યું હતું. આ સમયે અર્બુદા સેનાના કાર્યકરોએ અર્બુદા માતાની જયના નારા લગાવ્યા હતા. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે