વિપુલ ચૌધરીના રિમાન્ડ કોર્ટે ના મંજૂર કર્યા, આંજણા ચૌધરી સમાજમાં ખુશીની લહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 17:23:04

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી  અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેઓને આજે મહેસાણાની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં. અમદાવાદ પોલીસની એક ટીમ વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં લઈ ગઈ હતી. જ્યાં વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં સરકારી વકીલે વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સાથે આ કેસમાં વધુ તપાસની જરૂર હોવાની રજૂઆત કરીને રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ વિપુલ ચૌધરીને વધુ રિમાન્ડની અરજી નામંજૂર કરીને તેઓને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિપુલ ચૌધરીની 800 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.


વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજૂર


વિપુલ ચૌધરીની મહેસાણાની દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરિતી આચરવાના આરોપ હેઠળ છેલ્લા 7 દિવસથી રિમાન્ડ ઉપર હતા. વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે મહેસાણા કોર્ટમાં હાજર કરાયા હતા અને સરકારી વકીલે વધુ 6 દિવસના રિમાન્ડ માટે સરકારી વકીલે માંગણી કરી હતી. જો કે કોર્ટે વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજૂર કરતા કોર્ટના હુકમ બાદ વિપુલ ચૌધરીને જ્યૂડિશિયલ કસ્ટડી માટે મહેસાણા સબજેલમાં લઈ જવામાં આવ્યા છે.


અર્બુદા સેનાના કાર્યકરોએ ઉજવણી કરી


વિપુલ ચૌધરીના કેસની સુનાવણી સમયે કોર્ટની બહાર અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિપુલ ચૌધરીના રિમાન્ડ ના મંજૂર કરાતા અર્બુદા સેનાના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટમાંથી બહાર આવતાં જ વિપુલ ચૌધરીએ બધાનું અભિવાદન કર્યું હતું. આ સમયે અર્બુદા સેનાના કાર્યકરોએ અર્બુદા માતાની જયના નારા લગાવ્યા હતા. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .